સરકાર દ્વારા પેન્શન યોજના અંગે નિર્ણય લેવામાં આવ્યા બાદ સરકારી કર્મચારીઓમાં ‘કહી ખુશી કહી ગમ’ જેવી સ્થિતિ જોવા મળી રહી છે.ગાંધીનગરમાં જૂના સચિવાલય સહિત વિધાનસભા ભવનની બહાર ફરી વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યો છે.જેમાં કેટલાક આગેવાનોએ સરકારની વાત માની લીધી જ્યારે હજી પણ મોટો વર્ગ જૂની પેન્શન સ્કીમની જ રજુઆત કરી રહ્યો છે.જેમને હાલ સરકારે આપેલી બાહેંધરી પર વિશ્વાસ નથી.
શું છે સમગ્ર વિવાદ ?
વાસ્તવમાં ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય સંયક્ત મોરચાની વિવિધ માંગણીઓ સાથે શરૂ થયેલા આંદોલનનો આજે અંત આવ્યો કે કેમ તે એક મુદ્દો છે.અધિકારીક રીતે આંદોલન પુર્ણ થયાની જાહેરાત કરી દેવાય છે.જો કે બીજી તરફ 2005 પછી નોકરી પર લાગેલા કર્મચારીઓનો મુદ્દો લટકી ગયો છે.કર્મચારી મહામંડળ દ્વારા 15 જેટલી માંગણીઓ ઉકેલવામાં આવી હોવાની જાહેરાત કરવામાં આવી છે.સરકાર દ્વારા જુની પેન્શન સ્કીમ શરૂ કરવા મુદ્દાને ઢાલ બનાવીને કર્મચારી મહામંડળ અને રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના આગેવાનો દ્વારા આંદોલન કરી રહ્યા છે.સરકાર આ મુદ્દે કોઇ સ્પષ્ટતા નથી કરી અને તેને વિચારાધીન રાખ્યો છે.
સોમવારે ફરજ પર હાજર હશે તેમને જ લાભ
જો કે સરકારે આંદોલન કરી રહેલા કર્મચારીઓને ચિમકી આપી છે કે, જે લોકો સોમવારે પોતાની ફરજ પર હાજર હશે તે વ્યક્તિને જ આનો લાભ મળશે. જે ગેરહાજર હશે તેને આંદોલન બાદ વાટાઘાટોમાં જે નિર્ણય આવે તે માનવાનો રહેશે.જેના કારણે હવે સરકાર દ્વારા આ ચિમકી આપવામાં આવી હતી.જો કે રાજ્ય મંત્રી જીતુવાઘાણીએ સરકારની જૂની પેન્શન યોજનાના આંશિક અમલને મંજુરી આપી હતી.સાતમા પગારપંચના બાકી ભથ્થા પણ ચુકવીશું તેવી બાંહેધરી આફી હતી.જો કે આ યોજના તેઓને જ લાગુ પડશે જેઓ 1-4-2005 પહેલા નોકરીએ લાગ્યા હશે.આ લોકોને જ જૂની પેન્શન યોજના અને ભારત સરકારના 2009 નો કુટુંબ પેન્શન યોજનાનો ઠરાવ સ્વીકારી લીધો છે.
જૂની પેન્શન યોજના લાગુ કરવા રાજ્ય સરકાર સહમત, પણ શરતો લાગુ
રાજ્યમાં જે પ્રમાણે આંદોલનો ચાલી રહ્યા છે તેના પર સરકારે આખરે એકશન મોડ પર આવી છે.જેના માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ મંત્રીઓની કમિટી બનાવી હતી જેમાં જે તે વિભાગના મંત્રી કનુભાઇ,મારો વિભાગ,બ્રિજેશભાઇ સહિત તમામ સાથે લાંબા સમયથી વાતચીત ચાલી રહી હતી.તમામ કર્મચારીઓની માંગણીઓ મુદ્દે સરકાર પહેલાથી જ પ્રયાસરત્ત હતી.મુખ્યમંત્રી દ્વારા આ મુદ્દે ઇનિશિએટિવ લઇને કામગીરી કરવામાં આવી હતી.આંદોલનને લઈને સરકાર કમિટીનો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે.પ્રવક્તા મંત્રી જીતુ વઘાણીએ જણાવ્યું કે, કર્મચારીઓની કેટલીક માંગો સ્વીકારવામાં આવી છે. જૂની પેન્શન યોજનાનો ઠરાવ સ્વીકારવામાં આવશે. 7મા પગારપંચના બાકીના ભથાનો લાભ મળશે.અનેક રાજ્યમાં સાતમ પગાર પંચનો અમલ નથી થયો સોમવારથી આંદોલનકારીઓ કામ પર લાગશે.કુટુંબ પેન્શન યોજનાનો ઠરાવ સ્વીકારવામાં આવશે. સરકાર સંવાદમાં માને છે.સરકાર ખુલ્લા મને કરી રહી છે વાતચીત. સંવાદથી જ બધી સમસ્યાનું સમાધાન થાય છે. 2009 ના આ ઠરાવને રાજ્ય સરકાર પણ હવે સ્વીકારશે.બીજો 1-4-2005 પહેલા ભરતી થયેલા કર્મચારીઓને સીપીએફમાં 10 ના બદલે 14 ટકા સરકાર દ્વારા ઉમેરવામાં આવશે.આ ઉપરાંત સરકાર તરફથી પ્રવક્તાએ જણાવ્યું કે, 25-30 વર્ષથી ન ઉકેલાયા હોય તેવા અનેક પ્રશ્નો ઉકેલાયા નહોતા અને કેટલાક કિસ્સામાં સરકારે ઇનિશિએટિવ લઇને ઉકેલ્યા છે.અમારો ગુજરાત સરકારનો પરિવાર ને તમામ લોકોને ફાયદો થશે. 7માં પગાર પંચના તમામ લાભ કર્મચારીઓને આપવામાં આવશે.બાકીના ભથ્થા કેન્દ્રના ધોરણે લાભ આપવાનો નિર્ણય લેવાયો છે.