[weather_data]
Breaking News
TRENDING NEWS

ગુજરાત સરકારનો મોટો નિર્ણયઃ રાજ્યના હાઈવે પર ગેરેજ, હોટેલ અને ઢાબા ખુલ્લા રાખવાનો આદેશ

[updated_date] [post_views]

Table of Content

– વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં લોકડાઉનને વધુ 19 દિવસ માટે એટલે કે 3 મે સુધી લંબાવવાની જાહેરાત કરી છે.

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં લોકડાઉનને વધુ 19 દિવસ માટે એટલે કે 3 મે સુધી લંબાવવાની જાહેરાત કરી છે.ત્યારે ગુજરાતમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે લોકડાઉનનો કડકવાર અમલ કરવામાં આવી રહ્યો છે જેને લઈને ગુજરાત સરકાર દ્વારા માલવાહક વાહનોની હેરાફેરીને મંજુરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.બીજી તરફ રાજ્યના હાઈવે પર ગેરેજ, હોટેલ અને ઢાબા ખુલ્લા રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.મહત્વની વાત એ છે કે, હાઈવે પરની તમામ હોટલો ચાલુ રાખવા વાહન વ્યવહાર વિભાગે સૂચના આપી દેવામાં આવી છે.

સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા પરિપત્રમાં જણાવાયું છે કે,બિન આવશ્યક ચીજ વસ્તુઓના પરિવહન માટે માલવાહક વાહનોને પાસ મેળવવામાંથી છૂટછાટ આપવામાં આવી છે.તે મુજબ માલવાહક વાહનોને પાસ ઈશ્યૂ કરવાની જરૂર રહેતી નથી.

માલવાહક વાહનોના પરિવહન કરતાં ડ્રાઈવરોના ટ્રાન્સપોર્ટ લાઈસન્સને પાસ તરીકે માન્ય ગણવું. ટ્રાન્સપોર્ટ વાહનના ડ્રાઈવરને માલવાહક વાહન ચલાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ કમિશનર વિસ્તારોમાંથી ઈશ્યૂ કરવામાં આવતાં પાસમાંથી મુક્તિ આપવામાં આવે છે.

માલવાહક વાહનોના અવર જવરને વધુ સરળ અને ઝડપી બનાવવા માટે માલ વાહક વાહનો માટે આવશ્યક એવી ઓટો-ગેરેજ, સ્પેર પાર્ટસ, પંક્ચર અને રહેવા-જમવા માટે ઢાબા અને હોટેલ શરૂ કરવાની રહેશે. ક્યા ઢાબા-હોટેલ,ઓટો-ગેરેજ અને પંક્ચરની દુકાનો ખુલ્લી રાખવી તે કલેક્ટરે નક્કી કરવાનું રહેશે.નક્કી કરેલા ઢાબા-હોટેલ,પંક્ચર,સ્પેર-પાર્ટસની દુકાન ખાતે સોશિયલ ડિસ્ટન્સીંગ રાખવાનું રહેશે.

લોકડાઉન દરમિયાન માલવાહક વાહનો ચીજવસ્તુ સહિત રોડ પર ડ્રાઈવરો દ્વારા છોડી દેવામાં આવેલ છે તે વાહનોને પરત મેળવી મુળ સ્થાન સુધી પહોંચાડવા માટે ડ્રાઈવર અને અન્ય એક વ્યકિત સાથે ડ્રાઈવરના રહેઠાણ-નિવાસ સ્થાનથી વાહન જ્યાં છોડી મુકવામાં આવેલ છે ત્યાં સુધી પહોંચવા માટે ટુ વ્હીલર અથવા ફોર વ્હીલર એક વાહન સહિત બે ઈસમોના પાસ ઈશ્યૂ કરવાના રહેશે.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles