અમદાવાદ : ખેડૂત આંદોલન હોય કે કોલસાની ખરીદીના નિયમો કેન્દ્રની મોદી સરકાર પર કોર્પોરેટ્સ અને ખાસ કરીને અદાણી-અંબાણીની સરકાર હોવાના આરોપો લાગ્યા રહ્યાં છે.ત્યારે ગુજરાત યુથ કોંગ્રેસના પ્રવક્તા રોહન પાંડેએ આયાતી કોલસા મામલે સરકારના વલણને અદાણીને મદદ કરવાનો કારસો હોવાના ગંભીર આરોપ લગાવ્યા છે.
ગુજરાત યુથ કોંગ્રેસના પ્રવક્તા રોહન પાંડેએ અખબારી યાદીમાં જણાવ્યું છે કે, દુનિયાની એક માત્ર સૌથી મોટી કોલસાની ભારત સરકારની કંપની “COAL INDIA LIMITED” 1975માં સ્થાપવામાં આવી હતી.આ કંપની હાલ 8 રાજયોમાં 84 ખાણ ધરાવે છે, જેમાંની 318 ખાણમાં 2,48,550 કર્મચારીઓ કામ કરે છે.ભારત સરકારની આ કંપનીમાં 21 ટ્રેનિંગ ઇન્સ્ટીટ્યુટ, 19 વર્કશોપ, 79 વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર અને IICM (ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઑફ કોલ મેનેજમેન્ટ) છે.
રોહન પાંડેએ આ માળખું કોંગ્રેસની ધરોહર ગણાવી જણાવ્યું કે, દેશની સ્વતંત્રતાના 70 વર્ષથી રાજ્યોની સરકારોને વીજળી ઉત્પાદન માટે થર્મલ પાવર સ્ટેશનને જરૂરી કોલસો કોલ ઈન્ડિયા રૂપિયા 2 હજાર પ્રતિ ટનના ભાવથી પુરવઠો પુરો પાડે છે.જેના કારણે દેશની જનતાની વીજળી સસ્તી ઉપલબ્ધ થાય છે.પરંતુ જ્યારે અચાનક જ દેશમાં કોલસાની તંગી વર્તાઈ રહી છે અને વીજ ઉત્પાદન માટે મોંઘા ભાવનો કોલસો વિદેશથી આયાત કરવો પડશે.આવી અફવા ફેલાવી કોણે અને તેનાથી ફાયદો કોને ?
ભાજપની કેન્દ્ર સરકારને સવાલોથી ઘેરતા પાંડેએ કહ્યું કે, કેન્દ્ર સરકારના ઉર્જા મંત્રીએ 7 ડિસેમ્બર 2021ના રોજ તમામ રાજ્યની સરકારના ઉર્જા મંત્રીઓની બેઠક બોલાવી આદેશ કર્યો કે આપની જરૂરીયાતના 10 ટકા કોલસો વિદેશથી એટલે કે અદાણી પાસેથી ફરજિયાત મંગાવવનો રહેશે.જો આવું નહીં થાય તો કોલ ઈન્ડિયાનો કોલસો મળતો બંધ કરી દેવામાં આવશે.પરંતુ સરકારએ સાવલ કર્યો કે દેશની કોલ ઈન્ડિયાનો કોલસો 2 હજારમાં મળે છે તો વિદેશી કોલસો 20 હજારમાં શા માટે ખરીદવો ? આ વાતથી અનેક રાજ્યો સહમન ન થયા તો આંધ્ર પ્રદેશે ટેન્ડર કેન્સલ કર્યુ છે.
સરકાર પર ગંભીર આક્ષેપ કરતા તેમણે જણાવ્યું કે, તારીખ 28 મે 2022ના રોજથી સરકારે બીજો આદેશ કર્યો હતો કે કોલ ઈન્ડિયા વિદેશથી કોલસો આયાત કરશે અને રાજ્યોને સપ્લાય કરશે.તેનો મતલબ છે કે તેનો ઓર્ડર અદાણી એન્ટરપ્રાઝઈને મળ્યો અને તેનો ભાવ નક્કિ થયો રૂપિયા 17 હજાર.આ કોલસો આયાત થયા બાદ બંદર પરથી ઉઠાવવાનો ખર્ચ રાજ્યોને ભોગવવો પડશે તો આ કોલસો કેટલામાં પડશે તે સરકાર જનતાને જણાવે.
કેન્દ્ર સરકારને સણસણતો સવાલ પુછતા રોહન પાડેંએ અખબારી યાદીમાં જણાવ્યું છે કે, એટલે દેશના તમામ રાજયોને ભારત સરકારની કંપની જે કોલ ઇન્ડીયા લી. નો સસ્તો કોલસો નહીં પરંતુ, અદાણીનો મોંઘો કોલસો ખરીદવાનુ ફરજીયાત બનશે. કેન્દ્ર સરકાર જવાબ આપે શું કોલ ઇન્ડીયાનો કોલસો કાળો અને અદાણીનો કોલસો રુપાળો છે ?