ગાંધીનગર તા.24 : રાજ્યમાં કોરોનાની બીજી લહેર પણ વિજય ભાઈ રૂપાણી અને નીતિન ભાઇની જોડી પરાસ્ત કરશે.રાજ્યમાં 11 ઓક્સિજન પ્લાન્ટ પણ ઝડપથી કાર્યરત થઈ જશે તેવો વિશ્વાસ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત ભાઈ શાહે વ્યકત કર્યો છે.આજે ગાંધીનગર કોલવડા ગામની કોવિડ હોસ્પિટલમાં 280 લીટર પ્રતિ મીનીટ ઓક્સિજન ઉત્પાદન કરતા પ્લાન્ટનું અમિત શાહે ઉદ્ઘાટન કર્યું હતું.ત્યારબાદ મીડિયા સાથેના સંવાદમાં અમિત શાહે જણાવ્યું હતું કે મારા સંસદીય મત ક્ષેત્ર કોલવડામાં 200 દર્દીઓની ઓક્સિજન સાથે સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.અને હાલ 66 દર્દીઓ ઓક્સિજન સાથે સારવાર મેળવી રહ્યા હોવાનું જણાવ્યું હતું.આ તબક્કે અમિત શાહે ઓક્સિજન અભિયાન અંતર્ગત જણાવ્યું હતું કે નરેન્દ્ર ભાઈ મોદીની અધ્યક્ષતામાં સમગ્ર દેશમાં ઓક્સિજન પહોંચાડવાનું અભિયાન ચાલી રહ્યું છે.જોકે ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ રાજય છે.એટલે ઓક્સિજનની ઉપલબ્ધતા વધુ છે પરંતુ પોતાની જરૂરિયાત બાદ જ અન્ય રાજ્યોને ઓક્સિજન મોકલવામાં આવી રહ્યો હોવાનો દાવો અમિત શાહે વ્યક્ત કર્યો હતો.
આ તબક્કે તેમણે જણાવ્યું હતું કે દેશમાં પીએમ કેર ફંડ થી ઓક્સિજન માટે સેંકડો પ્લાન્ટ લગાડવાની શરૂઆત કરવામાં આવી હોવાનો સ્વીકાર કર્યો હતો.ઉપરાંત તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં ઓક્સિજન માટે મંજુર થયેલા 11 પ્લાન્ટ પણ ઝડપથી શરૂ થઈ જશે.જેના કારણે વ્યવસ્થા મજબૂત બનશે તેવો દાવો પણ કર્યો છે.તો બીજી તરફ અમિત શાહે વિજયભાઈ રૂપાણી ના નામનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે વિજયભાઈ રૂપાણી કોરોના સામેના જંગમાં મજબૂતાઈથી લડાઈ લડી રહ્યા છે ત્યારે આવનાર સમયમાં સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પણ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કોરોના સામેના જંગમાં સફળતા મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આ તબક્કે તેમણે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના નામનો ઉલ્લેખ કરીને વિશ્વાસ આપ્યો હતો કે ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે પરંતુ વિજયભાઈ રૂપાણી અને ભાઈ પટેલની જોડી પુરાને પરાસ્ત કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તો બીજી તરફ તેમણે જણાવ્યું હતું કે ગાંધીનગરના હેલીપેડ ખાતે 1200 બેડની હોસ્પિટલ તાત્કાલિક નિર્માણ થશે જેમાં 600 શભી બેડની સુવિધા ઉપલબ્ધ થશેનોંધનીય છે કે કોલવડા સ્થગિત આ પ્લાન્ટ 58 જમ્બો ઓક્સિજન ભરાઈ શકે તેવી ક્ષમતા પણ ધરાવે છે.ઉપરાંત 4 થી 5 લીટર ઓક્સિજનની જરૂરીયાત વાળા 60 દર્દીઓ ને એકસાથે ઓક્સિજન પૂરો પાડી શક્શે
સમારોહ બાદ વિજયભાઇ અને અમિત શાહ એક કારમાં સાથે ગયા
કોલવડા ખાતેના ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કર્યા બાદ અમિતભાઈ સાહેબ ભજ્ઞદશમ કેર સેન્ટરની પણ મુલાકાત કરી હતી.જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને વહીવટી તંત્ર દ્વારા કોવિડ કેર સેન્ટરમાં અપાતી સારવાર અને સુવિધાથી અમિતભાઈ શાહને માહિતગાર કર્યા હતા અને ત્યારબાદ અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એક જ ગાડીમાં રવાના થયા હતા જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ તેમની ગાડીમાં રવાના થયા હતા કોલવડા ના કોવિડ કેર સેન્ટર ખાતે બનેલી આ ઘટનાથી અનેકવિધ રાજકીય ચર્ચાએ જોર પકડયું હતું.


