By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ગુજરાતમાં 16 ચેકપોસ્ટ નાબુદ થયા બાદ રાજ્ય સરકારને ફાયદો થયો કે નુકસાન ?
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > ગુજરાતમાં 16 ચેકપોસ્ટ નાબુદ થયા બાદ રાજ્ય સરકારને ફાયદો થયો કે નુકસાન ?
AhmedabadGeneralGujarat Now

ગુજરાતમાં 16 ચેકપોસ્ટ નાબુદ થયા બાદ રાજ્ય સરકારને ફાયદો થયો કે નુકસાન ?

HM News
Last updated: 19/03/2020 8:37 AM
HM News
6 years ago
Share
SHARE

રાજ્યની વિકાસયાત્રાને વધુ આગળ ધપાવવા ઝડપી, સુરક્ષીત અને સલામત વાહન વ્યવહાર ખુબ જ જરૂરી છે. લોક જાગૃતિ તેમજ રાજ્ય સરકારના સુદ્રઢ આયોજન થકી ગુજરાતમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે અકસ્માતની સંખ્યામાં 9.18%નો ઘટાડો નોંધાયો છે તેમ વાહન વ્યવહાર મંત્રી આર.સી. ફળદુએ વિધાનસભા ગૃહમાં વિભાગની માંગણીઓ રજુ કરતા જણાવ્યું હતું. વિધાનસભા ગૃહમાં આજેવાહન વ્યવહાર વિભાગની રૂા.633.19 કરોડની માંગણીઓ પસાર કરવામાં આવી હતી.

તેમણે જણાવ્યું હતું કે વાહન વ્યવહાર વિભાગ હેઠળ વાહન વ્યવહાર ખાતુ અને ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એ બે મુખ્ય આધારસ્તંભ છે. આ બંન્ને એકમો દ્વારા રાજ્યમાં વાહનની નોંધણી, લાયસન્સ, માર્ગ સલામતી અને સામાન્ય માણસને અવર-જવરની સલામત અને સુવિધાયુક્ત પરિવહન સેવાઓ પુરી પાડવામાં આવે છે. રાજ્યના 99.60% વિસ્તારમાં 8,490 થી વધારે બસો દ્વારા પ્રતિદિન 24 લાખ મુસાફરોને સસ્તા દરે સુરક્ષીત મુસાફરીની સુવિધા ઉપલબ્ધ કરાવીને સાચા અર્થેમાં “એસ.ટી અમારી સલામત સવારી” ના ધ્યેય મંત્રને ચરીતાર્થ કરવામાં આવ્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે આપણા ગુજરાતમાં વર્ષ 1996-97માં 37.97 લાખ વાહનો હતા, જે ગુજરાતની પરીશ્રમશીલ જનતાના પુરુષાર્થ અને સમૃધ્ધિના પરિણામે તેમાં વધારો થઇને તે સંખ્યા આજે 2.65 કરોડ સુધી પહોંચી છે. જે રાજ્યના સુદ્રઢ પરિવહન માળખા અને સારી ગુણવત્તાવાળા માર્ગોને આભારી છે. પારદર્શી અને નિર્ણાયક મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વવાળી ગુજરાત સરકારે પ્રથમવાર રાજ્યની તમામ 16 ચેકપોસ્ટ નાબુદ કરવાનો ઐતિહાસીક નિર્ણય કર્યો છે. આ તમામ ચેકપોસ્ટ નાબુદ કરવા છતાં છેલ્લા 4 માસમાં રૂા.100 કરોડની આવક પ્રાપ્ત થઇ છે એટલે કે આ આવકમાં 10.51%નો વધારો થયો છે તેમ મંત્રી આર.સી.ફળદુએ ઉમેર્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે રાજ્યના નાગરિકોને નવા લાયસન્સ માટે ગુજરાત સરકારે નવી પહેલ કરી છે. રાજ્યને 36 આરટીઓ કચેરીઓના ઉપરાંત ગુજરાતની 221 આઇટીઆઇ અને 29 પોલીટેકનીક ઉપરથી લર્નીંગ લાઈસન્સની કામગીરી શરૂ કરી છે. વર્ષોથી લોકોને લર્નીંગ લાઈસન્સ માટે જિલ્લા મથકે ધક્કા ખાવા પડતાં હતા. તે સેવા તાલુકા કક્ષાએ અપાતાં જનતાને રાહત મળી છે. ફેબ્રુઆરી –2020ના અંત સુધીમાં આઇટીઆઇ અને પોલીટેકનીકોમાંથી 1.23 લાખ લર્નીંગ લાઇસન્સ ઇસ્યુ કરવામાં આવ્યા છે.

તેમણે કહ્યું હતું કે અમારી સરકારે નિયમોના ભંગ બદલ વાહન ચાલકોને મેમો આપવાની કામગીરી ડિજિટલાઇઝ કરી છે. અગાઉ વર્ષો સુધી આ કામગીરી મેન્યુઅલ પધ્ધતિથી કરવામાં આવતી હતી. આજે પોઈન્ટ ઓફ સેલ (પી.ઓ.એસ) મશીન દ્વારા ઇ-ચલણ બને છે. ઓનલાઈન ઇ-ચલણ મેમોના નાણાં ગમે ત્યારે ગમે ત્યાંથી ભરી શકાય છે. તેમણે કહ્યું હતું કે અમે અરજદારની હાજરી વગર-ઓન લાઇન પૂરી પાડવામાં આવેલી વધારાની વાહન અને લાયસન્સ સંબંધી નવી સાત સેવાઓ ઉપલબ્ધ કરાવી છે જેમાં ડ્રાઈવીંગ લાયસન્સ રીન્યુયલ, ડુપ્લીકેટ લાયસન્સ, લાયસન્સ સંબધી માહિતી અને વાહન સંબંધી સેવાઓ જેવી કે, વાહન લોન મુક્તિ, ડુપ્લીકેટ આર.સી બુક સંલગ્ન સેવાઓનો સમાવેશ થાય છે.

તેમણે જણાવ્યું હતું કે ફેબ્રુઆરી –2020 અંતર્ગત વાહનને લગતી સેવાની 1.40 લાખ અરજીઓ પૈકી 1.22 લાખ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત લાઈસન્સ સંબંધી 2.30 લાખ અરજીઓ પૈકી 2.07 લાખ અરજીઓનો પણ હકારાત્મક ઉકેલ કરાયો છે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના 125 શહેરો હોય કે 18000થી વધુ ગામડા હોય, બેટ વિસ્તાર હોય કે જંગલ વિસ્તાર હોય, દુર્ગમ પહાડી વિસ્તાર હોય કે છેવાડાના ગામડાના ઝૂંપડામાં રહેનારો માનવી હોય, અમારા એસ.ટી. નિગમ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યના બધાજ વિસ્તારોની અંદર અમારી એસ.ટી.ની અહર્નિસ સેવા પુરી પાડવા અમે કટીબધ્ધ છીએ.

તેમણે વધુ વિગતો આપતા કહ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રીએ ગરીબ અને મધ્યમ વર્ગના માનવીની અંદર પડેલી વ્યથાને પામીને ગરીબ માણસને પોતાના બાળકોના લગ્ન પ્રસંગે વાહન ભાડે લેવું હોય તો માર્કેટમાં ખુબ મોંઘા ભાવે ભાડેથી વાહન મેળવવું પડતું હતું જેના તેમને ભાડા પોષાતા ન હોય, આવા પ્રસંગે આ ગરીબ અને મધ્યમ વર્ગના માનવીની મનની ઇચ્છા, એની અંતરની ઇચ્છાને મુખ્યમંત્રીએ વાચા આપી છે અને આપણા રાજ્યની અંદર લગ્ન પ્રસંગે કે સામાજીક પ્રસંગે ગુજરાત રાજ્યની એસ.ટીની નિગમની સામાન્ય દરથી, ગરીબ અને મધ્યમ વર્ગના માનવીને પોષાય એવા સામાન્ય દરથી બસની સુવિધા આપવાની શરૂઆત વર્ષ 2018થી કરવામાં આવી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે કહ્યું હતું કે રાજ્યના મુસાફરો બસ સ્ટેશન પર એરપોર્ટ જેવી સુવિધા મળી રહે તે માટે, બસ પોર્ટસ વિકસાવવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત અમદાવાદ, રાણીપ, વડોદરા, મકરપુરા, અડાજણ, મહેસાણા અને તાજેતરમાં રાજકોટ ખાતે એવા સાત બસ પોર્ટસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આગામી સમયમાં વધુ 8 બસ પોર્ટસ લોકોની સુવિધા માટે તૈયાર કરવામાં આવશે.

આ ઉપરાંત રાજ્યના નાગરિકોને સુવિધાનજક બસ સ્ટેન્ડ મળે તે હેતુથી રાજ્ય સરકારની મુડીકૃત સહાયથી 132 નવા બસ સ્ટેશન મુસાફર-જનતાની સેવામાં કાર્યરત કરાયા છે. જયારે વધુ 79 બસ સ્ટેશનો અપગ્રેડ કરવામાં આવ્યા છે તેમજ 32 બસ સ્ટેશનો કામો પ્રગતિ હેઠળ છે. આ સિવાય વધુ 31 બસ સ્ટેશનોના ખાત મુર્હુત પણ કરવામાં આવ્યા છે તેમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે રાહતદરે ગ્રુપ બૂકિંગ યોજનાના મુખ્યમંત્રીના સંવેદનશીલ નિર્ણયનો રાજ્યમાં પરિણામલક્ષી અમલ થઈ રહ્યો છે. સ્ટેટ ટ્રાન્સપોર્ટ નિગમની તમામ બસોને GPS સિસ્ટમથી સાંકળી લેવામાં આવી છે જેનું વિભાગીય કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે થી 24 કલાક મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત મુસાફરોને મોબાઈલ એપ દ્વારા કે વેબસાઇટ દ્વારા ટીકીટ બુકીંગ કરાવવાની સુવિધા ઉપલબ્ધ કરાવી છે એટલુ જ નહી ઓન લાઇન ટીકીટ બુક કરાવનાર મુસાફરોને 8 થી 10% ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવે છે.

તેમણે કહ્યું હતું કે મુખ્યમંત્રી વિજય રૂપાણીની નેતૃત્વવાળી સરકાર સાચા અર્થમાં સંવેદનશીલ સરકાર છે. જેના ભાગરૂપે ગંભીર બીમારી, અંધજન, દિવ્યાંગો તેમજ વિદ્યાર્થીઓને રાહત દરે/વિનામુલ્યે મુસાફરીનો લાભ આપવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકારના માર્ગ સલામતી અંગેના ચોક્કસ આયોજન થકી રોડ સેફ્ટી માટે 2018-19માં રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ ગુજરાતને મળ્યો છે. આ ઉપરાંત GEM પોર્ટલ ઉપર સૌથી વધુ પારદર્શક ખરીદી કરવા માટે ગુજરાત એસ.ટી. નિગમને એવોર્ડ પણ સન્માનીત કરવામાં આવ્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું. અમારા ત્રણેય વિભાગ ગુજરાતના ખેડૂતો, ગ્રામિણ પ્રજાજનો તથા ગુજરાતની આમ જનતાની સેવામાં પુરી કાળજી અને નિષ્ઠા સાથે જવાબદારી સંભાળી રહ્યા છીએ જેના પરિણામે આજે ગુજરાતમાં પ્રતિવર્ષ અકસ્માતનું પ્રમાણ ઘટી રહ્યું છે તેની સાથે શ્રેષ્ઠ કક્ષાની સુવિધાઓ રાજ્યના મુસાફરોને ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે તેમ પણ તેમણે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું.

પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ
ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી
બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article BJP સાંસદનો પોતાની જ સરકાર પર હુમલો
Next Article 38 હજાર કરોડના સંરક્ષણ સોદાને મંજૂરી, તેજસ વિમાન માટે ડીલ થશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

4 months ago

CR PATIL નો Audio viral : Kushik તારા દુશ્મન વધી રહયા છે….

4 months ago

ગુજરાતમાં નવા જૂની થશે! પ્રદેશ પ્રમુખ અંગે સયુંકત પ્રેસ કોન્ફરન્સ બાદ પણ સસ્પેન્સન યથાવત

4 months ago

ખૈલયાઓની નવરાત્રી બગડી શકે ! હવામાન વિભાગ દ્વારા છેલ્લા ચાર દિવસ આ જિલ્લામાં વરસાદ અંગે આગાહી કરાઈ

4 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Engineering
  • Election
  • Design
  • Innovation
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Love
  • Viral
  • Fashion
  • Like
  • Motivation
  • Conservative
  • Video
  • Photography
  • Politics
  • Exercise
  • Selfcare
  • Style
  • Vote
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • માતા-પિતા
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • કૃષિ
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • સરોગેસી દ્વારા માતા બની
  • 'મિમિ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • કરોડની જોગવાઇ
  • શિક્ષણ વિભાગ
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'ફુકરે'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • ક્રેન તૂટી પડતાં
  • વરૂણ ધવન ઘાયલ
  • મોત
  • હાઇકોર્ટ
  • સુપ્રિમ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • મકાનનો જર્જરિત
  • કરોડોની છેતરપિંડી
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up