By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ગુજરાતમાં આચાર સંહિતાનો ચુસ્ત અમલ, એક માસમાં 658 ફરાર આરોપીઓને ઝડપીને જેલમાં ધકેલાયા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > ગુજરાતમાં આચાર સંહિતાનો ચુસ્ત અમલ, એક માસમાં 658 ફરાર આરોપીઓને ઝડપીને જેલમાં ધકેલાયા
AhmedabadGeneral

ગુજરાતમાં આચાર સંહિતાનો ચુસ્ત અમલ, એક માસમાં 658 ફરાર આરોપીઓને ઝડપીને જેલમાં ધકેલાયા

HM News
Last updated: 30/11/2022 11:03 AM
HM News
3 years ago
Share
SHARE

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાના પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે.રાજ્યમાં ચૂંટણીને પગલે આદર્શ આચાર સંહિતાનો ચુસ્ત અને અસરકારક અમલ થાય અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા પર અસરકારક પગલા લેવામાં આવી રહ્યાં છે.જે અંતર્ગત DGP આશિષ ભાટિયાએ ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે તમામ પોલીસ યુનિટના વડાને સૂચના આપી છે.

રાજ્યના પોલીસ વડાએ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને હાલમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સંદર્ભે સ્પેશિયલ ડ્રાઈવ રાખી હતી. જેમાં એક માસમાં ખૂન,ખૂનની કોશિશ,લૂંટ,ખંડણી સહિતના ગુનામાં સંડોવાયેલા તેમજ પેરોલ જમ્પ કરીને અથવા પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલા આરોપીઓ પર ખાસ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું હતુ.જેમાં અત્યાર સુધીમાં આવા 658 આરોપીઓને ઝડપીને તેમને જેલના હવાલે કરવામાં આવ્યાં છે.ઘણી વખત ગુનો આચર્યા બાદ આરોપીઓ નાસી જતા હોય છે અને લાંબા સમયથી પોલીસ પકડથી દૂર રહે છે.આવા આરોપીઓ અન્ય ગુના કરે તેવી પણ શક્યતા રહેતી હોય છે.ખાસ કરીને ગુજરાતમાં નોંધાયેલા ગુનાઓના આરોપીઓ રાજ્યને અડીને આવેલા અન્ય રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશમાં ભાગી જાય છે.

આથી આવા આરોપીઓને ઝડપી પાડવા માટે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા ગુજરાતના પાડોશી મહારાષ્ટ્ર,મધ્ય પ્રદેશ,રાજસ્થાન અને દીવ-દમણના પોલીસ વડા સાથે સંકલન સાધીને ઝડપી પાડવા જણાવાયું હતુ.આ માટે ગુજરાત પોલીસની પણ કેટલીક ખાસ ટીમોને જે-તે રાજ્યોમાં મોકલવામાં આવી હતી.આવી ટીમો દ્વારા રાજસ્થાનમાંથી 77, મધ્ય પ્રદેશમાં 39, મહારાષ્ટ્રમાંથી 12, દીવ-દમણ અને દાદરા નગર હવેલીમાંથી 17 ઉપરાંત અન્ય રાજ્યોના 20 મળી કુલ 165 બહારના રાજ્યોમાં નાસતા-ફરતા આરોપીઓને પકડવામાં સફળતા મળી છે.આજ રીતે છેલ્લા 15 દિવસમાં પેરોલ જમ્પ કરીને તેમજ પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયેલા કુલ 43 આરોપીઓને પકડીને જેલમાં ધકેલવામાં આવ્યાં છે.

સુરતના વરાછા-એ,બી ઝોનમાં સવારે ચાર કલાકામાં 4 ઇંચ
SEBIએ શેરમાં છેતરપિંડી કરવા બદલ 12 લોકોને દંડ ફટકાર્યો
વિજય રૂપાણીના રાજીનામા બાદ હવે નવા મુખ્યમંત્રીનો ચેહરો પાટીદાર સમાજમાંથી હોય શકે !
વલસાડ જિલ્લામાં વિદેશી દારૂના ગુન્હાના બે આરોપી ગંગાધરાથી ઝડપાયા
અમદાવાદઃ ટોચની ટાઈલ્સ ઉત્પાદક કંપની એશિયન ગ્રેનિટો લિ.ના પરિસરોમાં ITનો દરોડો
Share This Article
Facebook Email Print
Previous Article અનિરુદ્ધ સિંહની ‘ડબલ રાજનીતિ’! ગોંડલમાં કોંગ્રેસને ટેકો,તો ગુજરાતમાં ભાજપને સમર્થન જાહેર કર્યું..
Next Article પોરબંદર : મતદાનના ગણતરીના કલાકો પહેલા કોંગ્રેસના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાના ભત્રીજા સહિત અન્ય 3 સામે FIR
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up