અમદાવાદ, તા. 23 ફેબ્રુઆરી 2022 બુધવાર : રાજકોટમાં રૂ. 500 કરોડથી વધુના જમીન કૌભાંડમાં ભાજપના નેતાઓ સંડોવાયેલા હોવાનો આક્ષેપ ગુજરાત કોંગ્રેસે કર્યો છે.રાજ્ય સરકારે 111 એકર જમીનના ઉપયોગના હેતુને રહેણાંકમાંથી કોમર્શિયલમાં બદલવાના આક્ષેપ સાથે કોંગ્રેસે સીબીઆઈ તપાસની માગણી કરી હતી.
કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે જ્યારે વિજય રૂપાણી સીએમ હતા ત્યારે રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (RUDA) દ્વારા જમીન પાર્સલના ઉપયોગના હેતુને રહેણાંકમાંથી કોમર્શિયલમાં રૂપાંતરિત કરવામાં આવ્યો હતો.
કોંગ્રેસે માગ કરી હતી કે જમીનના પાર્સલને રહેણાંકમાંથી કોમર્શિયલમાં રૂપાંતરિત કરવાના આદેશને રદ કરવામાં આવે અને સીબીઆઈ આ મામલાની તપાસ કરે.
આરોપોને પાયાવિહોણા અને વાહિયાત ગણાવતા ભૂતપૂર્વ સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે તેમની છબી ખરાબ કરવાના ષડયંત્રના ભાગરૂપે તેઓ પર આરોપ લગાડવામાં આવ્યા હતા.તેમણે કહ્યું કે કોંગ્રેસ તેમની પાર્ટીમાંથી નેતાઓની હિજરતથી લોકોનું ધ્યાન હટાવવાનો પ્રયાસ કરી રહી છે.
વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા (LOP) સુખરામ રાઠવાએ જણાવ્યું હતું કે,જમીન સંપાદન કરવા અને લોકો દ્વારા રોકાણ કરાયેલા નાણા પરત કરવાને બદલે RUDA એ હેતુ બદલવા માટે સહારા ઈન્ડિયા કોમર્શિયલ કોર્પોરેશનની દરખાસ્ત હાથ ધરી છે.
પૂર્વ સીએમ વિજય રૂપાણીએ જણાવ્યુ કે આમાં 5 રૂપિયાનો પણ કોઈ ભ્રષ્ટાચાર નથી.હું આ મામલે કોઈપણ તપાસનો સામનો કરવા તૈયાર છું.દરેક સરકાર વર્તમાન પરિસ્થિતિ અનુસાર વિકાસ માટે ઝોનમાં ફેરફાર કરે છે.500 કરોડનો આંકડો પણ ખોટો છે. જમીનના ઉક્ત પાર્સલની કિંમત આશરે રૂ.75 કરોડ છે.
પૂર્વ સીએમ વિજય રૂપાણીએ પત્ર ટ્વિટ કરીને કોંગ્રેસના આરોપોને નકાર્યા હતા.


