સ્કૂલ ફી ઘટાડાને લઈને સરકારની મીટિંગનો દૌર પૂર્ણ થયો છે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી છે કે ખાનગી શાળા હવે 25 ટકા ઓછી ફિ વસુલશે,અને શિક્ષકોને છુટા નહીં કરી શકે,સરકારના આ નિર્ણયથી વાલી મંડળોમાં નિરાશા ફેલાઇ છે
સ્કૂલ ફી ઘટાડાને લઈને સરકારની મીટિંગનો દૌર પૂર્ણ થયો છે અને હવે કોઈ પણ મીટિંગ નહી બોલાવાય.આવતીકાલે બુધવારે ગાંધીનગરમાં સરકારની કેબિનેટ મીટિંગ મળશે જેમા ફી ઘટાડા મુદ્દે ચર્ચા થશે અને ત્યારબાદ સરકાર નિર્ણય જાહેર કરશે.બીજી બાજુ વાલી મંડળોમાં ફી ઘટાડા મુદ્દે વિખવાદ ઉભો થયો છે.વાલી મંડળોમાં આમ તો ૫૦ ટકા ફી ઘટાડાની માંગ ચાલી રહી છે.
હાઈકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારે ફી ઘટાડા મુદ્દે પોતાની રીતે નિર્ણય લેવા પ્રક્રિયા શરૃ કરતા સૌપ્રથમ ગુજરાત બોર્ડ સંલગ્ન સ્કૂલોના સંચાલકોની મીટિંગ બોલાવી હતી.ત્યારબાદ વાલી મંડળોની મીટિંગ બોલાવી હતી.સંચાલકો સાથે એક જ વાર મીટિંગ કરાઈ હતી.જેમાં સંચાલકો ૨૫ ટકા ફી ઘટાડા મુદ્દે સહમત થઈ ગયા છે.જ્યારે વાલી મંડળોમાં મત મતાંતર હોવાથી પ્રથમ બેઠક બાદ આજે બીજી બેઠક બોલાવાઈ હતી.આજે સાંજે શિક્ષણમંત્રી સાથે વાલી મંડળોની બીજી મીટિંગ હતી.પરંતુ આ મીટિંગ બાદ મંડળો વચ્ચે આંતરિક વિખવાદ સામે આવ્યો હતો.વાલી મંડળોમાંથી એક વાલી મંડળના સભ્યએ બીજા વાલી મંડળના સભ્ય સામે સરકાર સાથે સેટિંગનો આક્ષેપ કર્યો છે. આજે મીટિંગ બાદ વાલી મંડળના બે ગુ્રપ સામે સામે આવી ગયા હતા અને બંને ગુ્રપના સભ્યો વચ્ચે બોલાચાલી થઈ હતી.સચિવાલયમાં જ બંને ગુ્રપો વચ્ચે ભારે માથાકુટ થઈ હતી અને એક બીજાની સામે ફી ઘટાડવા મુદ્દે આક્ષેપ પ્રતિ આક્ષેપો શરૃ કરી દીધા હતા.
દરમિયાન પોલીસે વચ્ચે પડી બને ગુ્રપના છુટા પાડયા હતા.એક વાલી મંડળે બીજા વાલી મંડળના પ્રતિનિધિ સામે આક્ષેપ કર્યો હતો કે સરકાર સાથે ફી ઘટાડા મુદ્દે સેટિંગ કરી લીધુ છે અને સરકારની હામાં હા મિલાવીને ૧૦ ટકા ઘટાડા માટે પણ તૈયારી બતાવી દીધી છે.ભાજપનો ખેસ પહેરવો હોય ભાજપ સરકાર સાથે સેટિંગ કરી લીધાનો આરોપ કરતા ભારે વિખવાદ થયો હતો.મહત્વનું છે કે ગાંધીનગરમાં જ સ્વર્ણીમ સંકુલ બહાર વાલી મંડળો જ્યારે આ રીતે અંદરો અંદર ઝઘડતા હોય તો ખરેખર ફી ઘટાડાની આશ રાખીને બેઠેલા લાખો વાલીઓની સાચી પીડા અને અવાજ સરકાર સુધી પહોંચ્યા હશે ખરા ? બની બેઠેલા વાલી મંડળો અને તેમના પ્રમુખો વાલીઓના નામે પોતાના રોટલા શેકે છે ત્યારે સરકારે પણ ફી ઘટાડાને લઈને ગંભીરતા દાખવી પોતાની રીતે સર્વે કરાવવો જોઈએ. અગાઉ શિક્ષણમંત્રીએ જ તમામ જિલ્લામાંથી વિવિધ ક્ષેત્રમાં જોડાયેલા હોય અને સાચા અર્થમા વાલી હોય તેવા લોકોના ગુ્રપ બનાવી મીટિંગો કરવાની ત્યારબાદ નિર્ણય લેવાનુ જણાવ્યુ હતું.જો કે આવુ કંઈ જ સરકારે કર્યુ નથી.આજની વાલી મંડળોની મીટિંગ બાદ શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે સંચાલકો ૨૫ ટકા ઘટાડા માટે સહમત થઈ ગયા છે.હવે કોઈ મીટિંગ બોલાવાની નથી.આવતીકાલે બુધવારે કેબિનેટ બેઠક મળશ.જેમા આ બાબત મુકાશે અને ત્યારબાદ નિર્ણય લેવાશે.