By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ખેડૂતોની આવકમાં 10 ગણો વધારો થયો છે : કૃષિમંત્રી તોમરનો દાવો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ખેડૂતોની આવકમાં 10 ગણો વધારો થયો છે : કૃષિમંત્રી તોમરનો દાવો
GeneralNational

ખેડૂતોની આવકમાં 10 ગણો વધારો થયો છે : કૃષિમંત્રી તોમરનો દાવો

HM News
Last updated: 28/04/2022 4:29 AM
HM News
3 years ago
Share
SHARE

નવી દિલ્હી : કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર આઝાદીના અમૃત મહોત્સવ નીચે ‘કીસાન ભાગીદારી પ્રાથમિકતા હમારી’ તે અભિયાન શરૂ કરતા દેશભરના વિવિધ ભાગોના ખેડૂતો સાથે વાતચીત કરી હતી તેમણે કહ્યું કે તેમની સરકાર નીચે ખેડૂતોની આવક બમણી નહીં પરંતુ ૧૦ ગણી વધી છે તે માટે પ્રગતિશીલ ખેડૂતોનો બહુ મોટો ફાળો છે.તે ખેડૂતોએ ગામડે ગામડે જઈ અન્ય ખેડૂતોને જાગૃત કરવા જોઈએ.તોમરે ‘કીસાન ભાગીદારી પ્રાથમિકતા હમારી’ કાર્યક્રમ નીચે પાક વીમા પાઠશાળાને સંબોધતા કહ્યું હતું કે, ‘નવીનતમ ટેકનિક અને સરકારની કૃષિ સંબંધી યોજનાઓ સાથે સંકળાયેલા ખેડૂતો ખરેખર સમૃદ્ધ બની ગયા છે છેલ્લા પાંચ છ વર્ષમાં તેવા ખેડૂતોની આવક બમણી નહી પરંતુ ૧૦ ગણી વધી છે.ખેડૂતોએ કૃષિ રાજદૂત બની ગામડે ગામડે પહોંચી જાય તો ખેતીની અર્થ વ્યવસ્થા મજબૂત બની જશે.’

કેન્દ્રીય કૃષિમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂતોને તેમના ઉત્પાદનો માટે ન્યૂનતમ સમર્થન મૂલ્ય કરતા પણ વધુ ભાવ મળી રહ્યા છે ઘઉં અને સરસવના પણ વધુ ભાવ મળી રહ્યા છે. આથી ખેડૂતો ખુશ છે.’સરકારે ગ્રામીણ ક્ષેત્રમાં કૃષિ આધારભૂત સંરચનાઓ (એગ્રીકલ્ચરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર) માટે ૧ લાખ કરોડ રૂપિયા ફાળવ્યા છે તેથી અનાજ રાખવા માટે પણ વધુ સુવિધા મળી રહી છે.અન્ય સુવિધાઓ પણ વધી છે તેનો વિકાસ થઈ રહ્યો છે આ બાબતમાં બેન્કોનું યોગદાન પણ પ્રશંસનીય રહ્યું છે.નરેન્દ્રસિંહ તોમરે પ્રાકૃતિક ખેતી મિશન મોડ લાગુ કરવા ઉપર વજન મૂક્યું છે સાથે પ્રાકૃતિક ખાતર ઉપર વધુ આધાર રાખવાની ભલામણ કરતા તોમરે કહ્યું હતું કે, રાસાયણિક ખાતર માટે આપણે બીજા દેશો ઉપર આધાર રાખવો પડે તેમ છે.તેઓ તે ખાતર આપવાની ના કહે તો મુશ્કેલી ઉભી થાય તેમ છે.

કેન્દ્રીય કૃષિ મંત્રીએ કહ્યું હતું કે, સમય એક એવો પણ હતો કે દેશમાં ખાદ્યાન્નનો અભાવ હતો પરંતુ નવી ટેકનિકોના લીધે પંજાબ, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં શરૂ થયેલી હરિત ક્રાંતિને લીધે દેશમાં જરૂર કરતા અનાજ વધુ ઉત્પન્ન થાય છે અને બાગાયતના પણ વિક્રમસર્જક ઉત્પાદન થાય છે.આથી ૪ લાખ કરોડથી પણ વધુ રકમની અને ખેત પેદાશોની નિકાસ થઈ શકી છે.ખેતી સાથે પશુપાલનને પણ જોડવામાં આવ્યું છે.ખેડૂતોને શાહુકારોથી છૂટકારો આપવા માટે છેલ્લા સાત વર્ષથી દેશમાં ‘કિસાન ક્રેડિટ કાર્ડ’ અભિયાન પણ ચલાવવામાં આવ્યું છે.તે સાથે પણ પશુપાલન જોડવામાં આવ્યું છે તે યોજના નીચે ૧૫ લાખ કરોડ રૂપિયાના ધિરાણો માત્ર ૪%ના વ્યાજે જ કરવામાં આવ્યા છે.

જર્મનીથી પોર્ટેબલ ઓક્સિજન પ્લાન્ટ ઍરલિફ્ટ કરવા નિર્ણય
ગુજરાતમાં કોરોના પોઝિટિવના વધુ 3 કેસ નોંધાયા, કુલ આંક 108 થયો, 10નાં થયા મોત
શિવસેનાના વધુ 4 નારાજ ધારાસભ્યો સુરત પહોંચ્યા…3 વિશેષ વિમાનમાંથી ગુવાહાટી પહોંચ્યા..એક હજુ હોટેલમાં
3200 કરોડના બાંધકામ કામદારો ના કૌભાંડની સુનવણી 16 જુને કરાશે
દુબઈથી આંતરવસ્ત્રોમાં સોનું સંતાડીને લાવતા AAPના પૂર્વ મહિલા વોર્ડ ઉપપ્રમુખ પકડાયા
Share This Article
Facebook Email Print
Previous Article ઉર્જા મથકો પાસે માત્ર 2 જ દિવસનો કોલસો બચ્યો, મહારાષ્ટ્રએ કેન્દ્ર પર સાધ્યું નિશાન
Next Article સુનિલ જાખડ અને કે.વી. થોમસ ઉપર અનુશાસનનો દંડ પ્રહાર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up