By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ખુશ ખબર : રાજ્ય સરકાર હવે લઘુતમ ટેકાના ભાવથી ખેડૂતો પાસેથી કરશે સીધી ખરીદી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > ખુશ ખબર : રાજ્ય સરકાર હવે લઘુતમ ટેકાના ભાવથી ખેડૂતો પાસેથી કરશે સીધી ખરીદી
GandhinagarGeneral

ખુશ ખબર : રાજ્ય સરકાર હવે લઘુતમ ટેકાના ભાવથી ખેડૂતો પાસેથી કરશે સીધી ખરીદી

HM News
Last updated: 29/09/2022 11:57 AM
HM News
3 years ago
Share
SHARE

– ખરીફ માર્કેટિંગ સીઝન 2022-23 અંતર્ગત ડાંગર,મકાઇ અને બાજરીની ખરીદી કરાશે
– લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોએ ઓનલાઇન નોંધણી કરાવાની રહેશે

તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવથી ડાંગર,મકાઇ અને બાજરીની ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરવામાં આવનાર છે.પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ખરીફ માર્કેટિંગ સીઝન 2022-23 અંતર્ગત ડાંગર,મકાઇ અને બાજરીની ખરીદી આગામી તા 17 ઓક્ટોમ્બર થી 31 ડિસેમ્બર, 2022 દરમિયાન આ ખરીદી કરવામાં આવશે. જે અંતર્ગત ડાંગર માટે 98, મકાઇ માટે 67 અને બાજરી માટે 89 જેટલા ગુ.રા ના પુ.નિ.લી.ના ખરીદ કેન્દ્રો ખાતે કરવામાં આવનાર છે.

ભારત સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવ ડાંગર (કોમન) માટે રૂ.2040 /- પ્રતિ ક્વિન્ટલ, ડાંગર (ગ્રેડ-એ) માટે 2000 પ્રતિ ક્વિન્ટલ,મકાઇ માટે રૂા.1962 /- પ્રતિ ક્વિન્ટલ અને બાજરી માટે રૂા.2350 /- પ્રતિ ક્વિન્ટલ નિયત કરેલ છે.લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિકે ગ્રામ્ય કક્ષાએ VCE દ્રારા તા.01/10/2022 થી શરૂ થશે.જે તા. 31/10/2022 સુધી ચાલુ રહેશે.જે મુજબ નોંધણી કરાવવા તમામ ખેડૂતોને સરકાર દ્વારા જાણ કરવામાં આવી છે.નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ,અદ્યતન 7-12, 8-અ ની નકલ. નમુના 12માં પાક વાવણી અંગે એન્ટ્રી ના થઇ હોય તો પાક વાવ્યા અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો,ખેડુતના બેન્ક એકાઉન્ટની પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ (IFSC કોડ સહિતનો) સાથે લાવવાના રહેશે.ખેડૂતોને તેમનો જથ્થો સાફસૂફ તથા ચારણો કરી તેમજ તેમાં ભેજનું પ્રમાણ નિયત મર્યાદામાં રહે તે માટે જરૂરી જણાયે તડકામાં સુકવી ખરીદ કેન્દ્ર ખાતે લાવવાનો રહેશે.જેથી ખેડૂતોનો જથ્થો અસ્વીકૃત ન થાય.

ઉલ્લેખનીય છે કે રજીસ્ટ્રેશન બાબતે કોઇ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન નંબર 85111 71718 તથા 85111 71719 ઉપર સંપર્ક કરવાનો રહેશે.રજીસ્ટ્રેશન તેમજ ખરીદકેન્દ્ર ખાતે બારદાન અંગેનો કોઈ ખર્ચ કેતે ભોગવવાનો રહેતો નથી.

નવા વાઇરસના ચેપનો ભોગ બનેલા વૃદ્ધોમાં મૃત્યુની શક્યતા સૌથી વધુ : અભ્યાસ
મંત્રીઓના અંગત મદદનીશ અને સચિવો બાદ હવે બંગલાની ફાળવણી પૂર્ણ, 23 નંબરનો બંગલો કોણે મળશે ?
મુસલમાન છું અને ભારતમાં સુરક્ષિત છું : અદનામ સામી
દુનિયાભરમાં કોરોના વાઈરસ ફેલાવવા ચીનની માસ માર્કેટ નહીં પણ લેબ જ જવાબદાર
વલસાડના પત્રકાર સામે ગુનો દાખલ થવા મામલે સુરત જિલ્લા પત્રકાર સંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન
Share This Article
Facebook Email Print
Previous Article ભરૂચમાં કલ્પસર અને મત્સ્યવિભાગના અધિકારીઓ વિરુદ્ધ ગંભીર આરોપ સાથે કલેક્ટરને આવેદનપત્ર અપાયું
Next Article રાજકોટના રાજવી પેલેસમાં રાજપૂત બહેનોએ ચાલુ બાઈકે તલવાર રાસ સાથે દિલધડક કરતબો કર્યા : જુઓ વિડિઓ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up