– સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ફરી એકવાર હિન્દુત્વનુ મોજું ફરી વળશે, ચૂંટણીમાં ટિકીટના દાવેદારોને મંદિર માટે ફંડ આપવા અપીલ
ગુજરાતમાં 1990 પછી ફરીવાર 2021માં હિન્દુત્વનું મોજું ફરી વળે તેવી સંભાવના છે.રાષ્ટ્રીય ભાજપ્ના ઇશારે ગુજરાત પ્રદેશ એકમ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી સાથે રાજ્યમાં રામમંદિર માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.રામમંદિરના નિમર્ણિ માટે ભાજપ શાસિત રાજ્યોએ ફંડ આપવાની શરૂઆત કરી છે ત્યારે ગુજરાતમાં પણ લોકો પાસેથી ફંડ ઉઘરાવવાની પ્રક્રિયા શરૂ થાય તેવી સંભાવના છે.ભાજપ દ્વારા જે ઉમેદવારી પસંદગી માટેના ફોર્મ આપવામાં આવ્યા છે તેમાં રામ જન્મભૂમિ તીર્થ માટેની નિધિમાં દાન આપ્યું છે કે નહીં તેવો સવાલ કરવામાં આવ્યો છે.દાન નહીં કર્યું હોય તો ટિકીટ નહીં મળે તેવું ફલિત થાય છે.
ભાજપના જે કાર્યકરો અને નેતાઓ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી લડવા માગે છે તેમણે રામ મંદિરના નિમર્ણિ માટે ફરજીયાત દાન આપવું પડશે,કારણ કે દાન આપ્યાં વિના કોઇપણ કાર્યકર કે નેતાને ટિકીટ મળવાની સંભાવના ઓછી છે. પરિણામ એવું આવ્યું છે કે સંભવિત ઉમેદવારોએ રામ મંદિર માટે દાન આપવાની શરૂઆત કરી છે.અત્યારે પાર્ટીના કાર્યકરો અને આગેવાનો દાન કરી રહ્યાં છે પરંતુ ભવિષ્યમાં ગુજરાતની જનતા પાસેથી પણ રામ મંદિર માટે ફંડફાળો માગવામાં આવી શકે તેમ છે.
ગુજરાતમાં છ મહાનગરપાલિકા માટે 21મીએ મતદાન થશે અને 23મીએ પરિણામ જાહેર કરાશે,જ્યારે 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતો તેમજ 81 નગરપાલિકાઓ માટે 28મી ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે અને બીજી માર્ચ પરિણામ જાહેર થશે.આ ચૂંટણીમાં રામ મંદિરના નિમર્ણિ કાર્ય માટે ચૂંટણી સ્ટેટેજી બનાવવામાં આવે તેમ મનાય છે.એટલે કે ગુજરાતમાં ભાજપ આ સ્થાનિક ચૂંટણીમાં હિન્દુત્વના મુદ્દાને આગળ ધરીને મતદારોને મનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.