[weather_data]
Breaking News
TRENDING NEWS

ગુજરાતમાં ઓવૈસીની પાર્ટીને લઈ હિંદુત્વનો મુદ્દો ભાજપને ફાયદો કરાવશે ! કોંગ્રેસની સ્થિતિ સુડી વચ્ચે સોપારી જેવી !! આપ નું શુ કહેવું છે?

[updated_date] [post_views]

Table of Content

ચુંટણીઓ નજીક આવી રહી છે ત્યારે રાજકીય પક્ષો પણ પોતાના રોટલા શેકવા જાતજાતના નુસખા અપનાવી રહ્યા છે ગુજરાત માં મુખ્યત્વે કોંગ્રેસ અને ભાજપ બે વચ્ચે જ ટક્કર હતી પણ હવે આમ આદમી પાર્ટી અને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇતેહાદુલ મુસલિમીન (એઆઈએમઆઈએમ) એ હવે ગુજરાત માં એન્ટ્રી કરી છે કારણકે ગુજરાતમાં કોંગ્રેસ ના લગભગ સુપડા સાફ થઈ ચુક્યાં છે ત્યારે આ નવી પાર્ટીના આકાઓ ને કાયદો થશે કે નુકશાન તે તો સમય જ બતાવશે.આમ આદમીના ઇટલીયા અને હવે ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમના ગુજરાત પ્રમુખ તરીકે કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય સાબીર કાબલીવાલાની પસંદગી કરવામાં આવી છે.ઓવૈસીએ ગુજરાતમાં પાર્ટીના અધ્યક્ષપદે કાબલીવાલાની નિમણૂક કરાઈ હોવાની જાહેરાત ટ્વિટર હેન્ડલથી થતા ગુજરાતમાં હવે સ્પષ્ટ ભાગલા પડશે અને મુખ્યત્વે જે વોટ કોંગ્રેસ ને મળતા હતા તે વોટ હવે ઓવૈસી ને મળશે તે નક્કી છે.આમ ભાજપ તો ઠીક પણ કોંગ્રેસના તળિયા ઝાટક સુપડા આજ પાર્ટી સાફ કરશે તેવી ગણતરી વચ્ચે હાલ તો ભાજપના મોવડીઓ મલકાઈ રહ્યા છે.

ગુજરાતમાં મોટો વર્ગ ભાજપનો છે અને હિંદુવાદનો જ્યારે મુદ્દો આવે ત્યારે મોટાભાગ ના વોટ ભાજપ ને ન ઈચ્છે તો પણ આપે તેવી સ્થિતિમાં ઓવૈસી ગુજરાત માં ભાજપ ને વધુ મજબૂત બનાવશે તેવી અટકળો ઉઠવા પામી છે,જોકે,જનતા જનાર્દન શુ ઈચ્છે છે તે કહી શકાય નહિ.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles