By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ગુજરાતમાં પોલીસ પર સોશિયલ મીડિયા બંધી, સુનિતા યાદવ, ગ્રેડ પે વધારા બાબતે સોશિયલ મીડિયામાં મુદ્દો ઉછળતાં લેવાયેલો નિર્ણય
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > ગુજરાતમાં પોલીસ પર સોશિયલ મીડિયા બંધી, સુનિતા યાદવ, ગ્રેડ પે વધારા બાબતે સોશિયલ મીડિયામાં મુદ્દો ઉછળતાં લેવાયેલો નિર્ણય
AhmedabadGeneralGujarat Now

ગુજરાતમાં પોલીસ પર સોશિયલ મીડિયા બંધી, સુનિતા યાદવ, ગ્રેડ પે વધારા બાબતે સોશિયલ મીડિયામાં મુદ્દો ઉછળતાં લેવાયેલો નિર્ણય

HM News
Last updated: 21/07/2020 7:24 AM
HM News
5 years ago
Share
SHARE

સૂરતમાં મંત્રી કિશોર કાનાણીના પુત્રને કર્ફ્યુ ભંગ બદલ જાહેરમાં ખખડાવ્યાનો કિસ્સો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો અને તે પછી હમણાં પોલીસ કર્મચારીઓએ હેશટેગ થકી ગ્રેડ પે વધારાની માંગણી કરી. આ બન્ને બાબતોને લઇને રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ પોલીસ કર્મચારીઓ માટે સોશિયલ મીડિયાના વપરાશ માટેની ગાઇડલાઇન જાહેર કરી મનફાવે તે રીતે પોસ્ટ ન મૂકવાનો હુકમ કર્યો છે.

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ સ્વહસ્તાક્ષરથી પરિપત્રિત કરેલા આ હુકમ અનુસાર કોઇપણ પોલીસ કર્મચારી પોતાની સર્વિસને લગતી કોઇપણ બાબત અંગેની ટીકા કે મંતવ્ય તેઓ સોશિયલ મીડિયા પર નહીં કરી શકે જેમાં સરકાર કે પોલીસ વિભાગ વિરુદ્ધ ટીપ્પણી હોય.ખાનગી હેતુ માટે જો સોશિયલ મીડિયાનો કોઇ પોલીસકર્મી ઉપયોગ કરે તો તેણે સ્પષ્ટ કરવું પડશે કે તે તેનો વ્યક્તિગત અભિપ્રાય છે અને સત્તાવાર નથી અને આવી ટીપ્પણી તેમની સેવાના નિયમોથી વિપરીત નથી.કોઇપણ પોલીસ કર્મીએ સોશિયલ મિડિયા પર તેવી કોઇપણ પોસ્ટ મૂકવી નહીં કે જેથી કરીને જાહેર અધિકારી તરીકે તેમની છબિને નુકશાન થાય કે સરકારી કે પોલીસ વિભાગને બદનામ કરે.સુનિતા યાદવે જે રીતે સૂરતમાં પોતાની કાર્યવાહી રેકોર્ડ કરાવી હતી તે સંદર્ભ આમાં સૂચિત છે.

આ ઉપરાંત પોતાની રીતે રાજકીય પ્રવૃત્તિથી પ્રેરિત કોઇપણ પ્રકારની પોસ્ટ નહીં કરી શકે કે પોતાના નિવેદન જાહેર નહી કરી શકે.આ ઉપરાંત જ્યાં કોઇ વોટ્સએપ કે સોશિયલ મિડિયા ગ્રુપ કે પ્લેટફોર્મ પર જાતિ,ધર્મ,રાજકારણ અંગેની ચર્ચા થતી હોય ત્યાં પોતાની રીતે ટીપ્પણી નહીં કરી શકે કે આવા ગૃપના સભ્ય પણ નહીં રહી શકે,માત્ર ગુપ્તચર વિભાગના કર્મીઓ ઉપલા અધિકારીની પરવાનગી સાથે આવા ગૃપમાં રહી શકે છે.આ ઉપરાંત પોતાની સેવામાં મેળવેલી ઉપલબ્ધિ જેવી કે ડિટેક્શન કે અન્ય કોઇપણ બાબત જે તે નિયુક્ત થયેલાં અધિકારીએ જ સોશિયલ મીડિયા પર કરવાની રહેશે.

સુરત જિલ્લામાં મેઘરાજાનું આગમન : આઠ કલાકમાં અઢી ઇંચ સુધી વરસાદ
સુરત : મહિલા પ્રોફેસરે કરેલા આપઘાત કેસમાં 3 મોબાઈલ નંબર સામે ગુનો દાખલ
ગુજરાતમાં લોકડાઉન લગાવવું જોઇએ કે નહીં ? આ સવાલના જવાબમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શું કહ્યું… જાણો
ડચ સાંસદ ગીર્ટ વિલ્ડર્સે કન્હૈયાલાલ હત્યાકાંડ અંગે ચેતવણી આપી,કહ્યું કે ‘ઈસ્લામનું તુષ્ટીકરણ ન કરો, ખૂબ જ ભારે પડશે’ ,
રાજભવનમાં નવા મંત્રીમંડળના શપથ પહેલાં કમલમમાં ઉજવણીની તૈયારીઓ શરૂ, મીઠાઈઓ, ફૂલોના ટોપલા અને ઢોલી પહોંચ્યાં
Share This Article
Facebook Email Print
Previous Article ભાજપના ફાયનાન્સિયલ મેનેજમેન્ટમાં માહેર સી.આર.પાટીલને ગુજરાત પ્રદેશ પ્રમુખ પદનું ‘ઈન્સેન્ટિવ’
Next Article સી.આ૨.પાટીલની નિયુક્તિથી શું પાટીદા૨ અને ઓબીસી બંને ફેકટ૨ને ડિસ્કાઉન્ટ ક૨વાની તૈયા૨ી ?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up