ગુજરાતને નવા ડીજીપી મળે તે પહેલા IPS અધિકારીઓના પ્રમોશનના એંધાણ

HM News
1 Min Read

ગુજરાતનાં ડીજીપી હવે નજીકના ભવિષ્યમાં રિટાયર્ડ થવાના છે ત્યારે ગુજરાતને નવા ડીજીપી મળે તે પેહલા આઇપીએસ બેડામાં નવાજૂનીના એંધાણ સર્જાય છે.મળતી માહિતી મુજબ ગુજરતમાં 1991 થી 1995 બેચના અધિકારીઓને પ્રમોશન મળે તેવી શક્યતાઓ છે.ગત અઠવાડિયે પ્રમોશન માટે DCP ની બેઠક યોજાઇ હતી જેમાં આ બાબતે ચર્ચા થઈ હોવાનું સૂત્રો ધ્વારા માહિતી મળી હતી.

આ બેઠકમાં થયેલ ચર્ચા મુજબ ગમેતે સમયે આ પ્રમોશનની જાહેરાત ગૃહવિભાગ ધ્વારા થઈ શકે છે.આ પ્રમોશનમાં શમશેરસિંઘ,મનોજ અગ્રવાલ,ડૉ. કે.એલ.એન રાવને પ્રમોશન મળી શકે છે.શમશેર સિંઘ હાલ વડોદરા શહેર પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા છે.શંસહેરસિંઘનું નામ ગુજરાત પોલીસમાં બહુ મોટું નામ છે.

1991 બેચમા શમશેરસિંઘ અને મનોજ અગ્રવાલ

નિરજા ગોટરુ,એચ.એન.પટેલ,રાજુ ભાર્ગવને પણ પ્રમોશન મળે તેવી પૂરી શક્યતાઓ અમારા સૂત્રો ધ્વારા મળી હતી.આ લિસ્ટમાં આર.બી.બ્રહ્મભટ્ટઉ નામ પણ ચર્ચામાં છે.મળતી માહિતી મુજબ થોડા સમયમાં જ આ પ્રમોશન જાહેર કરવામાં આવે તેવી પૂરી શક્યતાઓ છે.

– 1992 બેચ ડો કે એલ એન રાવ

– 1993 બેચ નિરજા ગોટરુ અને એચ એન પટેલ

– 1995 બેચ રાજુ ભાર્ગવ અને આર બી બ્રહ્મભટ્ટ

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *