[weather_data]
Breaking News
TRENDING NEWS

ક્રેડાઇનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર : રીયલ એસ્ટેટ સેક્ટરને બચાવવા માટે અપીલ

[updated_date] [post_views]

Table of Content

દિલ્હી : રીયલ એસ્ટેટ સેક્ટરને આર્થિક પેકેજની જાહેરાતમાં સરકાર પાસે મોટી આશાઓ હતી પરંતુ તેમની આશાઓ પૂર્ણ થઇ નથી. હવે તેમની માંગોને લઇ બિલ્ડરોની સંસ્થા ક્રેડાઇએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઓપન લેટર લખ્યો છે.પત્રમાં રિયલ એસ્ટેટે સરકાર પાસે મદદની માંગણી કરી છે.

ક્રેડાઇ દેશભરમાં ૨૦ હજારથી વધારે ડેવલપર્સનું પ્રતિનિધિત્વ કરે છે.આ સંસ્થાનું કહેવું છે કે,કોરોના વાયરસના કારણે સૌથી વધારે પ્રભાવિત સેક્ટરમાં રિયલ એસ્ટેટ પણ છે અને સરકાર પાસે ગત દિવસોમાં ઘણી આશા હતી પરંતુ જે રાહત આપવામાં આવી છે તે ખુબ જ ઓછી છે.ક્રેડાઇ તરફથી રોકડ ઉપલબ્ધ કરાવવા સહીત અનેક માંગણી મુકવામાં આવી છે.

સંસ્થાનું જો માનવામાં આવે તો, ૫૨ મિલિયન લોકોને આ સેક્ટરથી રોજગારી મળી રહી છે પરંતુ કોરોનાના કારણે આ સેક્ટર પર ખુબ જ ખરાબ હાલત પડી છે.આ સમસ્યા હોવા છતાંયે ક્રેડાઇ સરકાર સાથે મળીને પ્રભાવિત લોકોને ભોજન વિતરણ સહીત અનેક મદદ કરી રહી છે.હવે સરકારનો વારી છે કે, તેઓ આ સેક્ટર વિશે ગંભીરતાથી વિચારે અને જલ્દી જ રાહત આપે.

ક્રેડાઇનું કહેવું છે કે,રિયલ એસ્ટેટ સેક્ટરના અસ્તિવ પર સતત સંકટ માંન્દારાયેલું રહે છે.એવામાં સરકારે તરત જ અમારી મદદ કરવી જોઈએ.રીયાલીટી સેક્ટરનું જીડીપીમાં મહત્વનું યોગદાન છે સાથે જ આ સેક્ટર સ્ટીલ અને સિમેન્ટ સહીત લગભગ ૨૫૦ ઉદ્યોગો સાથે જોડાયેલું છે.માટે જયારે સરકાર તરફથી રિયાલીટી સેક્ટરને રાહત મળશે,ત્યારે આ સેક્ટર સાથે જોડાયેલા સેક્ટરને પણ બળ મળશે.

ક્રેડાઇનું કહેવું છે કે,તેમની માંગણી માત્ર તેમના સેક્ટર માટે જ નહિ પરંતુ ભારતીય અર્થવ્યવસ્થા માટે પણ જરૂરી છે.રિયલ એસ્ટેટ સેક્ટરને ફરીથી ઉભું કરવા માટે લિકવીડીટી સંકટ,ડિમાન્ડમાં ઘટાડો અથવા કાર્ટીલાઈઝેશન જેવી શરૂઆતી સમસ્યા છે.સરકારી મદદ વગર સમસ્યાને દૂર કરવી સંભવ નથી.

ઉલ્લેખનીય છે કે,આર્થિક પેકેજની જાહેરાત દરમિયાન નાણામંત્રીએ રીયાલીટી સેક્ટરની યોજનાને પરિપૂર્ણ કરવા માટે સમયસીમામાં ૬ મહિનાનો વધારો કર્યો છે પરંતુ ક્રેડાઇએ પીએમને આ મુદે હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે અને વડાપ્રધાન તેમની માંગણી પણ જરૂરથી ધ્યાન આપશે તેવું ક્રેડાઇનું કહેવું છે.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles