અમદાવાદ : છેલ્લા છ દિવસથી ભારે વરસાદ પડવાને કારણે ગુજરાતની વીજળીની ડીમાન્ડ ૨૧૦૦૦ મેગાવોટથી ઘટીને ૧૪૦૦૦ મેગાવોટ થઈ જતાં બહારથી ખરીદવી પડતી વીજળીની ખરીદીમાં ખાસ્સો ઘટાડો થઈ ગયો હોવાથી ખાનગી કંપનીઓ પાસેથી મોંઘી વીજળીની ખરીદી બંધ કરવાનુ ગુજરાત ઉર્જા વિકાસ નિગમની વીજ વિતરણ કંપનીઓને ફરજ પાડી શકાય છે.આ પગલું લેવામાં આવે તો ફ્યુઅલ પ્રાઈસ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટ-એફપીપીપીએ હેઠળ લેવાતા ચાર્જમાં ઘટાડો કરવાનો મોકો મળ્યો છે.આમ ગુજરાત વીજ નિયમન પંચને પાવર પરચેઝ કોસ્ટ નીચે લઈ જવાનો શ્રેષ્ઠ મોકો મળ્યો છે.તેનો લાભ લઈને ગુજરાતના ૧.૩૦ કરોડ વીજવપરાશકારોને રાહત અપાવવાનું પગલું લઈ શકે છે.સામાન્ય રીતે એનર્જી એક્સચેન્ચમાં ખાનગી વીજ કંપનીઓ યુનિટદીઠ ૧૨ રૃપિયાની આસપાસનો ભાવે વીજળી વેચે છે.
ભારે વરસાદને કારણે નદીઓમાં પૂર છે ત્યારે ઉકાઈ જળવિદ્યુતનો ૩૦૦ મેગાવોટનો અને કડાણાનો ૨૪૦ મેગાવોટનો જળ વિદ્યુતનો પ્લાન્ચ પાણીની સ્તરને જોઈને ચાલુ કરી દેવો જોઈએ.એમ પાવર સેક્ટરના નિષ્ણાત કે.કે. બજાજનું કહેવું છે.તેની સાથે જ લિગ્નાઈટથી ચાલતો બીએલટીપીએસનો ૫૦૦ મેગાવોટનો અને કેએલટીપીએસનો ૧૫૦ મેગાવોટનો પાવર પ્લાન્ટ ચાલુ કરી દેવો જોઈએ.લિગ્નાઈટથી ચાલતા પાવર પ્લાન્ટમાં વીજ ઉત્પાદનનો યુનિટદીઠ ખર્ચ રૃ.૨.૮૦થી ઓછો આવે છે.
આ બંને પાવર પ્લાન્ટ ૭૦થી ૮૦ ટકા ક્ષમતાએ ચલાવી શકાય તેમ છે.તેમ જ ગુજરાત સ્ટેટ એનજ કોર્પોરેશન લિમિટેડ ઉકાઈ -૬નો ૫૦૦ મેગાવોટનો અને વણાકબોરી-૮નો ૮૦૦ મેગાવોટનો પાવર પ્લાન્ટ સક્રિય કરી શકે છે.ઉકાઈ-૬ અને વણાકબોરી-૮ પાવર પ્લાન્ટ ૮૦ ટકાથી વધુ ક્ષમતાએ ચલાવી શકાય તેમ છે.આ બંને પ્લાન્ટમાં યુનિટદીઠ વીજળીના ઉત્પાદનનો ખર્ચ અંદાજે રૃ.૩.૬૦નો આવે છે. જામનગરનો આયાતી કોલસાથી ચાલતા ૫૦૦ મેગાવોટના પાવર પ્લાન્ટમાં યુનિટદીઠ ઉત્પાદન ખર્ચ અંદાજે રૃ. ૬.૫૦ની આસપાસનો આવે છે.
છતાં જીયુવીએનએલ-ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ અને ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ વચ્ચે સંકલનનો અભાવ હોવાથી ઉપર દર્શાવ્યા મુજબના આયોજનો અમલમાં મૂકવામાં આવતા હોવાનું જોવા મળતું નથી.પરિણામે ગુજરાતના ૧.૩૦ કરોડથી વધુ વીજ વપરાશકારોને માથે વીજબિલનો મોટો ખર્ચ બોજ આવ્યા જ કરે છે.ગુજરાતની વીજ વિતરણ કંપનીઓ તેમના યુનિટદીઠ ચારથી પાંચ પૈસાના કમિશન માટે ગુજરાતના વીજ ગ્રાહકોને માથે અબજો રૃપિયાનો ખર્ચ બોજ નાખી રહ્યા છે.
કારણ કે ગુજરાતના લોકોને સસ્તી વીજળી પૂરી પાડી શકે તેવા વીજ પ્લાન્ટ અત્યારે બંધ પડેલા છે.તેના પરથી નિર્દેશ મળી રહ્યો છે કે ગુજરાતની વીજ કંપનીઓને ખાનગી વીજ કંપનીઓ પાસેથી મોંઘી વીજળી ખરીદવામાં જ વધુ રસ છે.ગુજરાત વીજ નિયમન પંચ આ બાબતમાં મૌનગ્રહણ કરીને બેઠું છે.તેનાથી વીજ ગ્રાહકોને અન્યાય થઈ રહ્યો છે.


