ગુજરાત બાદ હવે આ રાજ્યના મુખ્યમંત્રીઓનો વારો, મોદી અને અમિત શાહ આમને પણ ઘરભેગા કરી દેશે

HM News
1 Min Read

ગુજરાતના મુખ્યમંત્રી પદ પરથી ગત રોજ વિજય રૂપાણીએ રાજીનામું ધરી દીધું હતું.વિજય રૂપાણીના રાજીનામાને લઈ ના માત્ર ગુજરાત ભાજપમાં પણ સમગ્ર ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્યોમાં ફફડાટ ફેલાયો છે.

માનવામાં આવી રહ્યું છે કે, આગામી સમયમાં વડાપ્રધાન મોદી અને અમિત શાહ અન્ય રાજ્યોમાંથી પણ મુખ્યમંત્રીઓને ઘેર ભેગા કરી શકે છે.છેલ્લા થોડાક મહિનાઓમાં જ વિદાય લેનારા રૂપાણી ભાજપના ચોથા મુખ્યમંત્રી છે.તેના કારણે હવે પછી મોદી કોની વિકેટ પાડશે એ મુદ્દો ભાજપમાં જોરશોરથી ચર્ચાઈ રહ્યો છે.

આપને જણાવી દઈએ કે, ભાજપમાં મુખ્યમંત્રીઓના વિદાયનો સિલસિલો માર્ચ મહિનામાં ઉત્તરાખંડના મુખ્યમંત્રી ટિકેન્દ્રસિંહ રાવતથી શરૂ થયો હતો.રાવતના સ્થાને મુખ્યમંત્રી બનાવાયેલા તીરથસિંહ રાવતને પણ ચાર મહિના પછી રવાના કરીને પુષ્કર ધામીને મુખ્યમંત્રી બનાવી દેવાયા.એ પછી કર્ણાટકમાં યેદીરુપ્પાને હટાવીને ભાજપ નેતા બસવરાજ બોમ્માઈને ગાદી પર બેસાડાયા અને હવે ગુજરાતમાંથી રૂપાણીને ખુરશી પરથી હટાવી દેવાયા છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *