બે વર્ષ પહેલા એટલે કે 5 ઑગષ્ટ 2019ના જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખત્મ કરવાની જાહેરાત થઈ હતી,પરંતુ સરકારે આ પગલાની વચ્ચે રાજ્યસભામાં વધુ એક નિર્ણય લીધો હતો.એ દરમિયાન કૉંગ્રેસના વ્હિપ ભુવનેશ્વર કલિતા અને સમાજવાદી પાર્ટીના 2 રાજ્યસભા સાંસદો સુરેન્દ્ર સિંહ નાગર અને સંજય સેઠે રાજીનામું આપ્યું હતું.કહેવામાં આવી રહ્યું છે કે સત્તાધારી પક્ષના કારણે આ ફેરબદલ થયો હતો.આના કેટલાક મહિના બાદ બીજેપીએ કલિતાને ફરી રાજ્યસભામાં પહોંચાડી દીધા.
રિપોર્ટ પ્રમાણે ત્યારે ખબર નહોતી કે, કલિતા અને સપાના સુરેન્દ્ર સિંહ નાગર અને સંજય સેઠનું રાજીનામું આપવું ભારતીય જનતા પાર્ટીની યોજનાનો ભાગ હતું,જેના દ્વારા પાર્ટી ગૃહમાં સાવધાનીપૂર્વક પોતાની યોજના પૂર્ણ કરવા ઇચ્છતી હતી.રિપોર્ટ પ્રમાણે હવે એ વાત સામે આવી રહી છે કે 5 ઑગષ્ટની જાહેરાતથી પહેલા રાજ્યસભાના ત્રણ સભ્યો સાથે સત્તાધારી પક્ષે સંપર્ક સાધ્યો હતો.રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે, આસામના એક રાજનેતા તરફથી ચલાવવામાં આવેલા વાહનમાં ટોચના અધિકારીએ કલિતાના નવી દિલ્હી સ્થિત આવાસની મુલાકાત લીધી હતી.
જમ્મુ-કાશ્મીર પર જાહેરાતથી પહેલા કલિતાને કૉંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ કરવા માટે આ પગલું ઉઠાવવામાં આવ્યું હતું.સૂત્રો પ્રમાણે જણાવવામાં આવ્યું કે, આ એટલું ગુપ્ત અને ઝડપથી થયું કે કલિતા પણ ચોંકી ગયા હતા.ત્યારબાદ પ્લાન બી તરીકે બીજેપીએ આ મામલે કલિતાના સંબંધીઓને પણ સામેલ કરી લીધા હતા.તેમને મનાવવા માટે સંબંધીઓને દિલ્હી બોલાવવામાં આવ્યા. જો કે વ્હિપની સહમતિના કારણે આ વિકલ્પનો ઉપયોગ કરવાની જરૂર ના પડી.
બંધારણીય સુધારા બિલને બંને ગૃહમાં પાસ કરાવવા માટે વિશેષ બહુમતની જરૂર હોય છે.તો કૉંગ્રેસના પ્રમુખ વ્હિપ તરીકે કલિતાને પાર્ટી સભ્યો માટે વ્હિપ જારી કરવાનો હતો,જેથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તરફથી કરવામાં આવેલી જાહેરાત પર મતદાન કરવામાં આવી શકે. આંકડાઓ પ્રમાણે સ્થિતિને સુનિશ્ચિત કરવા માટે સત્તાધારી પાર્ટી દ્વારા વિપક્ષના કેટલાક સભ્યો સાથે સંપર્ક સાધવામાં આવ્યો. રિપોર્ટ પ્રમાણે, કૉંગ્રેસ નેતાઓએ એ સ્પષ્ટ કરી દીધું હતું કે, જો કલિતાએ વ્હિપ જાહેર કરી દીધો તો તેઓ વધારે કંઈ કરી શકશે નહીં.વ્હિપનું ઉલ્લંઘન કરવા પર તેમની સદસ્યતા સમાપ્ત થઈ જાત.
5 ઑગષ્ટના ગૃહની શરૂઆત બાદ અધ્યક્ષે કલિતાના રાજીનામાની જાહેરાત કરી. સદનને આ રાજીનામું સવારે પ્રાપ્ત થયું હતું અને બાદમાં આને લઈને પૂછપરછ થઈ અને તેમની હેન્ડ રાઇટિંગની તપાસ થઈ.પાર્ટી સદસ્યના આ નિર્ણયથી કૉંગ્રેસ પણ ચોંકી ગઈ હતી. 5 ઑગષ્ટ 2019ના રાજીનામું આપ્યા બાદ કલિતાએ કહ્યું હતું કે, ‘આ મુદ્દાના કારણે હું પણ આનું સમર્થન કરતો રહ્યો છું. આપણે પણ એક ધ્વજ અને એક સંવિધાન સાથે રાષ્ટ્ર બનવું જોઇએ.આ કોઈ નહોતુ કરી શક્યું અને જ્યારે આ સરકાર કલમ 370ને રદ્દ કરવાનું બિલ લઈને આવી, તો મેં વિચાર્યું કે મારે આ બિલનું સમર્થન કરવું જોઇએ. મેં પાર્ટીમાં મારા કેટલાક સાથીઓ સાથે વાત કરી અને મેં તેમને જણાવ્યું કે આ એક મહત્વનો મુદ્દો છે અને કૉંગ્રેસને સંસદીય દળ અથવા વર્કિંગ કમિટીમાં આના પર વાત કરવી જોઇએ અને બિલનું સમર્થન કરવાનો નિર્ણય લેવો જોઇએ,પરંતુ આવું કંઈ ના થયું.બિલ પાસ થવા સુધી ના CWC અને ના સંસદીય દળે આ મુદ્દા પર ચર્ચા કરી.’