By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ગાંધીનગર ઉપવાસ છાવણી પોલીસ છાવણીમાં તબદીલ, 300થી વધુ જવાનો ખડકી દેવાયા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > ગાંધીનગર ઉપવાસ છાવણી પોલીસ છાવણીમાં તબદીલ, 300થી વધુ જવાનો ખડકી દેવાયા
GandhinagarGeneralGujarat Now

ગાંધીનગર ઉપવાસ છાવણી પોલીસ છાવણીમાં તબદીલ, 300થી વધુ જવાનો ખડકી દેવાયા

HM News
Last updated: 06/07/2020 5:51 AM
HM News
5 years ago
Share
SHARE

ગાંધીનગર: રાજ્યમાં આંદોલન શરૂ થવાના ભણકારા વાગી રહ્યાં છે.આજે ગાંધીનગરમાં શિક્ષિત બેરોજગાર યુવાનો એકત્ર થાય તેવી શક્યતાઓ છે. રાજ્યમાં સરકારી નોકરીમાં ભરતી, નિમણૂક પત્ર આપવા સહિતના મુદ્દે મોટી સંખ્યામાં ગાંધીનગરમાં શિક્ષિત બેરોજગારો ભેગા થઈ શકે છે. બેરોજગાર યુવાનો મોટી સંખ્યામાં આજે ઉપવાસ છાવણી કે ગાંધીનગરમાં ઉમટી પડશે તેવી દહેશતના પગલે સમગ્ર ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું છે. એસઆરપીની એક ટુકડી સહિત મહેસાણાથી પણ પોલીસને બોલાવવામાં આવી છે.

મહેસાણા એસપી પૃથ્વીસિંહ ગોહિલે જણાવ્યું હતું કે કોરોના વાયરસની સ્થિતિને ધ્યાનમાં રાખતાં સંક્રમણ વધે નહી એટલા માટે ગાંધીનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મહેસાણા સહિતના જિલ્લાઓના પોલીસ સ્ટાફની પણ મદદ લેવામાં આવી છે. ગાંધીનગર ઉપવાસ છાવણી ની જવાબદારી મહેસાણા એસપીને સોંપવામાં આવી છે.

શિક્ષિત બેરોજગારોના સંભવિત આંદોલનને લઈને રાજ્ય સરકારની પણ ચિંતા વધી ગઈ છે. મોટી સંખ્યામાં ઉમેદવારો ભેગા થવાની શક્યતાને જોઈને એક SRPFન કંપની બંદોબસ્ત માટે ફાળવી દેવામાં આવી છે. જવાનોએ સત્યાગ્રહ છાવણી ખાતે રિહર્સલ પણ કર્યું છે. 1500થી વધુ પોલીસ જવાનો બંદોબસ્ત ગાંધીનગરમાં ખડકી દેવામાં આવ્યા છે. એસપી, ડીવાયએપસી, પીઆઈ, પીએસઆઈ સહિતના અધિકારીઓ પણ બંદોબસ્તમાં જોડાયા છે. ગાંધીનગર પ્રવેશતા માર્ગો પર બેરીકેટિંગ કરી દેવામાં આવ્યા છે. જે પણ વાહન શહેરમાં પ્રવેશે તો તેની તપાસ કરવામાં આવી રહી છે.

શિક્ષકો પણ કરી રહ્યાં છે વિરોધ
ગુજરાતના પ્રાથમિક શિક્ષકો વિરોધ કરી રહ્યા છે. તેમના હક અને અધિકારો માટે લડી રહ્યાં છે. જે શિક્ષકોની ભરતી 2010માં થઇ છે તેમને મળવા પાત્ર 4200 ગ્રેડ ઘટાડી 2800 કરવામાં આવ્યો છે. ગુજરાતમાં આવા 65000 શિક્ષકો છે. જેમને દર મહિને 10 હજાર રૂપિયાનું નુકશાન થઈ રહ્યું છે અને તેમની માગણી છેકે તેમને પૂરો ગ્રેડ પે ચુકવવામાં આવે. જો સરકાર તેમની માંગણી પૂર્ણ નહિ કરે તો સમગ્ર રાજ્યમાં શિક્ષકો ઉગ્ર વિરોધ કરેશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

102 સંતાનો અને 568 પૌત્રો થયા બાદ યુગાન્ડાના મૂસાએ અટકવાનું નક્કી કર્યું
ના હોઈ !! સુરતના વેવાઈ-વેવાણના કેસ પછી નવો જ કિસ્સો આવ્યો માર્કેટમાં : કાકી સગા ભત્રીજાને લઈને મુંબઈ ભાગી જતાં ચકચાર
અમદાવાદ : કામ હોવાનું બહાનું કરીને પ્રેમિકાના ઘરમાં રંગરેલિયા મનાવતા પતિને પત્નીએ રંગેહાથ પકડયો
સુરેન્દ્રનગર જિલ્લાના ચાર વિદ્યાર્થી યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાઇ જતા ચિંતા
આલીપોરના મુસ્લિમ આગેવાનોએ ખેતીની જમીન અતિગ્રહણ કરવાનો પ્રયાસ કરનારાઓ સામે પગલાં ભરવાની માંગ કરી
Share This Article
Facebook Email Print
Previous Article નવસારી જિલ્લામાં ડાયમંડ કંપનીમાં કામ કરતા રત્નકલાકારોને લાગ્યો કોરોના
Next Article ભાજપમાં પરિવર્તન, બુઢ્ઢાઓનો બાય-બાય, સંગઠનમાં હવે કઇ ઉંમર જોઇશે? જાણો.
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up