અમદાવાદ: ગુજરાતના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ આજે પત્રકાર પરિષદ સંબોધીને ગુજરાતમાં કોરોના વાયરસ પર શું પરિસ્થિતિ છે તેના પર લેટેસ્ટ માહિતી આપી. આજે રાજ્યમાં કોરોના વાયરસના 4 નવા પોઝિટિવ કેસ આવ્યાં. નવા ચારેય કેસ લોકલ છે. જ્યારે બેના મોત થયા છે. જેના કારણે રાજ્યમાં કોરોના વાયરસના કેસનો આંકડો 179 પર પહોંચ્યો. 24 કલાકમાં કુલ 932 ટેસ્ટ કરવામાં આવ્યાં છે.
વડોદરાના વ્યક્તિનું અમેરિકામાં કોરોના વાયરસથી મોત, મોટલ સંચાલક હતા
જે બે મોત નોંધાયા છે તેમાં એક જામનગરમાં 14 માસના બાળકનું મોત થયું જ્યારે બીજુ મોત સુરતમાં 65 વર્ષના પુરુષનું નોંધાયું છે. 24 કલાકમાં જે 932 કેસ કરવામાં આવ્યાં તેમાંથી 14 કેસ પોઝિટિવ આવ્યાં છે. જ્યારે 687 કેસ નેગેટિવ છે અને 281 પેન્ડિંગ છે.
જામનગર: 14 માસના શિશુનું કોરોનાથી મોત, માતા-પિતાને દૂરથી જ બાળકનું મોઢું બતાવી કરાઈ દફનવિધિ
ક્યાં કેટલા પોઝિટિવ કેસ
કોરોના વાયરસના પોઝિટિવ કેસ જે નોંધાયા છે તેમાં અમદાવાદના 83 કેસ છે. જયારે 5 મોત થયા છે. સુરતના 23 પોઝિટિવ કેસ છે અને 4 લોકોના મોત થયા છે. વડોદરામાં 13 કેસ જ્યારે 2 લોકોના મોત થયા છે. ગાંધીનગરમાં 13 કેસ, રાજકોટમાં 11, ભાવનગરમાં 16 કેસ જેમાં 2 લોકોના મોત થયા છે, પંચમહાલમાં 1 કેસ અને દર્દીનું મોત થયેલ છે. પાટણમાં 5 કેસ નોંધાયા છે અને એક વ્યક્તિનું તેમાંથી મોત નિપજ્યું છે. જામનગરમાં એક કેસ નોંધાયો અને વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. પોરબંદરમાં 3 કેસ, મહેસાણામાં 2, છોટાઉદેપુરમાં એક કેસ, કચ્છમાં 2, મોરબીમાં 1, ગીર સોમનાથમાં 2, સાબરકાંઠામાં એક અને આણંદમાં એક કેસ નોંધાયો છે.
અમદાવાદમાં કૂદકેને ભૂસકે વધી રહ્યાં છે કોરોનાના કેસ, લેવાયા મોટા નિર્ણય, ખાસ જાણો
કુલ 16 લોકોએ ગુમાવ્યાં જીવ
ગુજરાતમાં કોરોના વાયરસના કારણે કુલ 16 લોકોએ જીવ ગુમાવ્યાં છે. જેમાં અમદાવાદમાં 5, સુરતમાં 4, ભાવનગરમાં 2, પંચમહાલ અને પાટણમાં તથા જામનગરમાં એક-એક મોત સામેલ છે. વડોદરામાં 2 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યાં છે.
રાજ્ય પાસે પુરતા પ્રમાણમાં દવાનો જથ્થો
જયંતિ રવિએ જણાવ્યું કે કોરોના વાયરસને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર પાસે દવાનો જથ્થો પુરતા પ્રમાણમાં છે. બે સપ્તાહ પહેલા જ પુરતા પ્રમાણમાં દવાની ખરીદી કરી લેવાઈ હતી. ગ્રામ્ય વિસ્તારોમાં રાઉન્ડ ટુ સર્વેલન્સનો પ્રારંભ ગઈકાલથી કરી દેવામાં આવ્યો છે.
છેલ્લા 24 કલાકમાં કુલ 932 સેમ્પલના ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી 14 પોઝિટિવ અને 687 નેગેટિવ આવ્યા છે જ્યારે 231 સેમ્પલ પેન્ડિંગ છે. અત્યાર સુધીમાં જે 179 કેસ આવ્યા છે તેમાંથી 33 કેસ વિદેશથી ટ્રાવેલ કરેલ વ્યક્તિના છે. જ્યારે 32 કેસ આંતર રાજ્ય ટ્રાવેલના છે. ઉપરાંત 114 કેસ લોકલ ટ્રાન્સમિશનને કારણે આવ્યા છે.ગુજરાતમાં જે કુલ 179 કોરના પોઝિટિવ કેસ છે તેમાંથી 136 દર્દીની સ્થિતિ સ્થિર છે. જ્યારે 2 લોકોની સ્થિતિ ક્રિટિકલ છે અને તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. ઉપરાંત 25 લોકો સાજા થઈ ગયા છે અને તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. કુલ 179 કેસમાંથી હજુ પણ 138 કેસ એક્ટિવ છે.