મુખ્યમંત્રીની અપીલઃ લોકડાઉનને અનુસરોઃ ભંગ કરનાર સામે આકરા પગલા
ગાંધીનગર, તા.૨૩: ધીરે ધીરે ગુજરાતમાં પણ કોરોના વાયરસ ખતરનાક સ્વરૂપ ધારણ કરી રહ્યો છે.મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે વિધાનસભા ગૃહમાં જાહેરાત કરી કે ગુજરાતમાં કોરોના વાયરસ બીજુ સ્ટેજ પૂરું કરીને ત્રીજા સ્ટેજમાં પ્રવેશી ચૂકયો છે.કોરોના વાયરસની વિશ્વમાં મોટી અસર થઈ છે અને ભારતમાં પણ મોટાભાગના રાજયો કોરોનાની ઝપેટમાં આવ્યાં છે. ગઈ કાલે સુધી ગુજરાતમાં કોરોનાના ૧૮ કેસ હતાં જે આજે ૩૦ થયા. એટલે કે એક જ દિવસમાં ૧૨ કેસ વધ્યાં.તેમણે કહ્યું કે હવે મલ્ટીપલ અસર જોવા મળશે.અત્રે જણાવવાનું કે કોરોના વાયરસના ત્રીજા સ્ટેજમાં તે એક વ્યકિતમાંથી બીજી વ્યકિતમાં ઝડપથી પ્રસરે છે.એટલે કે કોમ્યુનિટી સ્પ્રેડ થવાની શરૂઆત થાય છે.જે ખુબ ઘાતક પરિસ્થિતિ ગણાય છે.વિજયભાઇ રૂપાણીએ આ સાથે એમ પણ કહ્યું કે કોરોના વાયરસથી બચવાનો એક જ ઉપાય છે અને તે છે સોશિયલ ડિસ્ટરન્સ રાખવું.લોકો ઘરમાંથી બહાર ન નીકળે.૩૧ માર્ચ સુધી જો આપણે આ વસ્તુ જાણીશું તો ઓછામાં ઓછા લોકોને તેની અસર થશે.માણસ ન હોય તો આપણને મજા ન આવે તે પ્રકારનો આપણો સ્વભાવ છે.સતત લોકો એકબીજાના સંપર્કમાં આવતા હોય છે અને એટલે જ કોરોનાનો વ્યાપ વધવાની પૂરતી શકયતા છે.રાજયમાં અનેક ઠેકાણે લોકડાઉનનો છડેચોક ભંગ,બજારો ખુલ્લા, હોટલો ખુલ્લી, પોલીસે કહ્યું-કાર્યવાહી થશે આ સાથે જ તેમણે એમ પણ કહ્યું કે જનતા કર્ફ્યૂમાં એકતાના દર્શન થયાં.જે કેસ વધી રહ્યાં છે તે અમદાવાદ વડોદરા અને સુરતમાં વધી રહ્યાં છે.એક એક માણસ કેટલા લોકોના સંપર્કમાં આવે તેનો હિસાબ મળતો નથી.રાજકોટમાં કેસ છે પણ એ વ્યકિત જેટલાને મળ્યાં એ બધાને કવોરન્ટાઈન કરવામાં આવ્યાં છે.જો આપણા ત્યાં પોઝિટિવ કેસો એકદમ વધી જાય તો હોસ્પિટલો બેડ તમામ જરૂરિયાત વસ્તુની વ્યવસ્થા કરવા સરકારની તૈયારી છે પણ એનો વ્યાપ વધે નહીં એ માટે સાવચેતી રાખવી જરૂરી છે અને વ્યાપ વધે તો પરિસ્થિતિ આપણા કાબૂમાં આવી જાય અને મુશ્કેલી પડી શકે છે.૩૧ માર્ચ સુધી બિન જરૂરી આવશ્યક લોકો દ્યરની બહાર નીકળે તે ખૂબ જરૂરી છે.રૂપાણીએ કહ્યું કે કોરોનાથી ડરવાની જરૂર નથી પણ સમજદારીપૂર્વક લડવાની જરૂર છે.ગુજરાતના વહીવટીતંત્ર ભૂતકાળમાં અનેક આપત્ત્િ।ઓ સામે ઝઝૂમ્યું છે અને આ પ્રકારની તૈયારી અત્યારે પણ ગુજરાત સરકારની છે.અત્યારે તો ૨૫ તારીખ સુધી જ લોકડાઃન કર્યું છે પણ કેસોની સંખ્યાના આધારે આગળ લઈ લેવામાં આવશે.ખાસ કરીને વૃદ્ઘોની વધારે ચિંતા કરવાની જરૂર છે.પ્રતિકારાત્મક શકિત શરીરની દ્યટે તો તેને વધારે અસર થાય છે અને જેને રૂપ છે ડાયાબિટીસની ડાયાલિસિસ સુધીના દર્દીઓએ ખાસ સાવચેતી રાખવી જરૂરી છે.તેમણે કહ્યું કે સુરતમાં એક વ્યકિતનું મૃત્યુ થયું એમાં પણ એને અનેક પ્રકારના રોગો હતા આપણે બચાવવાની મહેનત દ્યણી બધી કરી પણ તેને બચાવી શકયા નથી.ગુજરાતીઓ વિદેશમાં ખૂબ છે એટલે વિદેશથી પણ અનેક લોકો આવ્યા છે.આ સાથે જ તેમણે કહ્યું કે સરકારનું કોર ગ્રુપ દરરોજ બપોરે બેઠક કરશે તેવો નિર્ણય લેવાયો છે અને સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે.