By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ખાદ્યતેલ પર ભારતે હવે ઈમ્પોર્ટ ડ્યૂટી વધારવી જોઈએ : SEA
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Business > ખાદ્યતેલ પર ભારતે હવે ઈમ્પોર્ટ ડ્યૂટી વધારવી જોઈએ : SEA
BusinessGeneralNational

ખાદ્યતેલ પર ભારતે હવે ઈમ્પોર્ટ ડ્યૂટી વધારવી જોઈએ : SEA

HM News
Last updated: 26/05/2020 6:24 AM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હી : ખાદ્યતેલ વ્યાપાર સંગઠન SEAએ સોમવારે કહ્યું હતું કે મલેશિયા અને ઈન્ડોનેશિયા સાથે ભારતે 2010માં કરેલા કરાર પૂરા થઈ રહ્યા છે ત્યારે ભારતે હવે સોયાબીન,સૂર્યમૂખી અને ક્રૂડ પામ ઓઈલ પર કસ્ટમ્સ ડ્યૂટી વધારવી જોઈએ જેથી સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન મળે.સોલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (SEA)એ આ ઉપરાંત સરકાર સમક્ષ માગણી કરી છે કે રિફાઈન્ડ પામ ઓઈલ (પામોલીન)ની આયાત પર પ્રતિબંધ મૂકી દેવો જોઈએ.

એસોસિએશને કહ્યું હતું કે આ કેટલાક ટૂંકા ગાળાના પગલાં સૂચવવામાં આવ્યા છે,જેનાથી ભારત ખાદ્યતેલ મામલે આત્મનિર્ભર બની શકશે. એસોસિએશનના પ્રેસિડેન્ટ અતુલ ચતુર્વેદીએ કહ્યું હતું કે કોઈપણ દેશને તેના ખાદ્યતેલના 70 ટકા વપરાશની આયાત થાય તે પરવડે નહીં.પ્રાથમિકતાના ધોરણે આ સ્થિતિ સુધારવી જરૂરી છે.તેમણે કહ્યું હતું કે ખાદ્યતેલ પર છેલ્લાં અનેક વર્ષોથી ઓછી આયાત ડ્યૂટીને કારણે આપણા ખેડૂતો તેલિબિયાની ખેતી જ બંધ કરવા લાગ્યા છે.તેલિબિયા ઉત્પાદન ઘટી રહ્યું છે,પરંતુ વપરાશ ખાસ્સો વધી ગયો છે.વપરાશ વાર્ષિક 3-4 ટકાના દરે વધી રહ્ય છે.

ભારતે મલેશિયા અને ઈન્ડોનેશિયા સાથે 2010માં કરાર કર્યા હતા જે અંતર્ગત ભારત ડ્યૂટી વધારી શકતું નથી.પણ સારા સમાચાર એ છે કે હવે આ કરારનો સમયગાળો પૂરો થઈ રહ્યો છે,જેથી ભારત ડ્યૂટી વધારી શકશે. SEAએ સૂચન કર્યું છે કે સરકારે સોયા અને સનફ્લાવર ઓઈલ પર આયાત ડ્યૂટી વધારીને 45 ટકા કરી દેવી જોઈએ.હાલમાં આ ડ્યૂટી 37.5 ટકા છે. ક્રૂડ પામ ઓઈલ પરની ડ્યૂટી 50 ટકા કરી દેવી જોઈએ અને પામોલીન પરની આયાત પર પ્રતિબંધ જ મૂકી દેવો જોઈએ.ચતુર્વેદીએ કહ્યું હતું કે ઉપરોક્ત પગલાં લેવાશે તો સ્થાનિક બજારમાં તેલિબિયાના ભાવ વધશે અને તો જ ખેડૂતો તેલિબિયાની ખેતી વધારશે.રિફાઈન્ડ પામ ઓઈલ પર પ્રતિબંધ મુકાશે તો ભારતીય રિફાઈનિંગ ઈન્ડસ્ટ્રીમાં અનેક નોકરીઓ બચી જશે.આ ઈન્ડસ્ટ્રીની હાલની કેપિસિટી યુટિલાઈઝેશન માત્ર 30 ટકા છે.આયાત ડ્યૂટી વધારવામાં આવશે તો તેનો બીજો એ પણ ફાયદો થશે કે રાઈસ બ્રાન, કપાસિયા અને ટ્રી બોર્ન ઓઈલસિડ્સ જેવા બિનપરંપરાગત ઓઈલ સ્રોત પણ વધશે.

SEAએ આ સાથે જ તેલિબિયા મિશન લોન્ચ કરવાની પણ માગણી કરી હતી અને આ સેક્ટરમાં ખાનગી કંપનીઓને પ્રવેશવા માટેની તરફેણ કરી હતી. એસોસિએશને આઆ સાથે જ પંજાબ અને હરિયાણામાં ખેડૂતો તેમની જમીન પર ખરીફ સિઝનમાં મકાઈ કે સૂર્યમૂખીનો પાક લે અને રવિ સિઝનમાં સરસવનો પાક લે તે માટે પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારોને તાકીદ કરવા પણ સૂચન કર્યું છે.તેમણે કહ્યું કે આ રાજ્યોમાં ઘઉં-ચોખાની સાઈકલ હવે તૂટવી જોઈએ અને 25 ટકા જમીન પર અન્ય પાક ઊગાડવા જોઈએ.કારણ કે ઘઉં-ચોખાનું ઉત્પાદન વધુ પડતું થાય છે, જ્યારે તેલના મામલે આપણે આયાત કરવી પડે છે.તેમણે ઉમેર્યું કે ખેડૂતોને સારા ભાવ મળે તેનું ધ્યાન રાખવું જોઈએ અને તેમને આ પ્રકારની ડાઈવર્સિફાઈડ ખેતી માટે પ્રોત્સાહન આપવું જોઈએ.આ માટે ખાનગી ક્ષેત્રની મદદ લેવી જોઈએ.તેમણે કહ્યું કે વિશ્વના અન્ય દેશોની જેમ આપણે ત્યાં પામને પ્લાન્ટેશન ક્રોપ તરીકે ગણવામાં નથી આવતું,જે દુર્ભાગ્યની વાત છે. તેને કારણે ખાનગી કંપનીઓ તેનું પ્લાન્ટેશન કરી શકતી નથી.

ભારત સરકારના સ્ટડી અનુસાર દેશમાં 20 લાખ હેક્ટર જમીન પર પામ કલ્ટિવેશન(ખેતી)ની સંભાવના રહેલી છે. તેની સામે માત્ર 3 લાખ હેક્ટર જમીન પર જ તેની ખેતી થાય છે.આ ક્ષેત્રે વ્યાપક તક રહેલી છે.પામ ઓઈલનો પાક હેક્ટર દીઠ 4 ટનનો થાય છે,જે તમામ તેલિબિયામાં સૌથી વધારે છે. વળી,તેના કારણે આપણી આયાત પણ ઘટશે. ભારતમાં પામ ઓઈલ ઉત્પાદનની 80 લાખ ટનની ક્ષમતા છે,જેની સામે હાલમાં માત્ર 2.5 લાખ ટન પામ ઓઈલનું ઉત્પાદન થાય છે.આવતા ચાર વર્ષ સુધી દર વર્ષે ઓછામાં ઓછા 10 લાખ હેક્ટર વિસ્તારમાં પામની ખેતીનો લક્ષ્‍યાંક નક્કી કરવો જોઈએ તેમ તેમણે કહ્યું હતું.

ઈઝરાઈલમાં નવા 5 કેસ સાથે સંક્ર્મીતોની સંખ્યા 16,717 થઇ, શાળાઓ ખોલવામાં આવી
કુદરતી આપત્તિ સામે લોકોને સુરક્ષિત રાખવા દેશભરમાં આપદા મિત્ર બનાવાશે, કોમન એલર્ટ પ્રોટોકોલ અમલમાં લવાશે : અમિતભાઈ શાહ
મમતા બેનર્જીના ભત્રીજાને થપ્પડ મારનારા ભાજપના નેતાનું મૃત્યુ, પરિવારે લગાવ્યો હત્યાનો આરોપ
અમરોલીમાં જુની બિમારીથી કંટાળીને પ્રૌઢ મહિલાનો આપઘાત
SGSTના નાયબ કમિશનર અને પરિવારના બેંક એકાઉન્ટસ, લોકર અને મિલકતોની તપાસ
Share This Article
Facebook Email Print
Previous Article ભારતમાં કોરોના બન્યો ગાંડોતૂર: ૨૪ કલાકમાં ૬૫૩૫ નવા કેસ, ૧૪૬ના મોત
Next Article કોટન યાર્ન ઈન્ડસ્ટ્રીની આવક અને નફો તથા માર્જિનમાં ઘટાડો થશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up