વલસાડ, 21 મે : વલસાડ જિલ્લામાં આજે લોક ડાઉન 4.0 માં છુટ છાટ મળવાને પગલે ખાસ કરીને પાનમસાલા માવાનાં શોખીનો આજે દુકાનેઓ એ ઉમટી પડયા હતા જેમાં આજે સવારે ખોલાયેલ દુકાનોમાં દુકાનદારો એ સોશ્યલ ડીસટન્સ રાખીને ચાહકોને પાનમસાલા નું વિતરણ કર્યું હતું જો કે ઘણી જગ્યા એ સવારે લોકોની ભીડ ભેગી થતા દુકાન વહેલી તકે બંધ કરવાની નોબત આવી હતી.જયારે ઘણી દુકાનો માં લોક ડાઉનમાં માલ ન આવ્યા હોય પોતાની દુકાનો બંધ રાખી હતી,જો કે વલસાડ જીલ્લામાં 50 ટકા પાન મસાલાની દુકાનો બંધ રહેવા પામી હતી.
વલસાડ શહેરમાં આજે લોક ડાઉન 4.00 ના પગલે પાનમાવાની દુકાનો ખોલવાની સરકારે પરવાનગી આપતા માવા તબાકુનાં ચાહકો રાજી થયા હતા અને આજે વહેલી સવારથી જ લોકો માવા મસાલાની દુકાને ભીડ સ્વરૂપે જોવા મળતા હતા.જેમાં વાપી શહેરમાં આવેલ પાન મસાલાની દુકાનો માં સોશ્યલ ડીસટન્સ રાખી પાન-માવાનું વેચાણ કરી રહ્યા હતા.વાપીમાં આવેલ દુકાન સહીત દુકાનો સવારે ખુલ્લી રહી હતી.પાન મસાલાનાં શોખીનો ઉમટી પડ્યા હતા પણ દુકાનદારોએ સોશ્યલ ડીસટન્સ રાખી પાન માવાનું વેચાણ કર્યું હતું.વલસાડ શહેરમાં 50 ટકા જેટલી પાનમાવા અને તબાકુંની દુકાનો બંધ જોવા મળી હતી.
દુકાનદાર રાજુભાઈના જણાવ્યા મુજબ વિમલ મસાલા માવાની સપ્લાયરની અછત હોવાથી પૂરતા પ્રમાણમાં માલ ના મળવાથી દુકાનો બંધ કરવામાં આવી છે અંદાજે એક દિવસમાં ત્રણ થી ચાર હજારનો ધંધો થતો હોય છે માલની અછત ને લઈ દુકાનો બંધ રહેતા ધંધો થતો નથી.જ્યારે ખેરગામમાં બજાર શરૂ થતા લોકો મોટી સંખ્યામાં ખરીદી માટે ઉમટ્યા હતા.કુંભારવાડ દયાળજી ચેમબર્સ પાસે આવતા અવીનાશ પાન સેન્ટર નામની દુકાનમાં લોકો ભેગા થવાના કારણે જાહેરનામાનો ભંગ થતો હોય દુકાનદાર સામે ખેરગામ પોલીસે જાહેરનામાના ભંગની ફરિયાદ નોંધી તેની અટક કરી હતી.