By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ખેડૂતોએ સરકારનો પ્રસ્તાવ ઠુકરાવ્યો : ત્રણેય કાયદાઓ પરત ખેંચવાની માગ પર અડગ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ખેડૂતોએ સરકારનો પ્રસ્તાવ ઠુકરાવ્યો : ત્રણેય કાયદાઓ પરત ખેંચવાની માગ પર અડગ
GeneralNational

ખેડૂતોએ સરકારનો પ્રસ્તાવ ઠુકરાવ્યો : ત્રણેય કાયદાઓ પરત ખેંચવાની માગ પર અડગ

HM News
Last updated: 24/12/2020 5:41 AM
HM News
5 years ago
Share
SHARE

કૃષિ કાયદાઓ વિરુદ્ધ ખેડૂતો દ્વારા કરવામાં આવતા આંદોલનનો આજે 28 નો દિવસ છે.આ આંદોલનને બંધ કરવા માટે સરકાર દ્વારા વધુ એક વાર વાતચીતનો પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો.જેને ખેડૂતો દ્વારા નકારી દેવામાં આવ્યો છે.

ખેડૂત સંગઠન દ્વારા કહેવામાં આવ્યું હતું કે,અમારે કૃષિ કાયદામાં ફેરફાર વિષે કોઈ જ વાતચીત કરવી નથી,પરંતુ અમારે કૃષિ કાયદા જ નથી જોતા.સિંધુ બોર્ડર ઉપર આજે સરકારના પ્રસ્તાવ ઉપર ચર્ચા કરવા માટે ખેડૂત સંગઠન દ્વારા એક બેઠક બોલાવવામાં આવી હતી.બેઠક બાદ ખેડૂત સંગઠન નિર્ણય કર્યો હતો કે,સરકાર જે ત્રણ નવા કૃષિ કાયદા લાવી છે તેમાં કોઈપણ પ્રકારનો બદલાવ નહીં પરંતુ કાયદા જ જોતા નથી.ખેડૂતોનું કહેવું હતું કે,એમએસપીને લઈને જે સરકાર તરફથી પ્રસ્તાવ આવ્યો છે તેમાં પણ કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી.

ખેડૂત સંગઠનો એ વાત કરતાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા મોકલવામાં આવેલો પ્રસ્તાવ હાસ્યાસ્પદ છે.તેના પર જવાબ દેવો યોગ્ય લાગતો નથી.અમે જવાબ દેવા તૈયાર છીએ પરંતુ સરકાર કોઈ યોગ્ય પ્રસ્તાવ મોકલે અને અસરકારક માંગ કરવા માટે પરિણામ લક્ષી વાત કરવા માટે તૈયાર હોય તો જ.જ્યારે સરકાર અમને યોગ્ય પ્રસ્તાવ મોકલશે ત્યારે તે એજન્ડા બનાવી અને અમે સરકાર સાથે વાતચીત કરીશું.સ્વરાજ ઇન્ડિયાના યોગેન્દ્ર યાદવે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે યુનાઇટેડ ફાર્મ્સ ફ્રન્ટ દ્વારા આજે સરકારને પ્રસ્તાવ લખાયેલો છે જેમાં કહેવામાં આવ્યું છે કે સરકાર દ્વારા યુનાઇટેડ ફાર્મ ફ્રન્ટ દ્વારા પહેલાં લખાયેલા પત્ર ઉપર સવાલ ન ઉઠાવવો જોઇએ કારણ કે તે સર્વ સંમતિથી લેવાયેલો નિર્ણય હતો સરકારની નવી ચિટ્ટી ખેડૂત સંગઠનો અને બદનામ કરવા માટેની વધુ એક કોશિશ છે. તેમણે આગળ કહ્યું હતું કે અમે સરકારને આગ્રહ કરીએ છીએ કે એની સંશોધનો એટલે કે કૃષિ બિલ વિશે વાત ન કરે કારણ કે અમે એક વાર તેમાં વાતચીત કરી ચૂક્યા છીએ અને ના જણાવી ચૂક્યા છીએ આથી કોઈ યોગ્ય પ્રસ્તાવ લાવે તો જ આંદોલન અને તમારું હિત જળવાશે ખેડૂતો પોતાનુ હિત જોઈ રહયા છે અને સરકાર પોતાની ખુરશી બચાવવાની કોશિશ કરી રહી છે.ત્યારે હવે આ મામલો કઈ દિશામાં જશે તે જોવું રહ્યું.

તેંદુલકરનો રેકોર્ડ તોડનાર શેફાલી વર્માને આઈસીસીએ ગણાવી ‘સુપરસ્ટાર’
ઓનલાઈન પાર્ટનરની શોધ કરનારાની ફસામણીના કિસ્સામાં આઠગણો વધારો
૨૧૨ બિયરની બોટલો સાથે અમદાવાદ નિકોલનો પોલીસકર્મી ઝડપાતાં ચકચાર
IPLમાં એન્ટ્રી સાથે જ ચેમ્પિયન બનતું ગુજરાત ટાઈટન્સ
તાલિબાનની હેવાનિયત : અમેરીકી નાગરીકને ઉડતા હેલીકોપ્ટરમાં લટકાવ્યો
Share This Article
Facebook Email Print
Previous Article તુર્કીમાં 44000 કરોડના 99 ટન સોનાનો ભંડાર મળ્યો
Next Article ઈરાકમાં અમેરિકી દૂતાવાસ ઉપર રોકેટ વડે હુમલો : ટ્રમ્પ આગ બબુલા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up