By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કોવિડ મૃત્યુનુ વળતર મેળવવા નકલી સર્ટિફિકેટ જારી કરી રહ્યા છે ડોકટરો, CAG કરશે તપાસ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > કોવિડ મૃત્યુનુ વળતર મેળવવા નકલી સર્ટિફિકેટ જારી કરી રહ્યા છે ડોકટરો, CAG કરશે તપાસ
GeneralNational

કોવિડ મૃત્યુનુ વળતર મેળવવા નકલી સર્ટિફિકેટ જારી કરી રહ્યા છે ડોકટરો, CAG કરશે તપાસ

HM News
Last updated: 21/03/2022 5:11 AM
HM News
3 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા. 20 માર્ચ 2022 રવિવાર : સમગ્ર દેશમાં કોવિડ સંક્રમણથી જીવ ગુમાવનાર પરિજન અને આશ્રિતોને 50 હજાર રૂપિયા વળતર માટે નકલી સર્ટિફિકેટ જારી કરનારા ભ્રષ્ટ ડોક્ટર્સની ઓળખ કરીને કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને સોગંદનામા દ્વારા જણાવ્યુ કે આ નકલીવાડાની તપાસ કરાવવામાં આવશે.સરકારે આ તપાસ માટે કોર્ટની પરવાનગી માગી છે.

કોર્ટે વ્યક્ત કરી હતી આકરી નારાજગી

છેલ્લી સુનાવણી દરમિયાન જ્યારે સુપ્રીમ કોર્ટની સમક્ષ સરકાર તરફથી આનો ખુલાસો કરવામાં આવ્યો તો કોર્ટે આની પર કડક નારાજગી વ્યક્ત કરી.આ બાબત સરકારે પોતાની તરફથી તપાસ કરી.સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમઆર શાહ અને જસ્ટિસ બી વી નાગરત્નાની બેન્ચે આ મામલે સોમવારે સુનાવણી કરશે.છેલ્લી સુનાવણી દરમિયાન સૌથી પહેલા સાત માર્ચ અને પછી 14 માર્ચે નારાજ કોર્ટે ટિપ્પણી કરી હતી કે ષડયંત્રની તપાસ માટે તે સીએજીને પણ આદેશ આપી શકે છે.જોકે કોર્ટે ગયા મંગળવાર સુધી જ આ બાબત જાણકારી આપવાનુ કહ્યુ હતુ,પરંતુ સરકારે સુનાવણીથી બે દિવસ પહેલા શનિવાર સાંજે અરજી દાખલ કરી છે.

સરકારે પહેલા આપ્યો હતો ફંડની અછતનો હવાલો

બે જનહિત અરજીઓ વકીલ ગૌરવ કુમાર બંસલ અને રીપક કંસલે ગયા વર્ષે દાખલ કરીને કોવિડ સંક્રમણના કારણે મૃતકના પરિજનોને ચાર લાખ રૂપિયા વળતર આપવાની અરજી કરી હતી.પહેલા તો સરકારે ફંડની અછત અને અન્ય કેટલીક તકનીકી મજબૂરીઓ જણાવતા આનાકાની કરી હતી પરંતુ કોર્ટના આકરા વલણથી સરકારે 50,000 રૂપિયા સહાયતા રાશિ આપવાનુ કહ્યુ.આની પર પણ કેટલાક રાજ્યોમાં કોવિડથી થયેલા મોતના સત્તાકીય આંકડાથી ઘણા વધારે દાવા તો ક્યાંક ઘણા ઓછા દાવા પર પણ સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારનો ઉધડો લીધો હતો.

નારગોલ નવાતળાવ સ્મશાન ભૂમિમાં દરિયાઈ મોજા ઊછળ્યા, કમ્પાઉન્ડની પાળને નુુકશાન
સુરત : મહિલાઓનું મોંઘવારી પર ગવાયેલું ભજન સોશિયલ મીડિયામાં વાઈરલ
આંધીએ દિલ્હી ધમરોળ્યું, અનેક વૃક્ષો ધરાશાય, ફ્લાઇટ્સ ડાયવર્ટ
મહિલા પ્રિન્સિપાલનો આપઘાત, માય લવ જય, હું તમારા સૌની ગુનેગાર પણ આવું નર્ક જેવું જીવન નથી જીવાતું
ગુજરાતમાં ૩૦૮ કોરોના પોઝિટિવ કુલ આંક ૪ હજારને પાર
Share This Article
Facebook Email Print
Previous Article પીળી પાઘડી સાથે શું હતું ભગતસિંહનું કનેક્શન? પંજાબની સરકારી ઓફિસોમાં ફોટાને લઈ થયો વિવાદ
Next Article જથ્થાબંધ ખરીદદારો માટે ડીઝલ થયું મોંઘુ, 25 રૂપિયા પ્રતિ લીટરનો વધારો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up