આજે ગુજરાત સ્થાપના દિવસ છે,ત્યારે PM-CM સહિત અનેક રાજનેતાઓએ ગુજરાત સ્થાપના દિવસની શુભકામના આપી હતી.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લખ્યું હતું કે,આજે,ગુજરાત અને મહારાષ્ટ્ર તેમના રાજ્ય સ્થાપના દિવસ મનાવી રહ્યા છે.બંને રાજ્યો પ્રતિભાવાન અને કર્તવ્યવાન લોકોના ઘર છે,જેમણે રાષ્ટ્રના વિકાસમાં પોતાનું સિમાચિહ્નરૂપ યોગદાન આપ્યું છે.આ રાજ્યો કોવિડ-19 સામેની લડાઈમાં પણ સફળ રહે અને આ રાજ્યોના લોકો ઉત્તમ સ્વાસ્થ્ય પામે.
અમિત શાહે કહ્યું હતું કે, મહાત્મા ગાંધી અને સરદારના રૂપમાં સમસ્ત માનવજાતિને શાંતિ અને શક્તિનો સંદેશ આપનાર ગુજરાતના સૌ કર્મશીલ નાગરિકોને ગુજરાત સ્થાપના દિવસ ની શુભકામનાઓ.મને વિશ્વાસ છે કે ગુજરાતવાસી દેશની પ્રગતિમાં પોતાનું યોગદાન સતત આપતા રહેશે.જય જય ગરવી ગુજરાત
CM વિજય રૂપાણીએ લખ્યું હતું કે, હારી આ સરહદ ને હાર્યા સીમાડા, પણ હાર્યું ના કોઇ’દી ગુજરાત, હે જીત્યું હંમેશા ગુજરાત.આવો, એ જ ગુજરાતને આપણે સૌ કોરોના મુક્ત અને રસીયુક્ત,સ્વસ્થ અને તંદુરસ્ત બનાવી કોરોના સામેની આ જંગમાં જીતાડીએ.વિશ્વભરમાં વસતા સૌ ગુજરાતીઓને ગુજરાત સ્થાપના દિવસની હાર્દિક શુભકામનાઓ.
ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.સૌ ગુજરાતી ભાઈઓ તથા બહેનોને ગુજરાત ગૌરવ દિવસની શુભેચ્છાઓ.જય જય ગરવી ગુજરાત.
કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું હતું કે, જય જય ગરવી ગુજરાત..દીપે અરુણું પ્રભાત. જય જય ગરવી ગુજરાત. સમગ્ર વિશ્વમાં ગુજરાતની આગવી ઓળખ,સંસ્કૃતિ અને ખુમારીને નામના આપવનારા,ગુજરાતી અસ્મિતા માટે લડનારા ખમીરવંતા ગુજરાતીઓને નમન. ગાંધી,સરદાર,સંત ,શૂરા,સાહિત્યકારોની ગૌરવવંતી ભૂમિ ગુજરાતના સ્થાપના દિવસની સૌને હાર્દિક શુભકામનાઓ.
પરેશ ધાનાણીએ લખ્યું હતું કે,
જીવશે માણસ, જીતશે ગુજરાત
ઓક્સિજનના અભાવે હાલ વિના પાણીની
માછલી જેમ સૌ કોઈ ટળવળી રહ્યા છે ત્યારે,
માણસાઈ ને કદાપી મતના સ્વાર્થ સાથે નહી
જોતરવા તથા મત નહી મળે તો ચાલશે પરંતુ
કોઈને મોત ના જ મળે તેવા સામુહિક સંકલ્પ
સાથે ગુજરાત સ્થાપના દિનની સૌને શુભેચ્છા.!
શક્તિસિંહ ગોહિલે લખ્યું હતું કે, ગુજરાત સ્થાપના દિવસની હાર્દિક શુભકામનાઓ. પૂજ્ય રવિશંકર મહારાજને વંદન કરું છુ કે જેમની આગેવાનીમાં ઉભી થયેલ ચળવળથી ૧લી મે, ૧૯૬૦ના રોજ ગુજરાત અલગ રાજ્ય બન્યું.પ્રભુને પ્રાર્થના કે કોરોનાની મહામારીના આ મુશ્કેલ સમયમાંથી આપણે સૌને બહાર કાઢે અને ગુજરાતને ફરીથી ધબકતું બનાવે.