હોંગકોંગ : ચીનનું આર્થિક કેન્દ્ર શાંઘાઈ સપ્તાહોથી કઠોર ”લોકડાઉન”માં છે, તેના પરિણામે ખાદ્યાન્નની ખેંચ ઊભી થઈ છે તેમજ તબીબી સારવાર પણ પહોંચી શકતી નથી.આથી જનતા પ્રમુખ શી ઝિંગ-પિંગ સામે ઘૂંઘળાઈ રહી છે, તેમ છતાં શી ઝિંગ-પિંગ કહે છે કે ”ચીનની ઝીરો કોવિડ સ્ટ્રેટજી” મુકવી જ રહેશે, અને ભાવો વધતા જતા રહ્યા છે.તથા રસીકરણ માટેની ”ફી” પણ વધી ગઈ છે. તેમ છતાં, શહેરોમાં ફેલાઈ રહેલી ”અશાંતિ” તો નાથવી જ રહી.આ અંગે યુનિવર્સિટી ઓફ સીકાગોના રાજ્યશાસ્ત્રના અધ્યાપક તથા ચીનની રાજકીય વ્યવસ્થા અંગેના તજ્જ્ઞા પ્રોફેસર ડાલીયાંગે એક મુલાકાતમાં કહ્યું હતું કે ચીન સમક્ષ બે મહત્વના પડકારો છે.એક છે જનતાનાં આરોગ્યનો અને બીજો છે રાજકીય અનિવાર્યતાનો.આમાંથી બહાર નીકળવું ચીન માટે સરળ નથી.તો બીજી તરફ ચીન વિશ્વથી અટુલું પડી ગયું છે.
તેઓએ આ પુર્વે ઉભી થયેલી પરિસ્થિતિ કરતાં વર્તમાન પરિસ્થિતિ ઘણી જુદી છે.તેમ કહેતાં એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે વુહાનમાં જ્યારે આ પરિસ્થિતિ (કોવિડ-૧૯) ઉપસ્થિત થઈ ત્યારે લોકોને તેની ગંભીરતાનો અંદાજ જ ન હતો.પરંતુ અત્યારે પરિસ્થિતિ જુદી જ ઊભી થઈ છે.શાંઘાઈમાં ઑમીક્રોન વેરીયન્ટ ફેલાઈ રહ્યો છે.જે ઘણો ઝડપથી પ્રસરી શકે છે.જોકે તે પ્રમાણમાં ઓછો જીવલેણ છે, તે અલગ વાત છે.આ માટેનું ઔષધ ”પેક્ષ્લોવિદ્” આયાત કરવું પડે તેમ છે.સાથે દેશમાં જ બનતાં ઔષધો પણ ઉપયોગમાં લેવાય છે પરંતુ વુહાન કરતાં ત્યાં (શાંઘાઈમાં) ઘણો મોટો તફાવ છે.
શાંઘાઈએ એક સમયે લોકડાઉન સિવાય જ કોવિડ-૧૯ અને તેના વેરિયન્ટનો સામનો કરવાની વ્યવસ્થા ગોઠવી હતી પરંતુ અંતે તેમાં નિષ્ફળતા મળી.વાસ્તવમાં આ ”મિસ-જજમેન્ટ” (ભૂલ-ભરેલો નિર્ણય) જ હતો.માર્ચના અંતે મ્યુનિસીપલ કમિટીઓએ વિધિવત પગલાં લીધા જ નહી તેઓએ તે પ્રત્યે ઉદાસીન જ રહ્યા તેનું આ પરિણામ છે.તેમ પણ પ્રોફેસર ડાલીયાંગે જણાવ્યું હતું.