[weather_data]
Breaking News
TRENDING NEWS

ગુજરાતની આઠ હજાર શાળાઓમાંથી 5500 શાળાઓમાં રમત-ગમતનું મેદાન જ નથી

[updated_date] [post_views]

Table of Content

રાજ્યમાં મેદાન વગરની શાળાઓ સામે કાર્યવાહી કરવા સરકારે પરિપત્ર જાહેર કર્યો છે.પરંતુ આજે ગુજરાતની 8 હજાર શાળાઓમાંથી 5500 જેટલી શાળાઓમાં મેદાન નહીં હોવાનો ધડાકો ગુજરાત એન.એસ.યુ.આઇનાં મહામંત્રી ભાવિક સોલંકીએ કર્યો છે.

તેઓએ જણાવ્યું કે, “રાજ્યનાં શિક્ષણ વિભાગે તાજેતરમાં જે શાળાઓ પાસે રમતના મેદાન નથી(Schoolswithout ground)તેવી શાળાઓને તાત્કાલિક રમતના મેદાન ઉપલબ્ધ કરાવવા તમામ ડીઈઓને પરિપત્ર કરી કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો.પરંતુ સરકારનો આ પરિપત્ર માત્ર કાગળ પર જ છે.કારણ કે હજી સુધી મેદાન વિનાની શાળાઓ સામે ડીઈઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.રાજ્યમાં 5500થી વધારે શાળાઓમાં રમતના મેદાન જ નથી.જેમાં સૌથી વધુ અમદાવાદ શહેર અને જિલ્લાની 1200 શાળાઓમાં મેદાન નથી.સરકારના આદેશ બાદ પણ અમદાવાદ શહેર અને ગ્રામ્યના ડીઈઓ તથા ડીપીઈઓ દ્વારા મેદાન વિનાની શાળાઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.”

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles