ગુજરાતમાં વધુ બે સહિત કુલ ૭૩ને કોરોના

HM News
3 Min Read

૩૭ લોકોને સ્થાનિક સંપર્કના કારણે ચેપ : રાજયમાં ૬ મોત, પ દર્દીઓ સાજા થઇ ગયા : બાકીનાની તબિયત સ્થિર : અમદાવાદમાં રપ, રાજકોટમાં ૧૦, ગાંધીનગરમાં ૧૧, સુરત-વડોદરામાં ૯-૯, ભાવનગરમાં ૬ લોકો કોરાનાગ્રસ્ત

ગાંધીનગર, તા. ૩૧ : સ્વણિમ સંકુલ ખાતે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે,આજે સવાર સુધી કુલ ૭૩ કેસો આવ્યા છે.પ સ્વસ્થ થઇ ગયા છે. બાકીનાની તબિયત સ્થિર છે.પ એપ્રિલ સુધી વિશેષ જાળવવાનો સમય છે.આજે ૧૮૧૭૮ સરકારમાં ૭૪૧ લોકો કોરોન્ટાઇલમાં છે.કોરોન્ટાઇલના ભંગ કરે તેને ફરજિયાત સરકારી કોરોન્ટાઇલમાં લેવામાં આવશે. વિદેશ સંપર્ક વાળા ૩ર કેસ છે.ભારત સરકારના નિયમ મુજબ ‘ડોટ સ્કોટ’ જે વિસ્તારમાં કેસો વધારે પ્રમાણમાં પ્રસરવામાં આવ્યા તેના માટે ‘ડોટ સ્કોટ’ મુજબ દેખરેખ રાખવામાં આવશે.અમારી વિનંતી છે કોપ લોકડાઉન રહેવું જરૂરી છે.૧૧૦૦ નંબર વાળો હેલ્પલાઇન ચાલુ કરવામાં આવ્યો છે.ગુજરાતમાં ડોકટરોની ૪ નવી ટીમ બનાવવામાં આવી છે.આ ટીમ નાનામાં નાની બાબતની કાળજી લેશે.ઉપરાંત દવાઓ,વેન્ટીલેટર વગેરે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે.ભારત સરકારની સુચના મુજબ રાજય સરકાર દ્વારા પૂરતો અમલ કરવામાં આવી રહ્યો છે.આ ઉપરાંત જરૂરી તમામ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. રાજયના મોટા ભાગના લોકોની સર્વેની કામગીરી ચાલી રહી છે.ગુજરાતમાં જે કેસો બન્યા છે તેમાંથી પાંચ લોકો સારવાર લઇ સ્વસ્થ થઇ પોતાના ઘરે જઇ રહ્યા છે.પાંચમાંથી ત્રણ ૬૦ વર્ષના ઉંમરના છે.લોકડાઉનના નિયમોનું પાલન કરીએ.તો ચોક્કસ આપણા જીવ બચાવીશું.નાના મોટા નિયમો નિયમિત રોગ હોય તેમણે દવા નિયમિત લેવી.ગુજરાતમાં હાલની પરિસ્થિત અંગે આરોગ્ય સચિવ જયંતિ રવિએ માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે ગુજરાતમાં લોકલ ટ્રાન્સમિશનના કેસ વધી રહ્યા છે.લોકલ ટ્રાન્સમિશનના ૩૭ કેસ સામે આવ્યા છે જે ચિંતાજનક બાબત છે.જો લોકો લોકડાઉનનું પાલન નહીં કરે તો પ એપ્રિલ સુધી કોરોના વાયરસના આંકડાનો ગ્રાફ ભયજનક પરિસ્થિતિેએ પહોંચી જવાની શકયતા તેમણે દર્શાવી હતી.કોરાનાની આંકડાકીય માહિતી નીચે મુજબ છે.

* રાજયમાં આજે કોરોનાના વધુ ર કેસ નોંધાયા * અમદાવાદમાં આજે બે પોઝીટીવ કેસ નોંધાયા * રાજયમાં કોરોના કેસનો આંકડો વધીને ૭૩ એ પહોંચ્યો * રાજયમાં અત્યાર સુધી ૬ લોકોના થયા છે મોત * પ લોકોને ડિસ્ચાર્જ કરાયા, ર લોકો આઇસોલેશનમાં દાખલ * વિદેશથી આવેલા ૩ર લોકો, અન્ય રાજયથી આવેલા ૪ દર્દીઓ * ૧૮૦૮૭ લોકો હોમકોરોન્ટાઇનમાં અને ૭૪૧ સરકારી કોરન્ટાઇનમાં.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *