અમદાવાદ : કોરોના વાયરસની મહામારીએ ભારત સહિત સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે.આ જીવલેણ સંક્રમણને રોકવા લોકડાઉન લાગુ કરાયુ અને તબક્કામાં છુટછાટ આપી અનલોક પણ કરવામાં આવ્યુ છે.જો કે છુટછાટ આપ્યા બાદ અનલોક-3માં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપી અને ચિંતાજનક ગતિએ વધી રહ્યુ છે.
ગુજરાતમાં કોરોના વાયરસ સંબંધિત તમામ અપડેટ…
ગુજરાત રાજ્યમાં 7 સપ્ટેમ્બર, 2020ના રોજ કોરોના વાયરસની સ્થિતિ
અમદાવાદમાં આજથી કોરોના ગાઈડલાઈન સાથે મેટ્રો સેવા પુન:શરૂ
ગુજરાત રાજ્યમાં 6 સપ્ટેમ્બર, 2020ના રોજ કોરોના વાયરસની સ્થિતિ
ગુજરાતમાં સતત છઠ્ઠા દિવસે 1300થી વધુ રેકોર્ડબ્રેક નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
રાજ્યમાં રવિવારે 1335 નવા કોવિડ પોઝિટિવ કેસ નોંધાયા
આજના નવા કેસ સાથે રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 1,04,341 પહોંચી
સમગ્ર દેશમાં આજે કોરોનાના નવા દર્દીઓની સંખ્યાના મામલે ગુજરાત 19માં ક્રમે
આજે રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણથી વધુ 14 લોકોએ જીવ ગુમાવ્યો
રાજ્યમાં અત્યાર સુધી કોરોનાનો કુલ મૃત્યુઆંક 3108 થયો
હાલ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસોની સૌથી પ્રથમવાર 16 હજારને વટાવીને સર્વાધિક 16,475 પહોંચી ગઇ, એટલે કે આટલા દર્દીઓ સારવાર હેઠળ, હાલ 95 દર્દીઓ વેન્ટિલેટર પર
તો બીજી બાજુ સારવાર બાદ 1212 કોરોનાગ્રસ્ત દર્દીઓ સાજા થતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા
અત્યાર સુધી રાજ્યમાં 84 હજારથી વધુ કોરોનાગ્રસ્ત દર્દીઓ સાજા થયા
રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 81.23 ટકા થયો
આજે રાજ્યમાં કુલ 72,561 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા
રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના ટેસ્ટનો આંકડો 28 લાખની નજીક પહોંચી
રાજ્યમાં દર 10 લાખની વસ્તીએ દરરોજ સરેરાશ 1116.32 ટેસ્ટ થાય છે
રાજ્યમાં કોરોનાવાયરસની સ્થિતિ
કુલ પોઝિટિવ કેસઃ 1,04,341
કુલ એક્ટિવ કેસઃ 16475
કુલ મૃત્યુઆંકઃ 3108
સાજા થયેલા દર્દીઓઃ 84,758
આજે થયેલા કોરોના ટેસ્ટઃ 72,561
કુલ કોરોના ટેસ્ટઃ 27,80,681
ક્વોરોન્ટાઇન થયેલા લોકોઃ 7,35,952


