ભાવનગર : જિલ્લાના ગઢડા અને સિહોર તાલુકામાં બ્રહ્મસમાજ દ્વારા પરશુરામ જયંતિની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત શોભાયાત્રા, બ્રહ્મચોર્યાસી સહિતના આયોજનો કરાયા હતા.
ગઢડા(સ્વામીના) મુકામે શહેર સમસ્ત યુવા બ્રહ્મ સમાજ ના ઉપક્રમે પરશુરામ જયંતિ ની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.આ ઉજવણીના ભાગરૃપે ગઢડા શહેરમા ભગવાન પરશુરામ ની શોભાયાત્રા યોજવામાં આવી હતી.ગઢડાના મોહનનગર સોસાયટી સ્થિત સિદ્ધેશ્વર મહાદેવ ખાતે થી ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ.પી. સ્વામી અને પૂર્વ કોઠારી સ્વામીએ રાજકીય અને સામાજિક અગ્રણીઓ ની ઉપસ્થિતિ માં આ શોભાયાત્રા ને પ્રસ્થાન કરાવ્યું હતું.ત્યારબાદ આ શોભાયાત્રા બસ સ્ટેન્ડ રોડ, બોટાદ રોડ, હાઈસ્કુલ ચાર રસ્તા, બોટાદના ઝાંપે, ટાવર રોડ, માણેક ચોક, વાઢાળાચોક, જીનનાકા સહિતના વિસ્તારોમાં ધામધૂમપૂર્વક યોજવામાં આવી ?હતી.આ ધામક કાર્યક્રમ દરમિયાન પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
સિહોરમાં પરશુરામ જન્મ જયંતિ નિમિત્તે આજરોજ ખારાકુવા ચોક ખાતેથી ભગવાન પરશુરામની ભવ્ય રેલી કાઢીને સિહોરના રાજમાર્ગો પર ફેરવીને બપોરના બંધન પાલ્ટી ખાતે પહોચી હતી.આ રેલીમાં બ્રહ્મસમાજના તેમજ રાજકીય આગેવાનો જોડાયા હતા અને બ્રહ્મચોર્યાસીની દરેક ભક્તજનોએ પ્રસાદી લીધી હતી.આ રેલી દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવનો બને તેથી સિહોર પોલીસ દ્વારા સખત બંદોબસ્ત જાળવ્યો હતો.