By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ક્યાંથી આવ્યો હતો વાઈબ્રન્ટ સમિટ રદ કરવાનો આદેશ? જાણો ઇનસાઇડ સ્ટોરી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > ક્યાંથી આવ્યો હતો વાઈબ્રન્ટ સમિટ રદ કરવાનો આદેશ? જાણો ઇનસાઇડ સ્ટોરી
GandhinagarGeneral

ક્યાંથી આવ્યો હતો વાઈબ્રન્ટ સમિટ રદ કરવાનો આદેશ? જાણો ઇનસાઇડ સ્ટોરી

HM News
Last updated: 07/01/2022 11:24 AM
HM News
4 years ago
Share
SHARE

ગુરુવારે ગુજરાત સરકાર દ્વારા વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2022 ના રદ કરવાની અચાનક જાહેરાત કરાઈ.જેને પગલે અમદાવાદનો ફ્લાવર શો અને પતંગોત્સવ પણ રદ કરાયો.આ ઉપરાંત રાજ્યભરમાં અનેક મોટા કાર્યક્રમો રદ કરવાની જાહેરાત ધીરે ધીરે થઈ રહી છે. આવામાં આખરે આ નિર્ણય કેવી રીતે લેવાયો અને ક્યાંથી આદેશ આવ્યો તે સામે આવ્યુ છે.સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, આ આદેશ વડાપ્રધાન ઓફિસમાંથી આવ્યો હતો.આયોજનથી કોરોના વિસ્ફોટ થઈ શકે છે તેવો પત્ર વડાપ્રધાન ઓફિસને મળ્યો હતો.જેના જવાબમાં સરકારે કાર્યક્રમ રદ કરવાની જાહેરાત થઈ.

રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિમાં પાછલા એકાદ સપ્તાહથી ફરી વધારો થયો છે.કોરોના સંક્રમણ સાથે નવો વેરિએન્ટ એમિક્રોનના કેસો પણ જોવા મળ્યા છે.કોરોના અને એમિક્રોનના આ વાયરસનો વ્યાપ રાજ્યમાં વધુ ન ફેલાય તેની સંપૂર્ણ તકેદારી રાખીને અને આ મહામારીનું સંક્રમણ વધે નહીં તેવા હેતુસર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.મુખ્યમંત્રીશ્રીએ આ બધી જ બાબતોને લક્ષમાં લેતાં રાજ્યના સૌ નાગરિકોના વિશાળ હિતમાં આગામી તા. 10 થી 12 જાન્યુઆરી 2022 દરમિયાન યોજાનારી 10 મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.

મુ્ખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સમિટના આયોજન માટે સતત માર્ગદર્શન અને પ્રેરણા આપી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિશેષ આભાર વ્યક્ત કર્યો છે.મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, પ્રધાનમંત્રી હરહંમેશ માનવજાતના કલ્યાણ,સુખ અને સલામતી તથા સ્વાસ્થ્ય સુખાકારીના હિત ચિંતક રહ્યા છે.

રાજ્ય કક્ષા મંત્રી જીતુ ચૌધરી કોરોના સંક્રમિત થયા છે.ગુજરાતના આરોગ્ય વિભાગમાં પણ કોરોના ઘૂસ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના મુખ્ય અધિક સચિવ મનોજ અગ્રવાલ પણ કોરોના પોઝિટિવ નીકળ્યા હતા.આરોગ્ય વિભાગના અધિકારીઓ સંક્રમિત થયા બાદ કર્મચારીઓએ કોરોના ટેસ્ટ કરાવવા દોડ મૂકી હતી.જેથી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ તાત્કાલિક અસરથી કર્મચારીઓને કોરોના ટેસ્ટ કરાવી લેવાની સલાહ આપી હતી.

ગુજરાતમાં ચૂંટણીની તૈયારી સાથે જાણો ગઇ વખતે કયા પક્ષે કેટલા “ગુનેગારોને” બનાવ્યા હતા ઉમેદવાર
રમઝાનમાં મક્કા-મદીનાની મસ્જિદોમાં નહિ થાય નમાઝ, પ્રશાસને લગાવી રોક
NSA + મુસ્લિમ સંગઠન = PFI પર પ્રતિબંધ, આ રીતે બન્યો ચરમપંથીઓ વિરુદ્ધ માસ્ટર પ્લાન !
આર્થિક સંકટના વમળમાં ફસાયું શ્રીલંકા, ભારત પર શરણાર્થી સંકટનો ઓછાયો
પાકિસ્તાની સાયબર ક્રિમીનલ દ્વારા દેશના અધિકારીઓના ડેટા ચોરવાનું ષડયંત્ર
Share This Article
Facebook Email Print
Previous Article ગુજરાતમાં આંશિક લોકડાઉન નહિ લાગે… સરકારના મંત્રીએ આપ્યુ મોટું નિવેદન
Next Article ઓઇલ એન્ડ ગેસ અને એનર્જી સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે તેજી તરફી માહોલ યથાવત્…!!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up