કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હી બોર્ડર પર ચાલી રહેલ ખેડૂત આંદોલન ઉગ્ર બનતું જઈ રહ્યું છે.આંદોલનરત ખેડૂતોના સમર્થનમાં મહારાષ્ટ્રમાં ખેડૂતો ખુલીને સામે આવી રહ્યા છે.ઓલ ઇન્ડિયા ખેડૂત સભાના નેતૃત્વમાં નાસિકથી પગપાળા ચાલીને હજારો ખેડૂત મુંબઈ પહોંચ્યા છે. મુંબઈના આઝાદ મેદાન પર ખેડૂતોની મોટી રેલી બોલાવવામા આવી છે,જેને એનસીપી પ્રમુખ શરદ પવાર અને શિવસેના નેતા આદિત્ય ઠાકરે સહીત કોંગ્રેસના નેતા સંબોધિત કરશે.માનવામાં આવી રહ્યું છે કે મહારાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારમાં પોતાનો શિયાસી આધાર મજબૂત કરવા માટે રાજ્યોના ત્રણ સત્તાધારી દળો ખુલીને કિસાનોના સમર્થનમાં સામે આવ્યા છે.
ખેડૂતોના સમર્થનમાં ઉતર્યા મહારાષ્ટ્રના સત્તધારી દળ
ઓલ ઇન્ડિયા ખડૂત સભાના રાષ્ટ્રીય પ્રવક્તા અશોક ધવલે કહ્યું કે,મહારાષ્ટ્રનું આ સંમેલન કૃષિ કાયદાને ખતમ કરવા માટે દિલ્હી બોર્ડર પર ચાલી રહેલ ખેડૂત આંદોલનને સમર્થન આપવા માટે હશે.તેમણે જણાવ્યું કે આઝાદ મેદાનમાં કિસાન સભા થશે, જેમાં મહા વિકાસ અઘાડીના નેતા ભાગ લેશે. એનસીપી પ્રમુખ શરદ પવાર,રાજ્ય કોંગ્રેસ તેમજ રાજસ્વ મંત્રી બાલાસાહેબ થોરાટ અને પર્યટન મંત્રી આદિત્ય ઠાકરે સહીત વામપંથી દળોના નેતા પણ રેલીને સંબોધિત કરશે.મુંબઈમાં ભેગા થયેલા ખેડૂતોનું એક પ્રતિનિધિ મંડળ 25 જાન્યુઆરીએ રાજભવન જઈ રાજ્યપાલ ભગત સિંહ કોશયારીને આવેદન આપશે અને સાથે જ ગણતંત્ર દિવસના અવસર પર આઝાદ મેદાનમાં તિરંગો લહેરાવશે.
નાસિકથી ૧૫,૦૦૦થી વધુ ખેડૂતો મુંબઈ પહોંચ્યા
ખેડૂતોની રેલી માટે મોટી સંખ્યામાં ખેડૂતો રવિવારે સાંજે જ મુંબઈ પહોંચી ગયા છે.પોલીસે દક્ષિણ મુંબઈમાં રેલીના સ્થળ આઝાદ મેદાન ખાતે સલામતી વ્યવસ્થા સઘન બનાવી છે અને રાજ્ય અનામત પોલીસ દળના જવાનોને પણ ખડકી દીધા છે. પોલીસ ડ્રાનથી પણ રેલી પર નજર રાખશે.અખિલ ભારતીય કિસાન સભાના મહારાષ્ટ્ર એકમે જણાવ્યું હતું કે,નાસિકથી ૧૫,૦૦૦થી વધુ ખેડૂતો મુંબઈ પહોંચ્યા છે.એનસીપી વડા શરદ પવાર અને અન્ય કેટલાક અગ્રણી નેતાઓ પણ આ રેલીને સંબોધન કરશે.ઉપરાંત કાસર ઘાટ ખાતે ખેડૂતોની સાત કિ.મી. લાંબી રેલી યોજાશે.