By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ક્યારે મનાવાશે વસંત પંચમી? જ્ઞાનની દેવીને આ રીતે કરો પ્રસન્ન
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ક્યારે મનાવાશે વસંત પંચમી? જ્ઞાનની દેવીને આ રીતે કરો પ્રસન્ન
GeneralReligious

ક્યારે મનાવાશે વસંત પંચમી? જ્ઞાનની દેવીને આ રીતે કરો પ્રસન્ન

HM News
Last updated: 24/01/2023 12:58 AM
HM News
2 years ago
Share
SHARE

હિંદુ પંચાંગ અનુસાર મહા મહિનાના શુક્લ પક્ષની પાંચમે દર વર્ષે વસંત પંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે.આ વર્ષે વસંત પંચમી 26 જાન્યુઆરીના રોજ મનાવાશે.વસંત પંચમીને શ્રી પંચમી અથવા જ્ઞાન પંચમી પણ કહેવાય છે.એવી માન્યતા છે કે સૃષ્ટિના રચયિચા ભગવાન બ્રહ્માના મુખમાંથી વસંતપંચમીના દિવસે જ જ્ઞાન અને વિદ્યાની દેવી માતા સરસ્વતી પ્રગટ થઇ હતી,તેથી જ આ દિવસે માતા સરસ્વતીની આરાધના કરવામાં આવે છે.

એવી માન્યતા છે કે જ્ઞાન પ્રાપ્તિ માટે આ દિવસે માતા સરસ્વતીની ઉપાસનાનું વિશેષ મહત્ત્વ છે.જ્ઞાનના ઉપાસક વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પુજા વિધિ વિધાનપુર્વક કરે છે.આ દિવસે પીળા વસ્ત્રો ધારણ કરવાની પણ માન્યતા છે.

પુજાનું મુહુર્ત

આ વર્ષે વસંત પંચમીની તારીખને લઇને ખુબ જ કન્ફ્યુઝન છે.કોઇ 25 જાન્યુઆરીએ વસંત પંચમી મનાવવાની વાત કરે છે,તો કોઇ 26 જાન્યુઆરીએ.જ્યોતિષાચાર્યોના જણાવ્યા મુજબ જે દિવસે ઉદયતિથિ હોય તે દિવસે કોઇ પણ પર્વ ઉજવવામાં આવે છે.આ વર્ષે 26 જાન્યુઆરીએ સવારે વસંત પંચમી શરૂ થશે તેથી આજ દિવસે તે મનાવાશે.મહા મહિનાની શુક્લ પંચમી 25 જાન્યુઆરી 2023ના રોજ બપોરે 12.34 વાગ્યે શરૂ થશે અને તેનુ સમાપન 26 જાન્યુઆરી સવારે 10.28 વાગ્યે થશે.જોકે ઉદયા તિથિ અનુસાર આ તહેવાર 26 જાન્યુઆરીએ જ મનાવાશે. 26 જાન્યુઆરીએ પુજાનું મુહુર્ત સવારે 7.07થી લઇને સવારે 10.28 વાગ્યા સુધી રહેશે.

વસંતપંચમીનું મહત્ત્વ : આમ કરો પુજા

આ દિવસથી વસંત ઋતુનુ આગમન થાય છે.આ દિવસે સંગીત અને જ્ઞાનની દેવીની પુજા કરવામાં આવે છે.આ દિવસે કોઇ પણ માંગલિક કાર્યની શરૂઆત કરવાનું ખુબ જ શુભ માનવામાં આવે છે.માતા સરસ્વતીની પુજા કરતી વખતે પીળા વસ્ત્રો પહેરવાનું શુભ માનવામાં આવે છે.પુજાના સમયે દેવીને કેસર કે પીળા ચંદનનું તિલક અર્પણ કર્યા બાદ આ ચંદન તમારા માથા પર લગાવો.સરસ્વતી માતાની પુજા કર્યા બાદ તે તરત જ તમારી પર કૃપા વરસાવાનું શરૂ કરી દે છે.કોઇ પણ દેવી કે દેવતાને પ્રસન્ન કરવા માટે તેમને નિવેધ ધરાવો અને તેને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરો.

બારમણનો પરિવાર ચોટીલા દર્શને પહોંચે તે પહેલા જ અકસ્માત નડ્યો, ગાડી ચલાવનાર સદસ્યનું મોત
૪૯.૧ ટકા બેન્ક થાપણો રૂ. ૫ લાખના વિમા હેઠળ સુરક્ષિત નથી
ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર તાપી પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરાયું
પલ્લવી પછી વધુ એક બંગાળી અભિનેત્રી બિદિશાની આત્મહત્યા
Mundra Port Heroin Seizure: હવે પંજાબ NIAની તપાસનું કેન્દ્ર, ટૂંક સમયમાં થશે વધુ ધરપકડ
Share This Article
Facebook Email Print
Previous Article ચાણક્ય નીતિ : આ બાબતોનું રાખવું જોઈએ ખાસ ખ્યાલ,જેથી તમને ના પડે કોઈ મુશ્કેલી
Next Article વસંતપંચમી વિદ્યાર્થીઓ માટે હોય છે ખાસ : રાશિ પ્રમાણે કરો પૂજા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up