દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એકવાર ફરી ગુજરાતના પ્રવાસે આવ્યા છે.ત્યારે આજે ફરીવાર કેજરીવાલે નવી ગેરંટી આપતા જણાવ્યું કે, ‘અમારી સરકાર બનશે એટલે પહેલી ગેરંટી આદિવાસી સમાજ માટેની છે.જે સંવિધાનના ફિફ્ટ શિડ્યુલ (બંધારણની પાંચમી અનુસૂચિ)માં છે તેઓની માટે જે વ્યવસ્થા કરવામાં આવી છે તે પૂરી વ્યવસ્થાને લાગુ કરીશું, વર્ડ ટુ વર્ડ વ્યવસ્થા લાગુ કરીશું.
પેસા કાયદો જે તેઓની માટે બનાવવામાં આવ્યો છે કે જેમાં ગ્રામસભાની જોગવાઇ છે, ગ્રામસભાની મરજી વિના કંઇ જ નહીં થાય.આ અસલી જનતંત્ર છે.’
વધુમાં જણાવ્યું કે, ‘મારું તો કહેવું છે કે, આવું પૂરા દેશનું અંદર હોવું જોઇએ. માત્ર આદિવાસી સમાજ માટે જ કેમ.પરંતુ આદિવાસી સમાજ માટે જોગવાઇ છે કે ગ્રામસભાની મરજી વિના કોઇ પણ સરકારને કોઇ પણ પ્રકારના એક્શન લેવાનો અધિકાર નથી.તે સખ્તી સાથે લાગુ કરાશે. અને જે ટ્રાયબલ એડ્વાઝરી કમિટી છે કે જેનું કામ હોય છે આદિવાસી સમાજના ક્ષેત્ર હોય છે તેમાં કેવો વિકાસ થવો જોઇએ,તેઓની માટે જે ફંડ આવે છે તેનો કેવી રીતે ઉપયોગ કરવો.કાયદાની અંદર લખ્યું છે કે ટ્રાઇબલ એડ્વાઇઝરી કમિટીના ચેરમેન કોઇ ટ્રાયબલ હશે.પરંતુ ગુજરાતની અંદર મુખ્યમંત્રી જ હંમેશા માટે તેના ચેરમેન રહ્યાં છે.તેને બંધ કરવામાં આવશે.ટ્રાયબલ એડ્વાઇઝરી કમિટીના ચેરમેન ટ્રાયબલ જ રહેશે.’