ખંભાત તોફાન મામલે 102ની ધરપકડ, વોન્ટેડને પકડી પાડવા 5 ટીમ મેદાનમાં

HM News
2 Min Read

 અફવા ફેલાવતાં તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે : DySP 

 

– આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં થયેલા કોમી તોફાનો બાદ ખંભાત નગરનું જનજીવન હવે થાળે પડી રહ્યું છે. ત્યારે તોફાનો સંદર્ભે દાખલ કરવામાં આવેલ અલગ અલગ ગુનાઓ સંદર્ભે પોલીસ દ્વારા કુલ ૧૦૨ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હોવાનું ખંભાતના ડીવાયએસપી ભારતીબેન પંડ્યાએ જણાવ્યું હતું.

ખંભાત શહેર ખાતે શુક્રવારે યોજાયેલી એક પત્રકાર પરિષદમાં માહિતી આપતા ખંભાતના ડીવાયએસપી ભારતીબેન પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે, ખંભાતમાં જે કોમી તોફાનો થયા છે. તે સંદર્ભે અલગ અલગ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. અને અત્યાર સુધી તોફાનોમાં સંડોવાયેલા 102 આરોપીઓને ઝડપી પાડીને જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. તેની સાથે સાથે ફરાર થઈ ગયેલા તોફાનીઓને પણ ઝડપી પાડવા માટે ટેકનિકલ સર્વેલન્સની ટીમની મદદથી તપાસ હાથ ધરાઈ છે. આ ઉપરાંત આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક અજીત રજિયાન ધ્વારા ખંભાતના તોફાનોમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે જુદી જુદી પાંચ ટીમ બનાવવામાં આવી છે.

તોફાનમાં કુલ 23ને ઈજા, 9 પોલીસ ઘાયલ

ખંભાતના તોફાનો દરમિયાન ૨૩ વ્યક્તિઓને ઇજા થઇ છે. તેમજ 9 પોલીસ જવાનો પણ ઇજા પામેલ છે. એક પોલીસ જવાનને ટોળાએ ઘેરી લઈ માર મારતા તેઓની હાલત ગંભીર છે. બીજી તરફ ખંભાત શહેર થાળે પડી રહ્યું છે. ત્યારે સોશિયલ મીડિયા સહિત અન્ય માધ્યમો દ્વારા અફવા ફેલાવતાં તત્ત્વો વિરૂદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવનાર છે. સાથે સાથે પોલીસે ઘરબાર છોડીને જતા રહેલા ખંભાતવાસીઓના પુનર્વસન માટે તેઓની સાથે વાતચીત કરીને આ લોકો પરત ફરે તે દિશામાં પણ કાર્યવાહી હાથ ધરી છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *