અમદાવાદ : ગુજરાતમાં અત્યારે તો આપના ઝાડૂથી કોંગ્રેસનો સફયો થઇ રહયો છે.પણ આગામી સમયમાં આ ઝાડૂ કોની કોની સફાઇ કરશે તેની ગણતરીઓ મુકાવવાની શરૂ થઇ ગઇ છે.તો બીજી તરફ આપના કાર્યકર્તાઓમાં પણ ગબજનો ઉત્સાહ વધ્યો છે.જાહેરમાં ભલે કોઇ પક્ષ આપને નાની અમથી જીત ગણાવે પણ આપ માટે આ જીત સાથે ગુજરાતમાં ગૃહપ્રવેશ ચોકકસ થયો છે.અને આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં પણ તેના પરિબળો જોવા મળશે
ગુજરાતની સ્થાનિક ચૂંટણીઓમાં મહાનગરપાલિકાના પરિણામ બાદ.જીલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાની ચૂંટણી યોજવાનો નિર્ણય.ભાજપ માટે ખરેખર સફળ રહયો છે.કારણ કે મહાનગરપાલિકામાં કોંગ્રેસ કરતાં આપનું જોર વધી જતાં ભાજપ એલર્ટ થઇ ગયુ હતું.અને આ ચૂંટણીમાં રાતોરાત વ્યુહરચના બદલીને કોંગ્રેસને બદલે આપને પછડાવા જોર લગાવ્યુ હતું.કોઇ પક્ષ જાહેરમાં એ કયારેય નહી સ્વિકારે કે આ પરિણામોએ.હવે નવેસરથી નેતાઓને ગણતરી કરતાં કરી દીધા છે.પણ સચ્ચાઇ એ છે આપની એન્ટ્રીથી રાજકીય પાર્ટીઓ હવે સફાળી જાગી છે.જો કે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મળેલી ભવ્ય સફળતા બાદ.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સુરતની જનતાનો આભાર માન્યો હતો, ગુજરાતીમાં જ અરવિંદ કેજરીવાલે ” ગુજરાતની જનતાનો ખૂબ ખૂબ આભાર” એવું કહીને દિલ જીતવાનો પ્રયાસ કર્યો હતો. કેજરીવાલની મુકવી આમ જોવા જઇએ તો આમ આદમી પાર્ટી બિલકુલ ભાજપની જેમ જ ધીમે ધીમે લક્ષ્ય તરફ આગળ વધી રહી છે.જેનું અત્યાર સુધી કોઇ નામોનિશાન દિલ્હી સિવાય ન હતું. તેના પર ગુજરાતની જનતાએ ભરોસો મુકીને જનાધાર આપ્યો. તમને જણાવી લઇએ કે ગુજરાતના આ સ્થાનિક ચૂંટણીઓમાં.આમ આદમી પાર્ટીએ.
‘આપ’નું પ્રદર્શનમહાનગરપાલિકાઃ ૨૭ બેઠકનગરપાલિકાઃ ૧૨ બેઠકતાલુકા પંચાયતઃ ૩૧ બેઠકજીલ્લા પંચાયતઃ ૦૨ બેઠક
ખુબ જ ટુંકા ગાળામાં જે રીતે પાર્ટીને સફળતા મળી છે.તેનાથી એક વાત નકકી છે કે.,આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં પણ. આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસ બંનેને કસરત કરાવશે. મહાનગરપાલિકાની ચૂંટણીનાં પરિણામોમાં ભાજપનો વિજય તો થયો હતો,પણ સુરત મહાપાલિકામાં આમઆદમી પાર્ટીનો પગપેસારાથી ગણતરીઓ બદલાઇ હતી.ભાજપ અલર્ટ થઈ ગયુ હતું. અને તાત્કાલિક વ્યૂહરચના બદલી હતી.જેમાં ગામડાંઓમાં કૉંગ્રેસને બદલે આપને પરાસ્ત કરવામાં વધુ ધ્યાન આપયું હતું.
કારણ કે મહાનગરપાલિકાનાં પરિણામોમાં ભાજપ સામે સીધી ટક્કર આપનારી આમઆદમી પાર્ટી.પાટીદાર મત વિસ્તારમાં વિજેતા બની હતી,અને તે જ ભય ભાજપને હતો કે જો પાટીદાર અનામત આંદોલનની અસર 2015ની ચૂંટણીમાં પડી હતી અને ભાજપે હારનો સામનો કરવો પડ્યો હતો એ રીતે પાટીદારો. જો ફરી આપતરફી જતા રહે તો ભાજપને જીતવું મુશ્કેલ બને તેમ હતું,તેથી ભાજપે જે બેઠકો પર આપના ઉમેદવારો લડતા હતા,ઉપરાંત ખમતીધર અપક્ષ ભાજપને નડે નહીં એ માટે વધારાની ટીમ એક્ટિવ કરી હતી.
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ કરીને.આમ આદમી પાર્ટીને 27 સીટો મેળવવામાં સફળતા મળી.જો કે ગત મહાનગરપાલિકાની ચૂંટણીમાં પાટીદારોના મતથી કોંગ્રેસ જીતી હતી.પણ આ વખતે પાટીદારોએ કોંગ્રેસ સાથેનો છેડો ફાડીને આપને ટેકો આપતાં.સુરતમાં આમ આદમી પાર્ટીને ભવ્ય સફળતા મળી.પાટીદારોના મતોથી મળેથી વિજયથી થયેલા આપની ઉજવણીમાં.દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ પણ જોડાયા.