By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ખુદ BJPના MLAએ સરકારને ઉઘાડી પાડી, કહ્યું- ઑક્સિજનના અભાવે થયા અનેક લોકોના મોત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ખુદ BJPના MLAએ સરકારને ઉઘાડી પાડી, કહ્યું- ઑક્સિજનના અભાવે થયા અનેક લોકોના મોત
GeneralNationalPolitics

ખુદ BJPના MLAએ સરકારને ઉઘાડી પાડી, કહ્યું- ઑક્સિજનના અભાવે થયા અનેક લોકોના મોત

HM News
Last updated: 26/07/2021 8:56 AM
HM News
4 years ago
Share
SHARE

ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લાના ગોપામઉથી બીજેપી ધારાસભ્ય શ્યામ પ્રકાશે એકવાર ફરી સોશિયલ મીડિયા પર એક કમેન્ટ કરીને પોતાની જ સરકારને ઘેરી છે.રવિવારના તેમણે પોતાની ફેસબુક પોસ્ટ પર કોમેન્ટ લખી કે તમે સત્ય બોલ્યું છે. હું તમારી સાથે સંમત છું.ઑક્સિજનની તંગીથી અનેક લોકો તડપી-તડપીને મર્યા.તેમણે આગળ કહ્યું કે, ધારાસભ્ય રાજકુમાર અગ્રવાલ સહિત લાખો લોકોનું દર્દ કોઈને નથી જોવા મળતું.

જણાવી દઈએ કે હાલમાં જ કેન્દ્ર સરકારે રાજ્યોના આંકડાના આધારે જણાવ્યું હતું કે દેશમાં બીજી લહેર દરમિયાન કોઈનું પણ ઑક્સિજનની તંગીના કારણે મોત નથી થયું.ત્યારબાદ સોશિયલ મીડિયા પર સરકારના નિવેદનની ટીકા પણ થઈ હતી.બીજેપી ધારાસભ્ય શ્યામ પ્રકાશ સોશિયલ મીડિયા પર પોતાની બેબાક ટિપ્પણીઓને લઈને જાણીતા છે.તેમણે હાલમાં જ કૉમેન્ટમાં સરકારી દાવાને જૂઠા ગણાવતા પોતાની વાત સોશિયલ મીડિયા દ્વારા પોસ્ટ કરી હતી.

જો કે ખુદ તેમણે આ પોસ્ટ પર કોમેન્ટને લઈને કેમેરા સામે નિવેદન આપવાથી ઇનકાર કર્યો, પરંતુ સપાએ બીજેપી ધારાસભ્યની આ કૉમેન્ટને લઈને સરકાર પર પ્રહાર કર્યો.તેમની આ પોસ્ટ બાદ સપાના જિલ્લાધ્યક્ષ જીતેન્દ્ર વર્મા ‘જીતૂ’એ કેન્દ્ર સરકારને ઘેરતા કહ્યું કે, હવે બીજેપીના ધારાસભ્ય જ પોતાની કેન્દ્ર સરકારની નીયત પર પ્રશ્ન ઊઠાવી રહ્યા છે.તેમણે કહ્યું કે, ‘કેન્દ્ર સરકારનું સદનમાં આપવામાં આવેલું નિવેદન શરમજનક છે, કે કોરોના કાળમાં ઑક્સિજનના અભાવે કોઈનું પણ મોત નથી થયું.પોલ એનાથી જ ખુલી જાય છે કે બીજેપીના નેતા અને ધારાસભ્ય ખુદ કેન્દ્ર સરકારની નીયત પર પ્રશ્ન ઊઠાવી રહ્યા છે.

તેઓ ખુદ કહી રહ્યા છે કે ઑક્સિજનની તંગીથી દેશ-પ્રદેશમાં મોત થયા છે.તેમણે સ્વીકાર્યું છે કે તેમની સરકારમાં ઑક્સિજનની તંગીથી હજારો મોત થયા છે.બીજા કેટલાક ધારાસભ્યો કહી રહ્યા છે કે લાખો મોત થયા છે.સંડીલાના ધારાસભ્ય ખુદ કહી રહ્યા છે કે, મારા પુત્રનું મોત થયું છે, જેનું કારણ ઑક્સિજનો અભાવ હતું.’

ભોજનમાં કેટલી કેલરી અને પ્રોટીન જરૂરી છે? દેશની જનતા માટે નવી ફૂડ ગાઈડલાઈન જાહેર કરાશે
કોરોના વાયરસની ભારતમાં એક-બે સેક્ટરો પર જ અસર થશે : આરબીઆઇ ગવર્નર
રાંદેર સિંગણપુર વચ્ચેનો કોઝવે ઓવરફ્લો થતાં વાહન વ્યવહાર બંધ કરાયો
અયોધ્યા વિવાદમાં CJI બોબડે શાહરુખ ખાનને મધયસ્થીકાર બનાવવા માંગતા હતા, પણ…
ગુજરાતના ચીફ સેક્રટેરી પદ માટે ત્રણ દાવેદારો, પ્રથમ ક્રમે દિલ્હી ડેપ્યુટેશન પર ગયેલા ગુરૂપ્રસાદ મહાપાત્ર
Share This Article
Facebook Email Print
Previous Article રાજના કારનામાથી પત્ની શિલ્પા શેટ્ટીની ઇજ્જતના ચિથરાં ઊડી ગયા
Next Article સુરતમાં 26 વર્ષની CA પંછીલાના આપઘાત કેસમાં 3 લોકોની ધરપકડ, જાણો યુવતીને કેવી રીતે કરતા હતા પરેશાન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up