By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ગુજરાતમાં હવે 400 રૂપિયામાં થશે RTPCR ટેસ્ટ, નાયબ મુખ્યમંત્રીએ કરી જાહેરાત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > ગુજરાતમાં હવે 400 રૂપિયામાં થશે RTPCR ટેસ્ટ, નાયબ મુખ્યમંત્રીએ કરી જાહેરાત
GandhinagarGeneral

ગુજરાતમાં હવે 400 રૂપિયામાં થશે RTPCR ટેસ્ટ, નાયબ મુખ્યમંત્રીએ કરી જાહેરાત

HM News
Last updated: 28/07/2021 10:13 AM
HM News
4 years ago
Share
SHARE

– આરટીપીઆર ટેસ્ટ માટે અત્યાર સુધી 700 રૂપિયા લેવામાં આવતા હતા. ત્યારે તેમાં 300 રૂપિયાનો ઘટાડો કરાયો
– જો ઘરે RTPCR ટેસ્ટ કરાવવા બોલાવશો તો તેમાં તેના ચાર્જમાં 350 રૂપિયાનો ઘટાડો કરાયો. હવે 550 રૂપિયા ટેસ્ટ થશે
– એરપોર્ટ પર 2700 રૂપિયામાં આરટીપીસીઆર ટેસ્ટ કરાવી શકાશે. અગાઉ 3000 રૂપિયામાં થતો હતો, જેમાં 300 રૂપિયાનો ઘટાડો કરાયો

ગાંધીનગર : કોરોનાની ત્રીજી લહેર નજર સામે છે,ત્યારે ગુજરાત સરકાર દ્વારા મોટી જાહેરાત કરાઈ છે.સરકાર દ્વારા કોરોના માટે કરાતા આરટીપીસીઆર ટેસ્ટના ભાવમાં ઘટાડાની જાહેરાત કરાઈ છે.આરટીપીસીઆર ટેસ્ટનો ભાવ 700 રૂપિયાથી ઘટાડીને 400 રૂપિયા કરવામાં આવ્યો છે.આમ,આરટીપીસીઆર ટેસ્ટના ભાવમાં સીધો 300 રૂપિયાનો ઘટાડો કરાયો છે તેવી જાહેરાત નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે કરી છે.તો સાથે જ 2700 રૂપિયામાં એરપોર્ટ પર આરટીપીઆર ટેસ્ટ કરાવી શકાશે.

ઘરે ટેસ્ટ કરાવવાનો ભાવ 550 અને એરપોર્ટ પર 2700 માં થશે

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે કોરોનાનો ટેસ્ટ થાય છે.ત્યારે સરકારે આરટીપીસીઆર ટેસ્ટનો દર ઘટાડ્યો છે.ખાનગી લેબોરેટરીમાં આરટીપીઆર ટેસ્ટ માટે અત્યાર સુધી 700 રૂપિયા લેવામાં આવતા હતા.ત્યારે તેમાં 300 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.હવેથી આ ટેસ્ટ 400 રૂપિયામાં જ ખાનગી લેબોરેટરીના કરાવી શકાશે. તેમજ જો ઘરે આરટીપીસીઆર ટેસ્ટ કરાવવા બોલાવશો તો તેમાં તેના ચાર્જમાં 350 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.હવે 550 રૂપિયામાં ઘરે આરટીપીઆર ટેસ્ટ થશે.તેમજ એરપોર્ટ પર 2700 રૂપિયામાં આરટીપીસીઆર ટેસ્ટ કરાવી શકાશે. અગાઉ એરપોર્ટ પર આ ટેસ્ટ 3000 રૂપિયામાં થતો હતો,જેમાં 300 રૂપિયાનો ઘટાડો કરાયો છે.

તેમણે વધુમાં કહ્યું કે, કોરોનાનાની પરિસ્થિતિ થાળે પડતી જાય છે.વેપાર-ધંધા પણ મૂળ સ્વરૂપે આવતા જાય છે.જેઓને બીજો ડોઝ લેવાનો થાય છે તેવા વ્યક્તિઓ માટે પણ આ રવિવારે વેક્સિનેશનની કામગીરી ચાલુ રાખવામાં આવશે.વેક્સિન નો જથ્થો જેમ જેમ રાજ્યને પ્રાપ્ત થતો જાય છે તેમ તેમ કામગીરી ચાલી રહી છે.મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કોર ગ્રૂપની બેઠકમાં ચર્ચા કરવામાં આવે છે.સંભવિત કહેવાતા ત્રીજા વેવ તૈયારીઓ રાજ્ય સરકાર કરી રહી છે.બીજા રાજ્યોમાં અને અન્ય દેશોમાં જે પ્રકારે કે જો આવી ગયા છે તેનું ધ્યાન રાખીને રાજ્ય સરકાર પણ દર્દીઓને વધુ સારવાર આપી શકાય તેવી તૈયારીઓ કરી છે.

PM મોદીના ડ્રીમ પ્રોજ્કટને લઇ જાપાનના સૌથી મોટા મીડિયા સમૂહના પત્રકારો ગુજરાતના ગામડાઓમાં રહ્યા છે…
ભારતમાં સપ્ટેમ્બર સુધી લંબાવાશે લોકડાઉન : અમેરિકી ગ્રુપે રીપોર્ટ બહાર પડયા બાદ ફેરવી તોડયુ
ગુજરાતના રાજકારણમાં ઓવૈસીની એન્ટ્રી,પંચાયતોની ચૂંટણીમાં ભાજપને મદદ કરનારા BTP પક્ષ સાથે કર્યું જોડાણ
સવારે ઉઠતાની સાથે જ કરી લો આ ઉપાય, માતા લક્ષ્મીજીની કૃપા કાયમી રહેશે
રાજ ઠાકરેની ફટકારથી તંત્ર સફાળું જાગ્યું : માહિમ સ્થિત મજાર ડિમોલીશ કરાઈ
Share This Article
Facebook Email Print
Previous Article ગજબ છે મોદી ! 1950માં જન્મ અને 1989માં શોધાયેલા ધોલાવીરામાં સ્ટુડન્ટકાળમાં કરેલી વીઝિટના સંસ્મરણો વાગોળી લીધા
Next Article મધ્યપ્રદેશથી ગુજરાત આવતી કારનો અકસ્માતમાં એવો ગૂંચડો વળ્યો કે, પતરાં કાપી મૃતદેહો બહાર કઢાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up