ખનિજચોરીનો દંડ વસૂલવામાં ઢીલાશ, રૂા.19 અબજની વસૂલાત બાકી

HM News
2 Min Read

– ખાણ-ખનિજ વિભાગ ખનીજ માફિયાઓ પર મહેરબાન…
– એક વર્ષમાં ખનીજ માફિયાઓ પાસેથી રૂા.888.23 લાખની વસૂલાત કરી ખાણ ખનિજ વિભાગે સંતોષ માન્યો

અમદાવાદ : ગુજરાતમાં રેતી સહિત અન્ય ખનિજની ચોરી કરી ખનિજ માફિયાઓ બેફામ બન્યા છે.ખનિજની ચોરીના કેસોમાં ય નોધપાત્ર વધારો થઇ રહ્યો છે.ખાણ ખનિજ વિભાગ ખનિજ ચોરીના કેસો કરી દંડ ફટકારે છે જેનો આંકડો કરોડોમાં છે પણ દંડ વસૂલવામાં કોણ જાણે કેમ ઢિલાશ દાખવવામાં આવી રહી છે.ગુજરાતમાં ખનિજ માફિયાઓ પાસેથી ખનિજ ચોરીના દેડ પેટે રૂા.૧૮૯૪૧૨ લાખ વસૂલવાના બાકી છે.
રાજ્યમાં એકેય જિલ્લો એવો નહી હોય જયાં ખનિજ માફિયાઓ ખનિજની ચોરી કરતાં ન હોય.કચ્છ અને પોરબંદરમાં ખનિજચોરીના દંડ પેટેની રકમ વસૂલવાની બાકી છે.વર્ષ ૨૦૨૧માં પોરબંદરમાં રૂા.૪૬૩૦૨ લાખ અને કચ્છમાં રૂા.૪૬૭૪૮ લાખ દંડ બાકી છે.વર્ષ ૨૦૨૦માં આખાય રાજ્યમાં ખનીજચોરીના દંડ પેટે રૂા.૧૯૦૩૦૦ લાખ વસૂલવાના બાકી હતી.વર્ષ ૨૦૨૧માં રૂા.૧૮૯૪૧૨ લાખની વસૂલાત બાકી છે. રાજ્ય ખાણ ખનિજ વિભાગ ખનિજ માફિયાઓ પર એટલો ઓળઘોળ છેકે,કરોડોનો દંડ બાકી હોવા છતાંય વસૂલાતમાં ઢીલુ વલણ દાખવવામાં આવી રહ્યુ છે.કોઇ સિધ્ધી હાંસલ કરી હોય તેમ ખાણ ખનિજ વિભાગે એક વર્ષમાં માત્ર રૂા.૮૮૮.૨૩ લાખ દંડ વસૂલ્યો છે.

ગુજરાતમાં સુરેન્દ્રનગર,વલસાડ,ગીર સોમનાથ,વડોદરા,છોટા ઉદેપુર,અમરેલી,ભાવનગર,ભરૂચ,નર્મદા,મોરબી જિલ્લામાં ખનિજચોરીના એટલા કિસ્સા નોંધાયા છેકે,કરોડોનો દંડ ફટકારાયો છે.આ જિલ્લાઓમાં ૨ હજાર લાખ કરતાં વધુ દંડ વસૂલવાનો બાકી છે તેમ છતાંય ખાણ ખનિજ વિભાગ કડકાઇ દાખવતુ નથી.આ એજ દર્શાવે છેકે,ભ્રષ્ટ અધિકારીઓના પાપે સરકારી તિજોરીને નુકશાન પહોંચી રહ્યુ છેને,ખનિજ માફિયાઓને બખ્ખા છે કેમકે,દંડ ય ભરવાનો નહીં,ને ખુલ્લેઆમ ખનિજની ચોરી ય કરવાની.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *