રાજકોટ તા. ૧૮: ગુજરાત દારૂના વધતા જતાં કેસોને ડામવા રાજયના કુલ ૩૬ જીલ્લાઓમાં દરેક જીલ્લા મથકો માટે સ્પે. પી.પી.ઓની નિયુકત કરવામાં આવી છે. જેમાં રાજકોટ જીલ્લા માટે હાલમાં મદદનીશ સરકારી વકીલ તરીકે ફરજ બજાવતાં કમલેશ બી. ડોડીયાની શહેર-જીલ્લા માટે સ્પે. પી.પી. તરીકે નિમણુંક કરવામાં આવી છે.
ગુજરાતના કાયદા ખાતાના નાયબ સચિવશ્રી ડી. એમ. ભાભોરે દ્વારા એક નોટીફીકેશન બહાર પાડવામાં આવેલ છે. જેમાં દરેક જીલ્લાના પ્રોહિબીશનના પ લાખથી વધુ રકમનો મુદ્દામાલ ધરાવતાં કેસોમાં દરેક શહેર અને જીલ્લા મથકોએ સ્પે. પી.પી.ની નિમણુંકો કરવામાં આવી છે.
રાજકોટ શહેર-જીલ્લા માટે એ.પી.પી. શ્રી કમલેશ બી. ડોડીયાની જામનગરમાં જમનભાઇ ભંડેરી, જુનાગઢમાં રાજકુમાર ડી. હિરાણી, પોરબંદરમાં મેઘદુતસિંહ જાડેજા, ભાવનગરમાં બી. આર. દેવમુરારી સુરેન્દ્રનગરમાં હર્ષદભાઇ પરમાર, અમરેલીમાં મમતાબેન આર. ત્રિવેદી, ગીર સોમનાથમાં રાજેન્દ્ર એસ. આચાર્યની નિમણુંકો કરવામાં આવી છે.
આવી જ રીતે મોરબી જીલ્લામાં દેશીબંધુ એ. પંડયા, દ્વારકામાં ડી. આર. ત્રિવેદીની નિમણુંક કરવામાં આવી છે.આ ઉપરાંત અમદાવાદ, સુરત, વડોદરા, વાપી, વલસાડ સહિતના ઉતર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના દરેક જીલ્લામાં સ્પે. પી.પી.ઓ.ની નિમણુંક કરવામાં આવી છે.
ગુજરાતના અન્ય જીલ્લાઓ જેવા કે, સુરત માટે વિપુલ મોદી, સુરત ગ્રામ્ય માટે નટુભાઇ પટેલ અને ક્રિષ્નકાંત રોહિત, ખેડા માટે ઉમેશભાઇ ધગટ, વલસાડ માટે એ. આર. ત્રિપાઠી, કે. એલ. શ્રોફ ત્થા આણંદ માટે ડી. એ. પટેલની નિમણુંક કરાઇ છે.
આ ઉપરાંત અમદાવાદ ગ્રામ્ય માટે જે. સી. પટેલ, શહેર માટે કમલેશ જૈન,કચ્છ પશ્ચિમમાં મનોજ પટેલ અને કચ્છ પુર્વમાં રણવીરસિંહ પરમાર,ગાંધીનગરમાં હિતેષ રાવલ વિગેરે જીલ્લાઓ માટે સ્પે. પી.પી.ઓ.ની નિમણુંકો કરવામાં આવી છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, ગુજરાત પ્રોહિબીશનને લગતા કેસોમાં ઉતરોતર વધારો થઇ રહ્યો છે.સરકારે કાયદામાં સુધારો કરી અગાઉ સજાની જોગવાઇ કરેલ તેમજ કેસનો મુદ્દામાલમાં પકડાયેલ વાહનોનો કબજો પરત સરળતાથી ન છુટી જાય તે અંગેનો સુધારો કરવામાં આવેલ.હવે પ્રોહિબીશનના કેસોમાં મહત્તમ સજા થાય અને ગુજરાતમાંથી દારૂનું દુષણ દુર થાય તેવા શુભ આશયથી તેમજ આરોપીઓને મહત્તમ કેસોમાં સજા થાય તેને ધ્યાને લઇને ગુજરાત સરકારે આવા કેસોનો કાયદો કડક કર્યા બાદ હવે સ્પે.પી.પી.ઓ.ની પણ નિમણુંકો કરતાં દારૂના ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાયો છે.
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં પ્રોહીબીશનને લગતા હજારો-લાખોની સંખ્યામાં કોર્ટોમાં કેસો પેન્ડીંગ છે. તેનો હવે ઝડપી નિકાલ થશે.
ગુજરાત સરકારના આ નિર્ણયને ગુજરાત વકીલ મંડળોએ આવકારેલ છે.
કમલેશભાઇ ડોડીયા
સ્પે. પી.પી. રાજકોટ