ગુજરાતના નવા મંત્રીમંડળે શપથ લઈ લીધા છે.મંત્રીમંડળમાં 10 મંત્રીઓને પડતા મુકાયા છે.જ્યારે કેટલાક મંત્રીઓને ફરીથી સ્થાન મળ્યું છે.જેમને સ્થાન મળ્યું એ બધા પાટીલની નજીકના છે.જ્યારે અમિત શાહ કેમ્પના કોઈ સભ્યોને મંત્રી મંડળમાં સ્થાન મળ્યું નથી.આ વખતની ચૂંટણીમાં ભાજપને જંગી બહુમતી મળી એ પાછળ અમિત શાહની મહેનત પણ કારણભૂત ગણાય છે.પરંતુ ટિકિટ પસંદગી વખતે અમદાવાદની બેઠકોમાં જ અમિત શાહની નજીકના ઘણા સભ્યોને ટિકિટ મળી ન હતી.હવે મંત્રીમંડળમાં પણ અમિત શાહનું ખાસ ચાલ્યુ નથી.ગુજરાત ભાજપ માટે અમિત શાહ મોટા ભાઈ ગણાય છે અને ચાણક્ય પણ કહેવાય છે.પરંતુ ગુજરાતના મીની ચાણક્ય ભાઉ પાટીલે અમિત શાહનો કેમ્પ સાવ કાપી નાખ્યો છે.જે કોઈ મંત્રીઓ રિપિટ થયા એ બધા પાટીલની નજીકના છે. અથવા તો એમ કહી શકાય કે પાટીલની નજીક નથી એ મંત્રી પણ નથી.જો અમિત શાહનું ચાલ્યુ હોત તો અમદાવાદમાંથી મુખ્યમંત્રી સિવાય પણ ત્રણ-ચાર મંત્રીઓ બન્યા હોત.પરંતુ અમિત શાહનું ચાલ્યુ નથી એ સ્પષ્ટ દેખાય છે.અમદાવાદમાંથી જગદીશ પંચાલ પસંદગી પામ્યા છે,પરંતુ એ હવે પોતાની સ્વતંત્ર ઓળખ ધરાવે છે.દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો કનુભાઈ દેસાઈ (વલસાડ),મુકેશ પટેલ (ઓલપાડ),હર્ષ સંઘવી (મજુરા),પ્રફુલ પાનસેરીયા (મજુરા) અને કુંવરજી હળપતી (માંગરોળ)ને સ્થાન મળ્યુ છે.
કોળી સમાજની શાન કુંવરજી બાવળીયા : ભાજપે ફરી બનાવ્યા મંત્રી, 2 કોળી નેતા રૂપાણી સરકારના રિપિટ કરાયા
કોંગ્રેસનો હાથ છોડીને કમળની ડાળી પડકડનારા કુંવરજી બાવળિયાને આલા દરજ્જાના નેતા ગણવામાં આવે છે.આજે ફરી ભૂપેન્દ્ર પટેલ સરકારમાં રિપિટ થઈ રહ્યાં છે.કોળી સમાજના નેતા ગણાતા કુંવરજીને ભાજપ નારાજ કરી શક્યું નથી.રૂપાણી સરકારને ઘરભેગી કરાતાં કુંવરજીનું પણ મંત્રીપદ ગયું હતું હવે ફરી તેઓ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં રિપિટ થઈ રહ્યાં છે.બાવળિયા પાસે ખાસ કરીને કોળી સમાજની બહોળી વોટબેંક છે.કુંવરજીભાઇ વર્ષ 1995-2009 સુધી જસદણ બેઠક પર MLA રહી ચૂક્યા છે.એટલું જ નહીં વર્ષ 2009-2014 સુધી રાજકોટ મતવિસ્તારમાંથી લોકસભામાં MP રહી ચૂક્યા છે.વર્ષ 2017માં તેઓ ફરી જસદણ મતવિસ્તારના હોદ્દેદાર બન્યા હતા. “કુંવરજી બાવળિયાને સૌરાષ્ટ્રના સર્વમાન્ય કોળી નેતા ગણી શકાય.કુવરજી કોઈ પાર્ટીના જોરે નહીં પણ પોતાના દમ પર ચૂંટણી જીતતા આવ્યા છે.બાવળિયા શક્તિશાળી હોવાની સાથે એટલા જ લોકપ્રિય નેતા પણ છે.સૌરાષ્ટ્રની ઘણી બેઠકો પર કોળી મતદારોનું પ્રભુત્વ જોવા મળે છે.તેથી કુંવરજી બાવળિયા જેવા આ સમાજના મોટા નેતાને હટાવી સમાજની નારાજગી વહોરવાનું જોખમ ભાજપ ન લેવા માગે તે સ્વાભાવિક છે.અને તે જ આ ટિકિટ ફાળવણી પરથી પણ સ્પષ્ટ થઈ ગયું છે.” હવે ફરી મંત્રી બનાવી રહ્યું છે.સૌરાષ્ટ્રમાંથી 2 કોળી નેતા રિપિટ થઈ રહ્યાં છે.જેમાં એક પુરષોત્તમ સોલંકીનું પણ નામ છે.પુરષોત્તમ સોલંકી પણ કોળી સમાજના કદાવર નેતા છે.હીરા સોલંકી અને પુરષોત્તમ સોલંકીને સૌરાષ્ટ્રમાં કોળી સમાજમાં કોઈ અવગણના ન કરી શકે.તેઓની ટિકિટ કપાવવાની સંભાવના વચ્ચે પણ ભાજપે ટિકિટ પણ આપી છે અને ફરી મંત્રીમંડળમાં રિપિટ કરી રહી છે.સોલંકીનો ભૂતકાળ ખરડાયેલો હોવા છતાં પણ ભાજપ આ ચૂંટણીમાં મંત્રી પદ આપી રહ્યું છે.એ પુરષોત્તમ સોલંકીનો ભાજપમાં દબદબો દેખાડે છે.
કુંવરજી બાવળિયાએ જુલાઈ 2018માં ધારાસભ્ય પદેથી રાજીનામું આપી કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયા હતા.બાવળિયાએ રાજીનામું ધરતાની સાથે જ ભાજપે તેમને મંત્રી પદ સોંપ્યું હતું અને બાવળિયાએ પક્ષ પલટો કરતાં જ જસદણ બેઠક પર વર્ષ 2018માં પેટા ચૂંટણી યોજાઇ હતી.જેમાં તેમની જીત થઇ હતી.બાવળિયા ગુજરાતના ઓબીસી નેતા છે અને કોળી સમાજના આગેવાન છે અને પાંચ વખત ગુજરાતમાંથી કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.તેમજ એક વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા.જસદણ બેઠક પરથી પાંચ વખત ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસમાંથી ધારાસભ્ય બની ચૂક્યા હતા.તે બાદ વર્ષ 2018માં રાજીનામું આપ્યા બાદ ભાજપની ટિકિટ પરથી જસદણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી જીતી મંત્રીપદ હાંસલ કર્યું હતું.
ભૂપેન્દ્ર પટેલ 2.0 સરકાર : સુરત-દક્ષિણ ગુજરાતના પાંચ મંત્રીઓ,પાટીલનો દબદબો ચાલ્યો
ભુપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકેની બીજી ટર્મમાં સુરત અને દક્ષિણ ગુજરાતનો દબદબો ફરી એક વાર રહ્યો છે.
મુખ્યમંત્રી સહિતના 17 મંત્રી ના નેનો મંત્રી મંડળમાં સુરત શહેર જિલ્લા અને દક્ષિણ ગુજરાતના પાંચ ધારાસભ્યનો સમાવેશ કરાયો છે.અનેક પડકારો છતાં પણ ભાજપનો ગઢ સાબિત થઈ રહેલા સુરતના હવે મંત્રી મંડળમાં દક્ષિણ ગુજરાતનું વજન ફરી એક વાર વધી રહ્યું છે.2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે ત્યાર બાદ આજે મંત્રી મંડળની રચના કરવામા આવી છે.જેમાં પૂર્વ સરકારમાં મંત્રી રહી ચુકેલા હર્ષ સંઘવી અને કનુ દેસાઈ સાથે મુકેશ પટેલ અને નવોદિતમાં પ્રફલ્લ પાનસેરીયા અને કુંવરજી હળપતિનો સમાવેશ કરવામા આવ્યો છે.આ મંત્રી મંડળમાં ફરી એક વાર સુરત શહેર સાથે દક્ષિણ ગુજરાતનું વજન ફરી વધ્યું છે.
ગુજરાતમાં ભાજપની સરકાર સાતમી વખત સરકાર બની છે તેમાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પહેલાં ભુપેન્દ્ર પટેલે શપથ લીધા હતા ત્યાર બાદ કેબિનેટ મંત્રી તરીકે કનુ દેસાઈ એ શપથ લીધા હતા.આ ઉપરાંત અન્ય કેબિનેટ મંત્રીઓએ શપથ લીધા હતા.કેબિનેટ મંત્રીમાં પારડીના કનુ દેસાઈનો સમાવેશ કરાયો છે.સુરતને આ મંત્રી મંડળમાં હજી કોઈ કેબિનેટ મંત્રી બન્યા નથી.પરંતુ ત્યારબાદ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સ્વતંત્ર હવાલામાં હર્ષ સંઘવીએ પહેલા બે મંત્રીમાં શપથ લીધા હતા.
આ ઉપરાંત રાજ્ય કક્ષાના મંત્રી તરીકે મુકેશ પટેલે ગીતા હાથમાં લઈ શપથ લીધા હતા.ત્યારબાદ પ્રફુલ પાનશેરીયા અને કુંવરજી હળપતિ એ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા હતા.સુરત અને દક્ષિણ ગુજરાતને મંત્રી મંડળમાં પ્રભુત્વ મળતા તેમના ટેકેદારો અને તેમના વિસ્તારમાં લોકોમાં ઉત્સવનું વાતાવરણ બની ગયું છે.
સુરત અને દક્ષિણ ગુજરાતને મંત્રી મંડળમાં મળ્યું પ્રભુત્વ
ભુપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકેની બીજી ટર્મમાં સુરત અને દક્ષિણ ગુજરાતનો દબદબો ફરી એક વાર રહ્યો છે.
મુખ્યમંત્રી સહિતના 17 મંત્રીના નેનો મંત્રી મંડળમાં સુરત શહેર જિલ્લા અને દક્ષિણ ગુજરાતના પાંચ ધારાસભ્યનો સમાવેશ કરાયો છે.અનેક પડકારો છતાં પણ ભાજપનો ગઢ સાબિત થઈ રહેલા સુરતના હવે મંત્રી મંડળમાં દક્ષિણ ગુજરાતનું વજન ફરી એક વાર વધી રહ્યું છે.
2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે ત્યાર બાદ આજે મંત્રી મંડળની રચના કરવામા આવી છે.જેમાં પૂર્વ સરકારમાં મંત્રી રહી ચુકેલા હર્ષ સંઘવી અને કનુ દેસાઈ સાથે મુકેશ પટેલ અને નવોદિતમાં પ્રફલ્લ પાનસેરીયા અને કુંવરજી હળપતિનો સમાવેશ કરવામા આવ્યો છે. આ મંત્રી મંડળમાં ફરી એક વાર સુરત શહેર સાથે દક્ષિણ ગુજરાતનું વજન ફરી વધ્યું છે.
ગુજરાતમાં ભાજપની સરકાર સાતમી વખત સરકાર બની છે તેમાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પહેલાં ભુપેન્દ્ર પટેલે શપથ લીધા હતા ત્યાર બાદ કેબિનેટ મંત્રી તરીકે કનુ દેસાઈ એ શપથ લીધા હતા.આ ઉપરાંત અન્ય કેબિનેટ મંત્રીઓએ શપથ લીધા હતા.કેબિનેટ મંત્રીમાં પારડીના કનુ દેસાઈનો સમાવેશ કરાયો છે.સુરતને આ મંત્રી મંડળમાં હજી કોઈ કેબિનેટ મંત્રી બન્યા નથી.પરંતુ ત્યારબાદ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સ્વતંત્ર હવાલામાં હર્ષ સંઘવીએ પહેલા બે મંત્રીમાં શપથ લીધા હતા.આ ઉપરાંત રાજ્ય કક્ષાના મંત્રી તરીકે મુકેશ પટેલે ગીતા હાથમાં લઈ શપથ લીધા હતા.ત્યારબાદ પ્રફુલ પાનશેરીયા અને કુંવરજી હળપતિ એ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા હતા.સુરત અને દક્ષિણ ગુજરાતને મંત્રી મંડળમાં પ્રભુત્વ મળતા તેમના ટેકેદારો અને તેમના વિસ્તારમાં લોકોમાં ઉત્સવનું વાતાવરણ બની ગયું છે.