ખંભાતમાં ફાટેલી હિંસાને પગલે આણંદ SP, DYSP ની બદલી, કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે

HM News
3 Min Read

બે કોમના ટોળા વચ્ચે જૂની અદાવતને લઈને માથાકૂટ થતા તંગદિલી વધી

ખંભાત

રવિવારથી ખંભાતમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. બે જૂથોના ટોળા વચ્ચે થયેલી અથડામણ ત્રીજા દિવસે પણ યથાવત રહેતા ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પત્રાકોર સાથે વાચતીચ કરતા ખંભાતમાં તાત્કાલિક અસરથી અશાંતધારો લાગુ કરાયો હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત ખંભાતમાં સ્થિતિને થાળે પાડવા રાજ્ય સરકાર પ્રયાસો કરી રહી હોવાનું જણાવ્યું છે. શહેરમાં આરએએફ અને એસઆરપીની કુમકો પણ ખડકી દેવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ 45થી વધુ તોફાની તત્વોની ધરપકડ કરાઈ છે. સોમવારે મિરાયૈદયઅલીની દરગાહ નજીક કોમ્બિંગ દરમિયાન ટોળાએ પોલીસ પર કરેલા હુમલામાં ચાર જવાનો ઘાયલ થયા હતા. એક કોમના ટોળાએ કરેલા હુમલા સામે  હિન્દુ સમાજે બંધનું એલાન આપ્યું હતું. જેને કારણે મોટી સંખ્યામાં લોકો ટાવર ચોક પાસે એકઠાં થઈ વિરોધ નોંધાવ્યો હતો. ખંભાતમાં થયેલ રમખાણમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. અજંપાભરી સ્થિતિને થાળે પાડવા માટે શહેરને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. રેપિડ એક્શન ફોર્સની ટીમને પણ ખંભાતમાં ઉતારી દેવામાં આવી હતી.

ખંભાત બંધના એલાનને લઈને ગવારા ટાવર પાસે મોટી સંખ્યામાં ટોળાઓ એકત્ર થયા હતા. અને હિન્દુ સમુદાયના વિવિધ સંગઠનોના કાર્યકરો દ્વારા એકત્ર થયેલા લોકોને સંબોધવામાં આવ્યા હતા. અને ત્યારબાદ રેલી આવેદનપત્ર આપવા માટે નીકળી હતી. ત્યારે રેલીમાં જાડાયેલા તોફાની તત્વો પોલીસની હાજરીમાં બેફામ બન્યા હતા અને પથ્થરમારો કર્યો હતો.ત્યારબાદ એક મકાનને આગ પણ ચાંપી હતી. તેમજ બાઈકો અને સ્કૂટરોને સળગાવી દીધા હતા. એક ધાર્મિક સ્થાન ઉપર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

ખંભાતમાં ફાટી નીકળેલી હિંસાને પગલે આણંદ એસપી મકરંદ ચૌહાણ અને ડીવાયએસપી રીમા મુન્શીની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. આણંદ એસપી મકરંદ ચૌહાણના સ્થાને અજિત રાજીયાણ આણંદના નવા એસપી તરીકે નિમણુંક કરવામાં આવી છે જયારે અમદાવાદ એસીબીના ભારતી પંડ્યાની ડીવાયએસપી રીમા મુન્શીના સ્થાને બદલી કરવામાં આવી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આણંદના ખંભાતમાં થયેલી ઘટના અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે રાજ્ય સરકાર આવી કોઈ ઘટના સાંખી લેશે નહીં અને કડક હાથે કામ લેવામાં આવશે. ગૃહ મંત્રીએ સમગ્ર ઘટનાની વિગતો મેળવી છે એટલું જ નહીં રાજ્યના પોલીસ મહાનિદેશક પણ ખંભાત પહોંચ્યા છે રાજ્ય સરકાર આવી ઘટનાઓને મક્કમ હાથે ડામી દેવા કટિબદ્ધ છે. ભવિષ્યમાં પણ આવી કોઈ ઘટના ન બને તે માટે ગૃહ વિભાગ અને પોલીસ તંત્રને સૂચનાઓ આપી છે

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *