ગુજરાતને બદનામ કરવા માટે કાવતરાં ઘડવામાં આવ્યાં : PM

HM News
2 Min Read

– વડા પ્રધાન મોદીએ કચ્છને ૫૦૦૦ કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સની ભેટ આપી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે કહ્યું હતું કે ગુજરાતને બદનામ કરવા અને આ રાજ્યમાં રોકાણને રોકવા માટે કાવતરાં કરવામાં આવ્યાં છે,પરંતુ ગુજરાતે એ બધાની ઉપેક્ષા કરીને પ્રગતિનો નવો માર્ગ તૈયાર કર્યો છે.વડા પ્રધાને ભુજ જિલ્લામાં વિવિધ પ્રોજેક્ટ્સના ખાતમુરત તેમ જ લોકાર્પણ કર્યા બાદ એક રૅલીને સંબોધતાં આમ જણાવ્યું હતું.તેમણે કચ્છ-ભુજમાં ગુજરાત સરકાર દ્વારા ૩૭૫ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ અને મ્યુઝિયમનું લોકાર્પણ કરતાં જણાવ્યું હતું કે સ્મૃતિવન દુનિયાનું નજરાણું બનશે.વડાપ્રધાને કચ્છને ૫૦૦૦ કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સની ભેટ આપી છે.સ્મૃતિવનની મુલાકાતે ભૂકંપ સાથે સંકળાયેલી અનેક યાદો તાજી કરી છે એમ જણાવતાં વડાપ્રધાને કહ્યું હતું કે ભૂકંપ પછી કેટલાક લોકો એવું કહેતા હતા કે કચ્છ ક્યારેય બેઠું નહીં થાય,પણ કચ્છી લોકોએ પોતાની મહેનત અને જુસ્સાથી આજે કચ્છની તસવીર બદલી નાખી છે.ભૂકંપ વખતે મેં કહ્યું હતું કે કચ્છ ફરી બેઠું થશે.આપણે આપત્તિને અવસરમાં બદલીને રહીશું.આજે એ સાકાર થયું છે.આ સંકલ્પ સિદ્ધ થયો છે.મને કચ્છના રણમાં ભારતનું તોરણ દેખાય છે. ૨૦૪૭માં ભારત વિકસિત રાષ્ટ્ર બનશે.

કચ્છમાં થયેલી ઔદ્યોગિક પ્રગતિની વાત કરતાં વડા પ્રધાને કચ્છના સિમેન્ટ ઉત્પાદન પ્લાન્ટ,ખાવડાનો રિન્યુએબલ એનર્જી પાર્ક,મુન્દ્રા અને કંડલા પોર્ટના દેશના માલપરિવહનમાં હિસ્સા વિશે વાત કરી હતી.વડાપ્રધાને ઉમેર્યું હતું કે જે નર્મદાજીમાં સ્નાન કરવા માટે અગાઉ લોકોને યાત્રા કરવી પડતી હતી, એ નર્મદાજીનાં પાણી આજે કચ્છ સુધી પહોંચ્યાં છે.

મજબૂત પાર્ટનરશિપનું પ્રતીક

વડા પ્રધાનની ઉપસ્થિતિમાં ગઈ કાલે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ભારતમાં મારુતિ સુઝુકીનાં ૪૦ વર્ષ પૂરાં થવા નિમિત્તે એક કાર્યક્રમ યોજાયો હતો,જેમાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે મારુતિ-સુઝુકીની સફળતા ભારત અને જપાનની મજબૂત પાર્ટનરશિપનું પણ પ્રતીક છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *