નવી દિલ્હી તા. ૧૯ :.. કોંગ્રેસના રાજયસભા સાંસદ તેમજ પ્રવકતા અભિષેક મનુ સિંઘવીએ કહયું કે રાજયસભા ચૂંટણી દરમ્યાન ગુજરાતમાં જે વિધાયકોએ કોંગ્રેસમાંથી રાજીનામું આપવામાં આવ્યું હતંુ હવે કહી રહયા છે કે તેમને કરોડો રૂપિયાની ઓફર ભાજપે આપી હતી.આવા નેતાઓના વીડીયો પણ કોંગ્રેસ દ્વારા જાહેર કરીને કેસ નોંધીને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.
સિંઘવીએ કહયું કે વિધાયકોની ચારેય બાજૂ ખરીદી થઇ રહી છે.વડાપ્રધાન મોદીના નાક નીચે પ૦ – પ૦ કરોડની વાત થઇ રહી છે.બીજેપી ચૂંટણીના પ વર્ષના જનાદેશને ર અથવા ૩ વર્ષનો બનાવી રહી છે.વિધાયકોને રાજીનામું અપાવે છે.સિંઘવીએ કહયું છે. તેનાથી બીજેપીની ચાલ, ચરિત્ર અને ચહેરો,સત્તા માટે લાલચ માલુમ પડી રહી છે.