By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ગુજરાત હાઈકોર્ટમાં ભાજપ પ્રદેશ પ્રમુખ C.R પાટીલ વિરુદ્ધ પીટીશન દાખલ થયા બાદ સુરત ઉધના પોલીસમાં ગુનો નોંધવા માંગ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ગુજરાત હાઈકોર્ટમાં ભાજપ પ્રદેશ પ્રમુખ C.R પાટીલ વિરુદ્ધ પીટીશન દાખલ થયા બાદ સુરત ઉધના પોલીસમાં ગુનો નોંધવા માંગ
General

ગુજરાત હાઈકોર્ટમાં ભાજપ પ્રદેશ પ્રમુખ C.R પાટીલ વિરુદ્ધ પીટીશન દાખલ થયા બાદ સુરત ઉધના પોલીસમાં ગુનો નોંધવા માંગ

HM News
Last updated: 15/04/2021 10:41 AM
HM News
4 years ago
Share
SHARE

– એપેડેમિક ડિસીઝનો ભંગ થયો હોય કાર્યવાહી કરવા પોલીસમાં અરજી કરાઈ

સુરત : કોરોના સંક્રમિત ગંભીર દર્દીઓના ઈલાજ માટે વપરાતા રેમડેસિવિર ઈન્જેક્શન મુદ્દે ભારે વિવાદ સર્જાયો છે.ભાજપ કાર્યાલય ખાતેથી રેમડેસિવિર ઇન્જેક્શનનું વિતરણ કરવાને લઈને ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ સામે પોલીસમાં અરજી દાખલ થઈ છે.સુરતના એક સામાજિક કાર્યકર્તા અને એડવોકેટ દ્વારા ઉધના પોલીસ સ્ટેશનમાં સી.આર. પાટીલ વિરૂદ્ધ અરજી દાખલ કરવામાં આવી છે.જેમાં ફાર્મસી એક્ટ 1948નું ઉલ્લંઘન કરી તથા એપિડેમિક ડિસીઝ અને સુરત પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરવા બદલ સી.આર.પાટીલ સામે ગુનો બનતો હોવાની અરજી દાખલ કરવામાં આવી છે.

સમગ્ર રાજ્યમાં રેમડેસિવિર ઇન્જેક્શનને લઈને સરકાર લાચાર સ્થિતિમાં હતી.ત્યારે સી. આર. પાટીલ આટલા મોટા જથ્થામાં ઇન્જેક્શનો ક્યાંથી લાવ્યા તે અંગે પણ તેમના નેતાઓ દ્વારા અલગ-અલગ નિવેદનો કરવામાં આવ્યા હતાં.એપિડેમિક એક્ટ હેઠળ આ ઇન્જેક્શનો ગેરકાયદેસર રીતે આટલા મોટા પ્રમાણમાં સ્ટોકમાં રાખવામાં આવ્યા હોવાની અરજીમાં ઉલ્લેખ કરાયો છે.ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પાસે ડ્રગ્સ વેચવાનો પરવાનો ન હોવા છતાં ઇન્જેક્શન કેવી રીતે વેચાણ કરાયા? રેમડીસીવીર ઇન્જેકશનની સંગ્રહખોરી તથા તેના વેચાણ એક રાજકીય પક્ષ દ્વારા કરવું ડ્રગ્સ અને કોસ્મેટિક કાયદો 1940ના કલમ 18 પ્રમાણે ગુનો બને છે. તથા ઇન્જેક્શન સપ્લાય વિરુદ્ધ પણ કલમ-17 મુજબ સપ્લાય કરનાર અને વેચાણ કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ થઈ છે.

અરજીકર્તા વિલાસ પાટીલે જણાવ્યું કે, પ્રજા કરતાં વધુ કાયદાઓનું ઉલ્લંધન ભાજપના નેતાઓ કરી રહ્યા છે.પરંતુ એક પણ નેતા સામે દાખલારૂપ કાર્યવાહી પોલીસ અધિકારીઓ દ્વારા કે વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી નથી.જેથી કરીને નેતાઓ કોઈનો ભય ન હોય તે રીતે કોરોના ફેલાવવામાં વ્યસ્ત બન્યા છે.સરકારની ગાઇડ લાઇનનો જો સૌથી વધુ કોઈ ઉલ્લંઘન કર્યું હોય તો તે ભાજપના નેતાઓ છે.ગરીબ લારી ગલ્લાવાળા ને રોજ કમાવીને ખાનારાઓ સામે મોટી મોટી કાર્યવાહી કરીને વાહવાહી લૂંટનાર પોલીસ અધિકારી અને વહીવટી તંત્રે આવા નેતાઓ સામે કાર્યવાહી કરી નથી જે ખૂબ જ દુઃખદ બાબત છે.

BREAKING : મહારાષ્ટ્રના નાસિક હોસ્પિટલમાં ઓક્સીજન ટેન્ક લીક, અત્યાર સુધીમાં 11 લોકોના મોત
ઉત્તર પ્રદેશ : બરેલીમાં ભીષણ અકસ્માત સર્જાયો, 3 મહિલા સહિત 7 ના મોત નીપજ્યા
PNB scam- ગોકુલનાથ શેટ્ટીએ એક કરોડની લાંચ લીધેલી ? શેટ્ટી કૌભાંડ ટાણે PNBના ડેપ્યુટી મેનેજર હતા
વિશ્વ પર ફરીથી જોખમ:ચીનમાં 1541 દર્દીના કારણે કોરોના વાયરસનો બીજા રાઉન્ડનો ખતરો
ભાઈબંધ પાકિસ્તાનને કંઈ ન થાય આ માટે ચીને લગાવ્યું એડીચોટીનું જોર
Share This Article
Facebook Email Print
Previous Article આર્થિક સ્ટીમ્યુલ્સ પેકેજ આપવાની જાહેરાતે અફડાતફડી બાદ ભારતીય શેરબજારમાં પ્રત્યાઘાતી ઉછાળો…!!
Next Article સુરતના પાલમાં શ્રીપદ બિલ્ડર ગ્રુપ દ્વારા 10 વર્ષ જુના વૃક્ષોનું નિકંદન કાઢી નખાયું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up