ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં કોંગ્રેસ હારશે”

HM News
1 Min Read

નવી દિલ્હી :તા.20 મે 2022,શુક્રવાર કોંગ્રેસની ટોચની નેતાગીરી સાથે ઈલેકશન સ્ટ્રેટેજીસ્ટ પ્રશાંત કિશોરની મંત્રણા પડી ભાંગ્યા પછી ફરી એકવખત કિશોરે કોંગ્રેસની ટીકા કરી છે.તેણે જણાવ્યું હતું કે ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ઉપર પરાજયની ખતરો તોળાઈ રહ્યો છે.
કોંગ્રેસ સાથે કિશોર વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં જોડાણ માટે વાર્તાલાપ કરી રહ્યા હતા પણ ટોચની નેતાગીરી સાથે ભેદભાવના કારણે વાટાઘાટ પડી ભાંગી હતી.
કિશોરે જણાવ્યું હતું કે ઉદેપુર ખાતે યોજાયેલી ચિંતન શિબિરનું કોઈ મહત્વ નથી.કોંગ્રેસની નેતાગીરી માટે આ સમય વેડફવાનો એક રસ્તા સિવાય કઈ નથી.આ સમય પણ તેમને આ વર્ષે યોજાનારી ગુજરાત અને વિધાનસભાની ચૂંટણીમાં તોળાઈ રહેલા પરાજય સુધી જ મળશે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *