ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં અનલોક 3ના સંદર્ભમાં ભારત સરકારે જાહેર કરેલી ગાઇડ લાઇન્સના અનુસંધાને ગુજરાત માટે કેટલાંક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.
આ બેઠકમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે મુખ્યમંત્રીએ,
– 1 ઓગસ્ટથી રાજ્યમાં કર્ફ્યુમાંથી મુક્તિ.
– દુકાનો રાતના 8 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.
– હોટલ, રેસ્ટોરન્ટ રાતના 10 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.
– 5 ઓગસ્ટથી રાજ્યમાં જીમ,યોગ ક્લાસ ખુલશે તેવી જાહેરાત કરી છે.
ગઇકાલે કેન્દ્ર સરકાર દ્વારા અનલોક 3ની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી.મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને આજે અનલોક-3ની આ જાહેર કરેલી ગાઇડલાઇન સંદર્ભે એક બેઠક યોજાશે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી અનલોક-3ની ગાઈડલાઈનનો રાજ્ય સરકાર અભ્યાસ કરશે.ગુજરાત સરકાર કેન્દ્ર સરકારની અનલોક-3ની ગાઈડ લાઈન પ્રમાણે ગુજરાતમાં પહેલી ઓગસ્ટથી અમલવારી કરશે.જોકે વેપાર-ધંધા કેટલા વાગ્યા સુધી ચાલુ રાખવા તેનો નિર્ણય પણ કરવામાં આવશે. કેન્દ્ર સરકારે રાત્રી કરફ્યૂ દૂર કર્યો છે તો ગુજરાતમાં તેનો અમલ કેવી રીતે કરવો તેની પણ હાઈ પાવર કમિટીમાં ચર્ચા કરી સત્તાવાર જાહેરાત થવાની સંભાવના છે.
અત્રે જણાવવાનું કે ગઈ કાલે એટલે બુધવારે કેન્દ્ર સરકાર દ્વારા અનલોક-3ની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી.જે મુજબ અનેક છૂટછાટ વધારાઈ છે.ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા દિશા-નિર્દેશોમાં 5 ઓગસ્ટથી જીમ ખોલવાની પરવાનગી આપી છે.સાથે જ સરકારે નાઇટ કર્ફ્યૂંને હટાવી દીધો છે.મેટ્રો,રેલ અને સિનેમાઘર પર પાબંધી યથાવત રહેશે.સરકારે કહ્યું કે સ્વતંત્રતા દિવસના કાર્યક્રમ સોશિયલ ડિસ્ટેંસિંગ સાથે યોજવામાં આવશે.આ ઉપરાંત અન્ય સ્વાસ્થ્ય પ્રોટોકોલનું પાલન કરવું પડશે.જેમ કે માસ્ક પહેરવું.
ગૃહ મંત્રાલયે જણાવ્યું કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સાથે વ્યાપક ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે કે સ્કૂલ કોલેજ અને કોંચિંગ સંસ્થા 31 ઓગસ્ટ સુધી બંધ રહેશે.વંદે ભારત મિશન હેઠળ સીમિત સંખ્યામાં આંતરરાષ્ટ્રીય હવાઇ યાત્રાને પરવાનગી આપવામાં આવી છે.આંતરરાષ્ટ્રીય ઉડાનોને લઇને સરકાર પછી નિર્ણય લેશે.


