[weather_data]
Breaking News
TRENDING NEWS

ગુજરાત ભાજપમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ, પાલીતાણામાં નવા-જૂની થવાના એંધાણ

[updated_date] [post_views]

Table of Content

ભાજપ દ્વારા સંગઠનની રચના કરવામાં આવી રહી છે ત્યારે ક્યાંકય ને ક્યાંક કાર્યકરો અને આગેવાનોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે,ખાસ કરીને કોંગ્રેસ છોડીને મોટી આશાએ ભાજપમાં આવેલા આગેવાનોમાં ખાસ અસંતોષ જોવા મળી રહ્યો છે અને હવે સંગઠન રચના સમયે બહાર આવી રહ્યો છે.

વાત છે પાલીતાણા સંગઠમાંમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા આગેવાનોની,અઢી વર્ષ પહેલાં પાલીતાણા નગરપાલિકામાં પ્રમુખ અને ઉપ.પ્રમુખની વરણી કરવામાં આવી કોંગ્રેસની નગરપાલિકામાં બહુમતી હોય તેવા સંજોગમાં ભાજપની સત્તા સ્થાપવા માટે ભાજપ દ્વારા કોંગ્રેસ ઓમદેવસિંહ સરવૈયા સહિતના ચાર નગરસેવકોને તોડજોડની નીતિથી રાજકીય દાવપેચ રચી અને ભાજપમાં ભેળવી અને ભાજપની સત્તા સ્થાપવામાં આવી હતી.

જો કે હવે જ્યારે હાલ ભાજપની સંગઠનની રચના થઈ રહી છે ત્યારે કોંગ્રેસમાંથી પોતાની પેનલ સાથે આવેલા ઓમદેવસિંહ સરવૈયાની કારોબારીમાં નિમણૂક કરાઈ પરંતુ તેમની સાથે આવેલા ત્રણ નગરસેવકોની ઉપેક્ષા કરવામાં આવતા ઓમદેવસિંહ સરવૈયાએ નિમણૂક સાથે જ રાજીનામું ધરી દીધું હતું,તેમને રાજીનામામાં જણાવ્યું કે,મારી સાથે આવેલ ત્રણ સભ્યોને લેવામાં આવ્યા નથી જે મારા સિદ્ધાંત વિરુદ્ધ છે હું અને મારા સાથીઓ ભાજપમાં જ છીએ અને જ્યારે જરૂરું પડે ત્યારે કામ કરવા તૈયાર જ છીએ.

જો કે સામે ભાજપ આગેવનો દ્વારા બચાવ કરતા જણાવ્યું હતું કે શરતચુકથી તેમના નામ સંગઠનમાં લેવાના રહી ગયા હતા,હાલ તેમનો સંગઠનમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને તેઓનો અસંતોષ દૂર થઈ ગયો છે.

જો કે ભાજપ સંગઠનમાં કોંગ્રેસમાંથી આવેલા લોકોને લેવામાં ન આવે તો તેઓ નારાજ થઈ રહ્યા છે અને જો લેવામાં આવે તો ભાજપમાં વર્ષોથી કામ કરતા કાર્યકરો નારાજ થાય છે, ત્યારે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શુ રાજકીય વળાંકો આવે તે જોવાનું રહ્યું.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles