By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કોવિડ મૃત્યુ ઘટાડવામાં લોકડાઉન ખાસ અસરદાર નહીં! ફક્ત 0.2 ટકા મૃત્યુદર ઘટ્યાનો અભ્યાસમાં દાવો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > કોવિડ મૃત્યુ ઘટાડવામાં લોકડાઉન ખાસ અસરદાર નહીં! ફક્ત 0.2 ટકા મૃત્યુદર ઘટ્યાનો અભ્યાસમાં દાવો
GeneralNational

કોવિડ મૃત્યુ ઘટાડવામાં લોકડાઉન ખાસ અસરદાર નહીં! ફક્ત 0.2 ટકા મૃત્યુદર ઘટ્યાનો અભ્યાસમાં દાવો

HM News
Last updated: 03/02/2022 6:38 AM
HM News
3 years ago
Share
SHARE

– જાણકારોના કહેવા પ્રમાણે લોકડાઉનનો સમય અને અનપેક્ષિત પરિણામ મૃત્યુદરને પ્રભાવિત કરવામાં આશા કરતાં વધુ મોટી ભૂમિકા ભજવી શકે છે

નવી દિલ્હી,તા.03 ફેબ્રુઆરી,ગુરૂવાર : કોરોના વાયરસના સંક્રમણથી થઈ રહેલા મૃત્યુને રોકવામાં લોકડાઉન ખાસ ઉપયોગી નથી બન્યું.તાજેતરના એક અભ્યાસમાં આ અંગેના સંકેત મળ્યા હતા.સંશોધકોના કહેવા પ્રમાણે અમેરિકા અને યુરોપમાં કોવિડ-19ના કારણે થતાં મૃત્યુને ઘટાડવામાં લોકડાઉનનો પ્રભાવ ઓછો કે સાવ નગણ્ય હતો. અભ્યાસ પ્રમાણે લોકડાઉનના કારણે અર્થતંત્ર પર ખરાબ અસર પડી અને સામાજીક સ્તરે પણ નુકસાન પહોંચ્યું.

જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી ખાતે અનેક સાયન્ટિફિક સ્ટડીઝની સમીક્ષા કરવામાં આવી હતી.સંશોધકોને જાણવા મળ્યું કે, 2020માં મહામારીના પ્રારંભિક તબક્કામાં લોકડાઉને કોવિડ-19ના મૃત્યુદરમાં આશરે 0.2 ટકાનો ઘટાડો કર્યો છે.સંશોધકોએ લખ્યું હતું કે, ‘અમને આ વાતનો કોઈ પુરાવો ન મળ્યો કે લોકડાઉન, શાળાઓ બંધ કરવાની, સરહદો બંધ કરવાની અને લોકોની સીમિત મુલાકાતની કોવિડ-19 મૃત્યુદર પર કોઈ ખાસ અસર પડી હોય.’

રિપોર્ટમાં લખ્યું હતું કે, ‘તેણે આર્થિક ગતિવિધિઓ ઘટાડવાનું, બેરોજગારી વધારવાનું, શાળાની ગતિવિધિઓ ઘટાડવાનું, રાજકીય તણાવ વધારવાનું, ઘરેલુ હિંસા વધારવાનું અને ઉદાર લોકશાહી ઘટાડવામાં યોગદાન આપવાનું કામ કર્યું છે.’સંશોધકોની ટીમમાં સ્ટીવ હેંક, જોનસ હર્બી અને લાર્સ જોનંગ સામેલ રહ્યા હતા.

તેમણે લખ્યું હતું કે,’બધું મળીને અમે જાણ્યું કે, મહામારી દરમિયાન મૃત્યુદર ઘટાડવા લોકડાઉન એ અસરકારક ઉપાય નથી. ઓછામાં ઓછું કોવિડ-19 મહામારીની પહેલી લહેરમાં તો નથી જ.’ સંશોધકોએ મહામારીની શરૂઆતમાં થયેલા મૃત્યુની તપાસ બાદ આ વાત કરી છે.તેમણે જાણ્યું કે, સ્ટડીમાં સામેલ કરવામાં આવેલા લોકડાઉન અવધિના અંત એટલે કે, 20 મે, 2020 સુધીમાં અમેરિકામાં કોવિડના કારણે 97 હજાર 081 લોકોના મોત થયા હતા.એ દરમિયાન એક મોટા અભ્યાસે લોકડાઉન વગર 99 હજાર 050 મૃત્યુનું અનુમાન લગાવ્યું હતું.

સંશોધકોએ કોવિડ મૃત્યુદરની તપાસ કરનારા અનેક ડઝન અભ્યાસનું ‘મેટા એનાલિસિસ’ કર્યું હતું. સંશોધકોને જાણવા મળ્યું કે, બાર બંધ કરવાથી મૃત્યુ ઘટાડવામાં થોડું યોગદાન મળ્યું છે.તેમના કહેવા પ્રમાણે ‘બિનજરૂરી કારોબાર બંધ કરવાથી થોડી અસર પડી છે (કોવિડ મૃત્યુદર 10.6 ટકા સુધી ઘટાડવો), શક્યતા છે કે, તેના તાર બાર બંધ કરવા સાથે સંકળાયેલા છે.’જાણકારોના કહેવા પ્રમાણે લોકડાઉનનો સમય અને અનપેક્ષિત પરિણામ મૃત્યુદરને પ્રભાવિત કરવામાં આશા કરતાં વધુ મોટી ભૂમિકા ભજવી શકે છે

ભાજપના નેતા પીવીએસ શર્માના જામીન નામંજૂર
છત્તીસગઢમાં ૨૦૨૦ની સૌથી મોટી આઈટી રેડ : હવે બિલ્ડરો – ઓફીસરો – ઉદ્યોગગૃહો ઉપર તૂટી પડશે
આર્યનને સંડોવતા ડ્રગ કેસમાં એનસીબી આજકાલમાં અંતિમ ચાર્જશીટ રજૂ કરશે
દેશમાં એક શિવલિંગ એવું જેેને ઔરંગઝેબ ન હટાવી શક્યો, જાણો શું છે તેનો ઈતિહાસ
દસ્તાન રેલ્વે ઓવરબ્રિજનો જલ્દી નિવેડો લાવવામાં આવશે : નાણાંમંત્રી કનુભાઈ દેસાઇ
Share This Article
Facebook Email Print
Previous Article ICC U-19 WC 2022 : ભારતીય અંડર-19 ટીમે રચ્યો ઈતિહાસ, આવું પરાક્રમ કરનાર પ્રથમ ટીમ બની
Next Article યહૂદી નરસંહાર પરની ટિપ્પણી બદલ ઓસ્કાર વોર્ડ વિજેતા અભિનેત્રી વ્હૂપી ગોલ્ડબર્ગ સસ્પેન્ડ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up